અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા સામે લુકઆઉટ સર્ક્યુલર જારી

ઉદ્યોગપતિ સાથે ૬૦ કરોડ રૃપિયાની છેતરપિંડીનો કેસ
એલઓસી દ્વારા ઇમિગ્રેશન અને બોર્ડર કન્ટ્રોલ પોઈન્ટને જાણ કરી વ્યક્તિને દેશ છોડતા અટકાવવા અથવા હિલચાલ પર નજર રાખવામાં આવે છે
મુંબઈ - બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના ઉદ્યોગપતિ પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ રૃ.૬૦ કરોડની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસે લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કર્યો છે, એમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું. એક અધિકારીએ કહ્યું હતું કે, શહેર પોલીસની આથક ગુના શાખા દ્વારા એલઓસી જારી કરવામાં આવ્યું છે.
આ દંપતી વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરે છે.આથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ ૧૪ઓગસ્ટના રોજ જુહુ પોલીસ સ્ટેશનમાં એક ઉદ્યોગપતિ સાથે લોન-કમ-રોકાણ સોદામાં લગભગ ૬૦ કરોડ રૃપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.બાદમાં કેસ તપાસ માટે આથક ગુના શાખાને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. લુકઆઉટ સર્ક્યુલર એ એક એવી પદ્ધતિ છે જેનો ઉપયોગ વ્યક્તિને દેશ છોડતા અટકાવવા અથવા સામાન્ય રીતે ઇમિગ્રેશન અને બોર્ડર કન્ટ્રોલ પોઈન્ટને ચેતવણી આપીને તેમની હિલચાલ પર નજર રાખવા માટે થાય છે.
બાદમાં કેસ તપાસ માટે આથક ગુના શાખાને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, જુહુના રહેવાસી ૬૦ વર્ષીય ઉદ્યોગપતિ દીપક કોઠારીએ આ સંબંધમાં ફરિયાદ નોંધાવી હતી.કોઠારી લોટસ કેપિટલ ફાઇનાન્સ સવસીસ નામની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી ) ના ડિરેક્ટર છે. ફરિયાદીના જણાવ્યા મુજબ તે રાજેશ આર્ય દ્વારા કુન્દ્રા અને તેની અભિનેત્રી પત્નીના સંપર્કમાં આવ્યો હતો. કુન્દ્રા અને શેટ્ટી બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હતા, જે એક હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ છે.દંપતીએ આર્ય દ્વારા રૃ.૭૫ કરોડની લોન માંગી હતી, પરંતુ ઊંચા કરવેરાથી બચવા માટે તેને રોકાણ તરીકે દર્શાવ્યું હતું.બનેએ માસિક રિટર્ન અને મૂળ રકમ ચૂકવવાનું પણ વચન આપ્યું હતું.
એફઆઈઆર મુજબ ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેણે એપ્રિલ ૨૦૧૫માં શેર સબસ્ક્રિપ્શન કરાર હેઠળ રૃ.૩૧.૯ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૧૫માં પૂરક કરાર હેઠળ બીજા રૃ.૨૮.૫૩ કરોડની ચુકવણી કરી હતી. એપ્રિલ ૨૦૧૬માં વ્યક્તિગત ગેરંટી આપવા છતાં શેટ્ટીએ તે વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે કોઠારીને પાછળથી જાણવા મળ્યું કે ૨૦૧૭માં કંપની સામે બીજા કરારમાં ડિફોલ્ટ થવા બદલ નાદારીની કાર્યવાહી ચાલી રહી હતી.
કોઠારીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેમણે વ્યવસાય માટે લોન આપી હતી.પરંતુ આરોપીઓ દ્વારા આ પૈસાનો કથિત રીતે અંગત ઉપયોગ કરવામાં આવ્યો હતો. છેવટે કોઠારીએ અભિનેત્રી, તેના પતિ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ માટે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો.જેના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ શેટ્ટી અને કુન્દ્રાના વકીલ દ્વારા કેસના સંદર્ભમાં એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે તેમના ક્લાયન્ટ્સ એવા તમામ આરોપોને નકારે છે જે સંપૂર્ણપણે સિવિલ સ્વભાવના છે અને ૪ ઓક્ટોબર,૨૦૨૪ના રોજ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ,મુંબઈ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.
આ એક જૂનો વ્યવહાર છે, જેમાં કંપની નાણાકીય મુશ્કેલીમાં મુકાઈ ગઈ અને અંતે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ખાતે લાંબી કાનૂની લડાઈમાં ફસાઈ ગઈ હતી,એમ નિવેદનમાં જણાવાયું છે. એમાં કોઈ ગુનાહિત કૃત્ય સામેલ નથી અને અમારા ઓડિટરોએ આથક ગુના શાખા દ્વારા વિનંતી કરાયેલા તમામ જરૃરી સહાયક દસ્તાવેજો સમયાંતરે સબમિટ કર્યા છે, એમ વધુમાં કહ્યું હતું.









