મેહુલ ચોક્સી સામે મેજિસ્ટ્રેટ કોર્ટે બિનજામીન પાત્ર વોરન્ટ જારી કર્યું
રૃ.૫૫ કરોડના કેનેરા બેન્ક ફ્રોડનો કેસ
બેલ્જિયમમાં પકડાયેલા ચોકસી સામેનાં વોરન્ટ મુદ્દે તા. બીજી જૂને વધુ સુનાવણી યોજાશે
મુંબઈ - ફરાર બિઝનેસમેન મેહુલ ચોક્સી સામે એડિશનલ ચીફ મેટ્રોપોલિટસ્મેજિસ્ટ્રેટ (કિલ્લા કોર્ટ) આર. બી. ઠાકુરે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે. કેનેરા બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર સંબંધી રૃ.૫૫ કરોડના ફ્રોડ સંબંધી કેસમાં આ વોરન્ટ જારી થયું છે.કોર્ટે સુનાવણી બીજી જૂન પર મોકૂફ રાખી છે.
પંજાબ નેશનલ બેન્ક ફ્રોડ કેસમાં ચોક્સીની ૧૨ એપ્રિલે બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય તપાસ એજન્સીએ ે પ્રત્યાર્પણની વિનંતીને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
કેસની વિગત અનુસાર કનેરા બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રે બેઝેલ જ્વેલરીને કોન્સોર્શિયમ એગ્રીમેન્ટ હેઠળ કેપિટલ ફેસિલિટી તરીકે રૃ. ૩૦ કરોડ અને રૃ. ૨૫ કરોડ અનુક્રમે મંજૂર કર્યા હતા. આ લોન સોના અને હીરાના દાગીનાના ઉત્પાદન અને વેચાણ માટે હતી પણ કંપનીએ ડાઈવર્શન ફંડ છુપાવવા ખાતા મારફત કોઈ બિઝનેસ ટ્રાન્ઝેક્શન કર્યું નહોતું. લોન પાછી ચૂકવી નહોતી અને કોન્સોર્શિયમને રૃ.૫૫.૨૭ કરોડનું નુકસાન થયું હોવાનો આરોપ સીબીઆઈએ કર્યો છે.