Get The App

મહારાષ્ટ્રનું બજેટઃ લાડકી બહિણને લ્હાણીનું કદ ઘટાડાયું : વાહનો મોંઘાં થશે

Updated: Mar 11th, 2025

GS TEAM


Google News
Google News
મહારાષ્ટ્રનું બજેટઃ લાડકી બહિણને લ્હાણીનું કદ ઘટાડાયું : વાહનો મોંઘાં થશે 1 - image


લાડકી બહિણ યોજના માટે ૪૬ને બદલે હવે ૩૬ હજાર કરોડની ફાળવણીઃ મહિને ૧૫૦૦થી વધારીને ૨૧૦૦ રુપિયા કરવાના ચૂંટણી વચનનો છેદ ઉડાડી દેવાયો

1.36 લાખ કરોડની રાજકોષીય ખાધ ધરાવતાં સાત લાખ કરોડથી વધુનાં બજેટમાં કોઈ નવી મોટી જાહેરાતો નહિઃ વાઢવણ પોર્ટ, વાઢવણ પાસે મુંબઈ માટે નવાં એરપોર્ટ, મેટ્રો રિંગ રોડ સહિતની અગાઉ જાહેર થઈ ચૂકેલી યોજનાઓ માટે ભંડોળની ફાળવણી ૪૦ લાખ કરોડનાં રોકાણના  લક્ષ્યાકં સાથે નવી ઉદ્યોગ નીતિઃ સ્ટેમ્પ ડયૂટીમાં વધારોઃ સીએનજી-એલપીજી વાહનો ઉપરાંત ૩૦ લાખથી વધુની કિંમતની ઈવી કાર, લાઈટ ગૂડઝ વ્હિલક પર ટેક્સ વધ્યો, સરકારનું દેવું વધીને નવ લાખ કરોડ થવાનો અંદાજ  

મુંબઈ -  લાડકી બહિણ  યોજનાના સહારે ચૂંટણીમાં અંધાધૂંધ વિજય મેળવનારી મહાયુતિ સરકારે હવે સરકાર રચ્યા બાદ રજૂ કરેલાં પહેલાં બજેટમાં લાડકી બહિણની લ્હાણીનું કદ ૧૦,૦૦૦ કરોડ રુપિયા ઘટાડી દીધું છે. ચૂંટણી પહેલાં આ યોજના માટે ૪૬ હજાર કરોડ રુપિયા ફાળવવાની જાહેરાત થઈ હતી પરંતુ આજે નાણાં પ્રધાન અજિત પવારે જાહેર કરેલાં બજેટમાં આ યોજના માટે ૩૬ હજાર કરોડ જ ફાળવવાની જાહેરાત થઈ છે. વધુમાં ચૂંટણી ટાણે મહાયુતિએ મહિલાઓને દર મહિને ૧૫૦૦ રુપિયા અપાય છે તે વધારીને ૨૧૦૦ રુપિયા કરવાનું વચન આપ્યું હતું. પરંતુ, ભારે આર્થિક સંકટના કારણે આ વચનનો આ બજેટમાં અમલ કરાયો નથી. આ ઉપરાંત સીએનજી અને એલપીજીથી ચાલતાં વાહનો ઉપરાંત ૩૦ લાખથી વધુ કિંમતની ઈવી કાર તથા લાઈટ ગુડ્ઝ વ્હીકલ પરનો મોટર વ્હીકલ ટેક્સવધારી દેવાતાં આ વાહનો મોંઘા બનશે. બજેટમાં કોઈ તદ્દન નવી યોજના જાહેર કરાઈ નથી પરંતુ વાઢવણ પોર્ટ, વાઢવણ ખાતે એરપોર્ટ, મુંબઈ મેટ્રો રીંગ રોડ સહિતની અનેક જૂની અને અગાઉ જાહેર થઈ ચૂકેલી યોજનાઓ માટે ભંડોળની ફાળવણીની જાહેરાતો કરાઈ છે. ૪૦ લાખ કરોડનાં રોકાણનાં લક્ષ્યાંક સાથે નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરાઈ છે. તેના દ્વારા ૫૦ લાખ રોજગારીનું  લક્ષ્યાંક નક્કી કરાયું છે. આવક ઊભી કરવા માટે સ્ટેમ્પ ડયૂટીના દરોમાં પણ સામાન્ય વધારો કરાયો છે. 

