મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી સ્પેશિયલ ટ્રેન મણીનગર સ્ટેશન પર રોકાશે
- મુસાફરોની માંગણીને ધ્યાનમાં લેવામાં આવી
અમદાવાદ, તા. 28 જાન્યુઆરી 2021 ગુરૂવાર
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-દરભંગા, અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ તથા મુંબઈ સેંટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનોને મણીનગર સ્ટેશન પર સ્ટોપજ આપવામાં આવ્યું તે ઉપરાંત અમદાવાદ-પટના સ્પેશિયલનું નાગદા સ્ટેશન પર સ્ટોપજ સમાપ્ત કરવામાં આવ્યું. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09167 અમદાવાદ-વારાણસી સાબરમતી સ્પેશિયલનું 28 જાન્યુઆરી, 2021થી મણીનગર તથા સોહવાલ સ્ટેશનો પર સ્ટોપજ આપવામાં આવ્યું છે. તે તારીખથી આ ટ્રેનના શાજાપુર, સારંગપુર, વિજયપુર, પીપરાયગાવ, ધાઉરા, જાખલોન, બબીના, ચિરગાવ, મોઢ, એટ જં., પોખરાયણ, લાલપુર, તથા ભીમસેન સ્ટેશનો પર સ્ટોપજ સમાપ્ત કરવામાં આવ્યું છે.