Get The App

મહાન સિતારવાદક અન્નપૂર્ણા દેવીનું મુંબઈમાં નિધન

Updated: Oct 13th, 2018

GS TEAM


Google News
Google News
મહાન સિતારવાદક અન્નપૂર્ણા દેવીનું મુંબઈમાં નિધન 1 - image

મુંબઇ, તા,13 ઓક્ટોબર 2018, શનિવાર

મહાન સિતારવાદક અને દંતકથારૂપ સંગીતકાર અન્નપૂર્ણા દેવીનું આજે શહેરની ખાનગી હોસ્પિટલમાં ૯૧ વર્ષની જૈફ વયે નિધન થયું હતું.

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ધુ્રવ તારક સમાન મહારથી ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન સાહેબની પુત્રી અને શિષ્યા મા અન્નપૂર્ણા દેવીના લગ્ન પંડિત રવિશંકર સાથે થયા હતા.

લાંબા સહજીવન બાદ પંડિત રવિશંકરે બીજા લગ્ન કર્યા હતા. ત્યાર પછી મહિયર ધરાણાના અન્નપૂર્ણા દેવીએ સ્વેચ્છાએ અજ્ઞાાતવાસ સ્વીકાર્યો હતો.

દક્ષિણ મુંબઈમાં તેમણે અનેક વર્ષો આ જ રીતે અજ્ઞાાતવાસમાં વીતાવ્યા હતા. સદ્ગતના ભાઈ અલીઅકબર ખાન સાહેબ મહાન સરોદવાદક છે. પંડિત નિખિલ બેનર્જી, હરિપ્રસાદ ચૌરસિયા, ઉસ્તાદ બહાદુર ખાન સહિત અનેક ખ્યાતનામ સંગીતકારોએ ગુરુમા અન્નપૂર્ણા દેવી પાસે સંગીતની તાલીમ લીધી હતી.

વોર્ડન રોડ પર 'આકાશગંગા' સ્થિતિ નિવાસ સ્થાને આજે તેમના અનેક શિષ્યો અન સંગીતકારો અંતમિદર્શન માટે પહોંચી ગયા હતા. ત્યાર બાદ ચંદનવાડી સ્મશાનગૃહમાં સદ્ગતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Tags :