વધતા મહેસૂલ ખર્ચ અને દેવાના ભંડારથી લઈને મૂડી ખર્ચમાં નજીવા વધારા સુધી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી અજિત પવારે આજે ૨૦૨૫-૨૬ માટે ૭,૦૦,૦૨૦ કરોડનું બજેટ રજૂ  કર્યું હતું.  જેમાં ૧,૩૬,૨૩૪ કરોડ રૃપિયાની રાજકોષીય ખાધ બતાવી છે. મહેસૂલી આવક રૃ.૫,૬૦,૯૬૩ કરોડની સામે ખર્ચ રૃ.૬,૦૬,૮૫૫ કરોડ છે. આમ મહેસૂલી ખાધ ૪૫,૮૯૨ કરોડ દર્શાવી છે.મહારાષ્ટ્રના બજેટનિં કદ રૃ.૭ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જે ઉત્તર પ્રદેશ પછી દેશનું સૌથી મોટું બજેટ છે. પરિણામે રાજ્યની લોન મેળવવાની ક્ષમતામાં વધારો થાય છે. બજેટમાં રાજકોષીય ખાધને ૨.૭ ટકા રાખવામાં સફળ રહ્યું છે. જે ૨.૯ ટકા થઈ ગયું હતું.  એવો દાવો કરાયો હતો. જોકે નાણાંપ્રધાને નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરીને ૪૦ લાખ કરોડ રૃપિયાના રોકાણ અને ૫૦ લાખ નોકરીઓનું સર્જન પર લક્ષ્ય રાખ્યું હતું.

મહારાષ્ટ્રનું કુલ દેવ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫  રૃ.૮,૩૯,૨૭૫ કરોડ થયું છે. વર્ષ ૨૦૨૫-૨૬ના બેજટમાં અંદાજે કુલ દેવું રૃ.૯,૩૨,૨૪૨ કરોડ થશે. જે રાજ્યના કુલ ઘરેલુ ઉત્પાદન જીડીપીના ૧૮.૮૭ ટકા  જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે.

અજિત પવારે રજૂ કરેલા સ ાત લાખ કરોડ રૃપિયાના બજેટમાં  રાજ્યમાં ચાલી રહેલા માળખાગત સુવિધા તેમ જ અન્ય પ્રોજેકટસનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ કોઈપણ નવી જાહેરાત કરવાનું ટાળ્યું છે. જેમાં બંને એરપોર્ટને મેટ્રોથી જોડવાના પ્રોજેકેટ, બોરીવલી થાણે ટનલ, ગોરેગાંવ મુલુંડ લીંક રોડ, વરસોવા બાન્દ્રા કોસ્ટલ રોડ સહિતના અગાઉ જાહેર થઈ ચૂકેલા પ્રોજેક્ટસનો સમાવેશ થાય છે. 

મહત્ત્વપૂર્ણ બજેટમાં પાલઘર જિલ્લામાં વઢવાણ બંદર નજીક ત્રીજી એરપોર્ટની સ્થાપના, મુંબઈમાં સાત નવા આંતરાષ્ટ્રીય સ્તરના  ગ્રોથ સેન્ટર વિકસાવવાની પણ જાહેરાત કરાઈ છે.  કૃષિ ક્ષેત્રમાં  એ.આઈ.મુંબઈના વિકાસ માટે રૃ.૬૪ હજાર કરોડની ફાીળવણી  લાકડી બહિન માટે ૩૬ હજાર કરોડ જોગવાઈ કરી છે. નદીૂઓના જોડાણ અને રસ્તાના નિર્માણ માટે બજેટમાં  નાણાંની જોગવાઈ કરી છ.ે વર્ષ ૨૦૪૭  સુધી મુંબઈનું અર્થતંત્ર ૧.૫ ટ્રિલીયન ડોલર પહોંચાડવાનો અંદાજ  મૂક્યો  છે.

વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન,મહાયુતિએ  લાડકી બહેન યોજના હેઠળ માસિક રૃ.૧૫૦૦નો હપ્તો વધારી રૃ.૨૧૦૦ કરવાની જાહેરાત કરી હતીત. પરંતુ, આ બજેટમાં એ વધારો કરવાનું ટાળ્યું છે. ઉલ્ટાનું તેમણે આ યોજના માટેની ફાળવણીમાં ં ૧૦ હજાર કરોડનો ઘટાડો કરીને માત્ર ૩૬ હજાર કરોડ જોગવાઈ કરી છે.સરકાર જુદી જુદી શરતો તથા સર્વેલન્સ દ્વારા લાભાર્થીની સંખ્યા ઘટાડીને આ યોજનાનું કદ મર્યાદિત રાખવા પ્રયાસ કરશે તેવો સંકેત મળે છે. 

બે અઠવાડિયા પહેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પી.એમ કિસાન સન્માન નિધિ રાજ્યમાં હિસ્સામિાં ૩૦૦૦ રૃપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. પણ અજિત પવારે બજેટમાં તે અંગે ઉલ્લેખ કર્યો નથી. 

