For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપની જન આશીર્વાદ યાત્રા પર ઠાકરે સરકારે નિશાન સાધ્યુ, ફોજદારી કલમો હેઠળ આયોજકો સામે FIR નોંધાઈ

Updated: Aug 18th, 2021

ભાજપની જન આશીર્વાદ યાત્રા પર ઠાકરે સરકારે નિશાન સાધ્યુ, ફોજદારી કલમો હેઠળ આયોજકો સામે FIR નોંધાઈ

મુંબઈ, તા. 18 ઓગસ્ટ 2021 બુધવાર

મોદી સરકારમાં તાજેતરમાં જ મહારાષ્ટ્રના ચાર સાંસદોને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થળ મળ્યુ છે. મંત્રી બન્યા બાદ પહેલીવાર પોતાના રાજ્યમાં પાછા ફરેલા જન આશીર્વાદ યાત્રા દ્વારા લોકોને ધન્યવાદ કહી રહ્યા છે પરંતુ કદાચ મહારાષ્ટ્રની ઠાકરે સરકારને કેન્દ્રીય મંત્રીઓની યાત્રા ગમી નહીં. આ કારણ છે કે યાત્રા દરમિયાન ભીડ એકત્ર કરવાના કેસમાં હવે ગુનાકીય કેસ સ્થાનિક પોલીસે નોંધવાનો શરૂ કરી દીધો છે.

સોમવારે મુંબઈ નજીક થાણેમાં કેન્દ્રીય પંચાયતી રાજ્ય મંત્રી કપિલ પાટીલની યાત્રા દરમિયાન લાગેલી ભીડને કોરોના નિયમોનુ ઉલ્લંઘન જણાવતા ત્રણ આયોજકો વિરૂદ્ધ થાણે પોલીસે કેસ નોંધ્યો છે. શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભામાં સાંસદ સંજય રાઉતે પણ ભાજપની જન આશીર્વાદ યાત્રા પર નિશાન સાધ્યુ છે. રાઉતે કહ્યુ કે મુસાફરીમાં માસ્ક વિનાના લોકોને એકત્ર કરવા કોરોનાનુ ઉલ્લંઘન કરવુ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા જેવુ છે, પોલીસે કરેલી કાર્યવાહી યોગ્ય છે. 

બાળાસાહેબના સ્મૃતિ સ્થળ પર રાણેનુ જવુ નક્કી, પરંતુ શિવસેનાનો વિરોધ

શિવસેના અને સીએમ ઉદ્ધવ ઠાકરેના કટ્ટર વિરોધી મોદી સરકારમાં મંત્રી નારાયણ રાણે 19 ઓગસ્ટથી પોતાના જન આશીર્વાદ યાત્રાની શરૂઆત મુંબઈથી કરશે. પોતાની યાત્રા દરમિયાન રાણે મુંબઈના દાદર સ્થિત શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના સ્મૃતિ સ્થળ પર પણ અભિવાદન કરવા પહોંચ્યા. આ પહેલી તક હશે જ્યારે રાણે બાળા સાહેબ ઠાકરેના સ્મૃતિ સ્થળ પર આવશે. શિવસેનાએ નારાયણ રાણેના બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિ સ્થળ પર જવાને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. શિવસેના નેતા અને લોકસભા સાંસદ વિનાયક રાઉતનુ કહેવુ છે કે બાળા સાહેબ ઠાકરે સાથે ગદ્દારી કરનારને સ્મૃતિ સ્થળ પર જવાનો કોઈ અધિકાર નથી અને શિવસૈનિક તેમને આ પવિત્ર સ્થળ પર જવા દેશે નહીં.

એવામાં સ્પષ્ટ છે કે 19 ઓગસ્ટે જ્યારે રાણેની જન આશીર્વાદ યાત્રા શરૂ થશે, ત્યારે મુંબઈના શિવાજી પાર્ક સ્થિત બાળા સાહેબ ઠાકરે ના સ્મૃતિ સ્થળ પાસે ભાજપ અને શિવસેનાના કાર્યકર્તાઓમાં ટકરાવ જોવા મળી શકે છે.

આગામી વર્ષ એટલે 2022માં મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી થવાની છે અને ભાજપ નારાયણ રાણે દ્વારા મુંબઈમાં રહેનાર કોકણના લોકોને સાધવાનો પ્રયત્ન કરી રહી છે. આ રણનીતિ હેઠળ રાણેની જન આશીર્વાદ યાત્રા મુંબઈના તે તમામ વિસ્તારોથી થઈને પસાર થશે જ્યાં શિવસેનાનો દબદબો છે.

Gujarat