પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે સાતમું જહાજ હેમખેમ આવ્યું
જહાજમાં ૪૬,૦૦૦ મેટ્રિક ટન ઇંધણ છે, જેનાથી ભારતને એલપીજી પુરવઠા અંગેની ચિંતાઓ ઓછી કરવામાં મદદ મળશે
મુંબઈ - ભારતમાં મુંબઈ આવતા એક એલપીજી ટેન્કરે હોર્મુઝની વ્યૂહાત્મક સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કરી છે જે એક મોટી ઘટના છે કારણ કે ચાલુ પશ્ચિમ એશિયા યુદ્ધથી વૈશ્વિક શિપિંગ પ્રભાવિત થઈ રહ્યું છે.
મરીન ટ્રાફિકના લાઈવ ટ્રેકિંગ ડેટા અનુસાર ભારતીય ટેન્કર ગ્રીન સાનવી મહત્વપૂર્ણ ચોકપોઈન્ટ પાર કરી ગયું છે અને હવે મુંબઈ તરફ જઈ રહ્યું છે. મિત્સુઈ ઓએસકે લાઈન્સની માલિકીનું આ જહાજ આશરે ૪૬,૦૦૦ મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) વહન કરી રહ્યું છે.
આ ક્ષેત્રમાં તણાવ વધ્યો ત્યારથી સ્ટ્રેટમાંથી પસાર થયેલું ગ્રીન સાનવી ભારતનો ધ્વજ ધરાવતું સાતમંય વેપારી જહાજ છે, જેના કારણે દરિયાઈ ટ્રાફિક ગંભીર રીતે મર્યાદિત બન્યો છે. નોંધનીય છે કે, આ સાતેય જહાજો એલપીજી ટેન્કરના છે, જે ભારતમાં બળતણ પુરવઠો જાળવવાની તાકીદ પર ભાર મૂકે છે, જ્યાં એલપીજી એક મુખ્ય સ્થાનિક ઉર્જા સ્ત્રોત છે.
શિપિંગ ડેટા દર્શાવે છે કે ઓછામાં ઓછા ૧૭ ભારતીય જહાજો હાલમાં પસયન ગલ્ફ ક્ષેત્રમાં, સ્ટ્રેટની પૂર્વમાં કાર્યરત છે. આમાં એકથી વધુ એલપીજી કેરિયર્સ, ક્રૂડ ઓઇલ ટેન્કર્સ, લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) ટેન્કર, એક કેમિકલ ટેન્કર, કન્ટેનર જહાજો, બલ્ક કેરિયર્સ અને જાળવણી હેઠળના જહાજોનો સમાવેશ થાય છે. ભારત તરફ જતા બે વધારાનાએલપીજી ટેન્કર્સ, ગ્રીન આશા અને જગ વિક્રમ, આગામી દિવસોમાં સ્ટ્રેટ પાર કરે તેવી અપેક્ષા છે, જે પુરવઠાની ચિંતાઓને વધુ હળવી કરશે.
પશ્ચિમ એશિયામાં થયેલા સંઘર્ષે વૈશ્વિક ઊર્જા પુરવઠા શૃંખલાઓને મોટા પ્રમાણમાં વિક્ષેપિત કરી છે, જેમાં ભારત ખાસ કરીને આયાતી એલપીજી પર ભારે નિર્ભરતાને કારણે સંવેદનશીલ છે. તેના પ્રતિભાવમાં, સરકારે ઈરાન સાથે રાજદ્વારી જોડાણ વધાર્યું છે જેથી તેના જહાજો માટે સલામત માર્ગ સુનિશ્ચિત કરી શકાય.
ઈરાને તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે ભારત સહિત બિન-શત્રુ દેશોના જહાજોને સંકલન હેઠળ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પુષ્ટિ આપી હતી કે ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા મિત્ર રાષ્ટ્રો માટે જળમાર્ગ કાર્યરત રહેશે, જ્યારે અન્ય દેશો માટે પ્રતિબંધો ચાલુ રહેશે.


