મુંબઇ-આગ્રા હાઇવે પર નાશિકમાં કાર અને એસટી બસ ટકરાતા પતિ, પત્ની, પુત્રનું મોત
-રસ્તા પર ઉભેલી બસ સાથે પાછલથી કારની અથડામણ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.24 જાન્યુઆરી 2019,ગુરૂવાર
મુંબઇ-આગ્રા હાઇવે પર નાશિકમાં રસ્તા પર ઉભેલી એસટી બસ સાથે કાર ટકરાતા પતિ, પત્ની અને તેમના પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે એક જણને ઇજા થઇ હતી. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
નાશિકના ચાંદવડમાં રેણુકામાતા મંદિર નજીક રસ્તા પર એસટી બસ ઉભી હતી. માલેગાવથી આજે સવારે સમદડીયા પરિવાર નાશિક તરફ જઇ રહ્યા હતા. ત્યારે કારનું ટાયર ફાટતા મહેન્દ્રકુમાર સમદડીયા (ઉ.વ.૫૦)એ વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું.
પછી એસટી બસ સાથે પાછળથી કાર ટકરાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર ઇજા થતા મહેન્દ્રકુમાર, તેની પત્ની વંદના (ઉ.વ.૪૫) પુત્ર કાળનો કોળીયો બની ગયા હતા. નાશિકના દિડોશી તાલુકામાં તેઓ રહેત હતા.