રાજ્યના આવકના વિકલ્પો શઓધવા પ્રયાસમાં રાજ્યએ ૩૦ લાખ રૃપરિયાથી વધુ કિંમતના ઇલેક્ટ્રિક વાહનો પર છ ટકા દરે વાહન કર વસૂલવાનો પ્રસ્તાવ કર્યો છે.મહારાષ્ટ્ર સરકારે આવક વધારવા સીએનજી અને એલપીજી વાહનોનો ખરીદી પર એક ટકા મોટર વાહન કારમાં વધારો કર્યો છે. મોટર વાહન કરમાં મહત્તમ મર્યાદા ૨૦ લાખ રૃપિયાથી વધારીને ૩૦ લાખ રૃપરિયા કરવાનો પ્રસ્તાવ છે. તેમણે ક્રેન, કોમ્પ્રેસર , પ્રોજેક્ટ અને ખોદકામ કરનારા વાહનો જેવા બાંધકામ માટે વપરાતા વાહનો તેમજ રાજ્યના ૭,૫૦૦ કિલોગ્રામ સુધીનો માલ વહન કરતાં હળવા માલ વાહનો (એલ.જી.વી)ની કિંમત પર ફરજિયાત સાત ટકા દરે વાહન કર વસૂલવાનો પ્રસ્તાવ મૂકીને આશરે ૧૨૭૫ કરોડ  રૃપિયાની વધારાની આવકનો અંદાજ મૂક્યો છે.

પવારે જણાવ્યું હતું કે સરકાર રાજકીય ખાધને કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન (જી.ડી.એસપી) ૩ ટકાથી નીચે રાખવામાં સફળ રહી છે. રાજ્યની મહેસૂલ ખાધ સતત કુલ રાજ્ય આવકના  ટકા કરતાં ઓછી રહી છે.  જો કે એક જ વ્યવહાર પૂર્ણ કરવા એક કરતાં વધુ દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવે તો સરકારે મહારાષ્ટ્ર સ્ટેપ એકટની કલમ ૪ હેઠળ પૂરક દસ્તાવેજો પર સ્ટેમ્પ ડયુટી ૧૦૦ રૃપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેથી દસ્તાવેજ ફાઇળ કરતી વખતે સ્ટેમ્પ ડયુટીની રકમ મુખ્યત્વે જમાં કરી શકે.

અજીત પવારે ભાષણમાં કહ્યું કે શિરડી એરપોર્ટમાં ટુંક સમયમાં નાઇટ લેન્ડિગની સુવિધાની જાહેરાત કરી હતી. સરકારે  ગ્રામીણ આવાસો માટે ૧૫૦૦૦ કરોડ રૃપિયાના ખર્ચની જાહેરાત કરી છે. જેમાં ૨૦ લાખ ઘરો બનાવવાનું લક્ષ્ય રાખ્યુ. પવારે કહ્યું કે સિંચાઇ  પ્રોજેક્ટસ અને સૌર ઉર્જા  પહેલ દ્વારા ખેડૂતોને  મળેલા સમર્થનને કારણે આ સુધારો થયો છે. અને રાજ્ય મૂલ્ય વર્ધન અને સંલગ્ન કૃષિ આવક વધારવા પર કામ કરી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુલભતા પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય સંભાળ સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. એમ કહીને ઉમેર્યું હતું કે સરકાર દરેક રહેવાસી માટે ૫ કિ.મી.ની અંદર આરોગ્ય સંભાળ સેવાઓ સુનિશ્ચિત કરશે. સરકાર સાંસ્કૃતિક વારસાના પ્રોજેક્ટ હાથ ધરશે અને આગ્રામાં એક સ્મારક બનાવશે જ્યાંથી છત્રપતિ મહારાજ  મોગલ કસ્ટડીમાંથી ભાગી ગયા હતા. સંગમેશ્વર ખાતે છત્રપતિ સંભાજી મિહારાજનું સ્મારક બનશે.

પવારે કહ્યું કે સરકાર ૩ ઓક્ટોબરે મરાઠી ભાષા સન્માન દિનની ઉજવણી કરશે. બજેટમાં સરકારમાં એક કરોડ લાભાર્થીઓનું નિર્માણ સુનિશ્ચિત કરવા માટે લખપતિ દીદી યોજનાને ધ્યાન કેન્દ્રત કરાશે. આ  યોજનાને કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૩માં શરૃ કરી હતી. મહારાષ્ટ્ર સરકાર આબોહવા પરિવર્તન અણધારી વરસાદ, પાકના રોગો અને મજૂકોના અછત જેવા પડકારોનો સામનો કરવા કૃષિ ક્ષેત્રમાં એ.આઇ. એકીકરણની શોધ કરી રહી છે.


Tags :