Get The App

અનેક ભારતીયો પોતાની ભાષા જ બોલતા નથી એ મોટી વિટંબણા : ભાગવત

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
અનેક ભારતીયો  પોતાની ભાષા જ બોલતા નથી એ મોટી વિટંબણા : ભાગવત 1 - image

આપમી સંસ્કૃત ભાષા આપણે વિદેશીઓ પાસેથી શીખવી પડે છે  

અંગ્રેજી સાથે ભારતીય ભાષાના ઉપયોગથી  મૌલિક અભિવ્યક્તિ થતી નથીઃ આધ્યાત્મિક વકતાઓ પણ અંગ્રેજીમાં જ પ્રવચનો કરે છેે

નાગપુર: આરએસએસ ચીફ મોહન ભાગવતે શ્રી જ્ઞાનેશ્વરીના અંગ્રેજી ભાષાંતરની રજૂઆત સાથે  સંકળાયેલા નાગપુરમાં એક ભાષણ દરમ્યાન ભારતની પ્રાદેશિક ભાષાઓ અને માતૃભાષાના વપરાશમાં થતા ઘટાડા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભાષાકીય વિરાસતની વર્તમાન સ્થિતિની ટીકા કરતા જણાવ્યું કે આ ઘસારાને કારણે એવી સ્થિતિ બની છે કે ભારતીયો પોતાની જ ભાષામાં વાત નથી કરી રહ્યા. ભાગવતે ધ્યાન દોર્યું કે ઐતિહાસીક રીતે સંપર્ક માત્ર સંસ્કૃતમાં હતો. પણ તેનાથી વિપરીત આજે અનેક લોકોએ વિદેશીઓ પાસેથી સંસ્કૃત શીખવું પડે છે.

મોહન ભાગવતે જણાવ્યું કે આ સમસ્યા માત્ર અંગ્રેજી માધ્યમના શિક્ષણને કારણે નથી સર્જાઈ, પણ તેનાથી વિપરીત દેશમાં જ ભારતીય ભાષાઓમાં વાત કરવાની અનિચ્છા જ આ સમસ્યાને વધુ વકરાવે છે. ભાગવતે નોંધ કરી કે અંગ્રેજી સાથે માતૃભાષાનું મિશ્રણ કરવાથી આપણે મૌલિક ભાષાકીય અભિવ્યક્તિથી દૂર થઈ રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે આધ્યાત્મિક વક્તાઓપણ વધુને વધુ અંગ્રેજીમાં જ વાત કરી રહ્યા છે.

વધુમાં આરએસએસ ચીફે ઉદાહરણ તરીકે ભારતીય પૌરાણિક કથાઓના કલ્પવૃક્ષનો ઉપયોગ કરીને જટિલ ભારતીય વિચારો અને વિભાવનાઓને અંગ્રેજીમાં અનુવાદિત કરવાના પડકારો પર પ્રકાશ પાડયો હતો. ભાગવતે દલીલ કરી કે ભારતીય ભાષાઓની સમૃદ્ધિમાં સાંસ્કૃતિક બારીકાઈ સામેલ હોય છે જે ઘણીવાર ભાષાંતરમાં ખોવાઈ જાય છે. તેમણે આગ્રહ કર્યો કે મૌલિકતા અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવા બંને માટે ભારતીય ભાષાઓ જાળવવી મહત્વની છે.

ભારતીય આધ્યાત્મિક પરંપરાઓને ધ્યાનમાં રાખીને તેમણે વિવિધતામાં સમાવિષ્ટ એકતા વિશે ટિપ્પણી કરતા જણાવ્યું કે વિવિધ ભૌતિક ભિન્નતાઓ વચ્ચે આસ્થા એકીકૃત કરતું બળ છે. તેમણે એક દ્રષ્ટાની સમજશક્તિને યાદ કરી જેમણે કહ્યું હતું કે આધ્યાત્મિકતાનું કેન્દ્ર દિવ્યતાના પ્રકારની ચર્ચાથી પર છે. ભાગવતે ભગવદ્ ગીતાની સર્વગ્રાહી ફિલસુફી યાદ કરી જેમાં જ્ઞાન અને કર્મનું સંતુલન કરાયું છે. ભાગવતે તેને આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી પાંખ તરીકે ગણાવ્યા.

મોહન ભાગવતે જણાવ્યું કે શ્રી જ્ઞાનેશ્વરી જેવા પ્રાચીન ગ્રંથોને અંગ્રેજીમાં સમજવા અને અનુવાદિત કરવાથી વાચકો મૂળ ભાષાના ઊંડાણની કદર કરી શકશે. ભાગવતે એવો નિષ્કર્ષ રજૂ કર્યો કે ભિન્ન ભાષાઓ, રીત-રિવાજો અને પ્રથાઓ હોવા છતાં ભારતીયો સહિયારી આસ્થા અને અનુભવો દ્વારા એક છે, જેમાં વિવિધતામાં સુમેળભર્યા અસ્તિત્વનો પડઘો પડે છે.