Mumbai

મરાઠા ક્વોટા આંદોલનકારીઓનું મથક બન્યું આઇકોનિક સીએસએમટી

By GS TEAM
31 Aug 20252 mins read
મરાઠા ક્વોટા આંદોલનકારીઓનું મથક બન્યું આઇકોનિક સીએસએમટી

જાલના, બીડ, લાતુર, પરભણી, નાંદેડ, ઉસ્માનાબાદ (ધારાશીવ) જેવા વિસ્તારાથી આગમન

રાતવાસા માટે હેરિટેજ ઈમારતમાં આશરો લીધોઃ બીજા દિવસે મોટાભાગના આંદોલનકારીઓ શહેરની મુલાકાતે ઉપડયા

મુંબઈ -  દક્ષિણ મુંબઈમાં આવેલ પ્રતિષ્ઠિત છત્રપતિ શિવાજી મહારાજ ટમનસ ભારે ભીડથી ભરેલું હતું કારણ કે મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરંગેના સેંકડો સમર્થકોએ શુક્રવારે મોડી રાત્રે હડતાળના બીજા દિવસ માટે તૈયારી કરવા માટે ત્યાં આશ્રય લીધો હતો.

મરાઠા સમુદાય માટે અનામતની માગણી સાથે જરાંગેએ આજે  સવારે નજીકના આઝાદ મેદાનમાં અનિશ્ચિત સમય માટે ઉપવાસ શરૃ કર્યા છે.

મધ્ય રેલ્વેના મુખ્ય મથક તરીકે પણ સેવા આપતા આ વિશાળ રેલ્વે સ્ટેશન પર ઘણા પ્રદર્શનકારીઓએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કાર્પોરેશન પર શૌચાલયની સુવિધાઓ અને પાણી પુરવઠા સહિતની અન્ય સુવિધાઓ પૂરી ન પાડવાનો આરોપ લગાવ્યો હતો.

સીએસએમટીમાં આરામ કરી રહેલા ઘણા લોકોએ જણાવ્યું હતું કે નાગરિક ઉદાસીનતા ઉપરાંત, સવારથી મહાનગરમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

બુધવારે જાલના જિલ્લાના અંતરવાલી સારથીથી મોટાભાગના સમર્થકોએ જરાંગે સાથે મહાનગર તરફની યાત્રા શરૃ કરી હતી. તેમાંના મોટાભાગના મરાઠવાડાના બીડ, લાતુર, પરભણી, નાંદેડ અને ઉસ્માનાબાદ (ધારાશીવ) જેવા વિસ્તારોના છે.

તેમાંથી ઘાએ તે વાહનોમાં પણ આશરો લીધો જેમાં તેઓ અહીં આવ્યા હતા. આ વાહનો બીએમસી મુખ્યાલય નજીક મહાપાલિકા માર્ગ પર પાર્ક કરવામાં આવ્યા હતા.

સમર્થકોના જૂથો ખોરાક તૈયાર કરતા જોવા મળ્યા, જ્યારે અન્ય લોકો, ખાસ કરીને યુવાનો, દિવસની ઘટનાઓ વિશે માહિતી આપવા માટે ઘણા સો કિલોમીટર દૂરના પ્રિયજનોને વિડિઓ કાલ્સ કરતા હતા.

અગાઉ, સાંજે, ભારે વરસાદ વચ્ચે, જારંગેના કેટલાક સમર્થકો ગેટવે ઓફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, ક્રોફર્ડ માર્કેટ, ફેશન સ્ટ્રીટ,મેટ્રો સિનેમા અને નજીકના અન્ય વિસ્તારોમાં ફરતા જોવા મળ્યા હતા.

જરાંગેના આંદોલન સ્થળ સુધી પહોંચવા માટે ઘણા સો કિલોમીટરની મુસાફરી કર્યા પછી થાકેલા, તેઓ સીએસએમટી પરિસરમાં ક્યાં તો સબવે અને આસપાસ પાર્ક કરેલા વાહનોની અંદર આરામ કરતા જોવા મળ્યા.

તેઓએ આખો દિવસ જરાંગેનો ઉત્સાહ વધારતા વિતાવ્યો હતો, જેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સધી મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયને અનામત આપવાની જાહેરાત ન કરે ત્યાં સુધી તેઓ શહેર છોડીને નહીં જાય.

અધિકારીઓએ વિરોધ પ્રદર્શનને એક દિવસ લંબાવવાની મંજૂરી આપ્યા બાદ તેમાંથી ઘણા લોકોએ આઝાદ મેદાન તરફ જતા રસ્તાઓ પર નાચ્યા હતા. ઉજવણીને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામ પણ થયો હતો.

ભીડ પર નજર રાખવા માટે સીએસએમટી તેમજ અન્ય રેલ્વે સ્ટેશનો પર રેલવે પોલીસ, આરપીએફ, હોમગાર્ડ્સ અને મહારાષ્ટ્ર સુરક્ષા દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.