Get The App

વિરારના માજી કમિશનર અનિલ પવારે ધરપકડને હાઈકોર્ટમાં પડકારી

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
વિરારના માજી કમિશનર અનિલ પવારે ધરપકડને હાઈકોર્ટમાં પડકારી 1 - image


ઈડડીને એક સપ્તાહમાં જવાબ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ

પુરાવા વિના ધરપકડ થઈ  અને ઈડીને મળેલી સંપત્તિ અન્ય સંબંધીઓની છે તેવી દલીલઃ આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

મુંબઈ -  વસઈમાં ગેરકાયદેસર બાંધકામ કૌભાંડમાં ઈડી દ્વારા ઝડપાયેલા વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કમિશનર અનિલ કુમાર પવારે પોતાની ધરપકડને હાઈકોર્ટમાં પડકારતાં હાઈકોર્ટે આગામી એક સપ્તાહમાં જવાબ રજૂ કરવા ઈડીને જણાવ્યું છે. આ કેસની વધુ સુનાવણી તા. ૩૦મી સપ્ટેમ્બરે થશે. 

         વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કમિશનર અનિલ કુમાર પવારની ૪૧  ગેરકાયદેસર ઇમારતોના કેસમાં મની લોન્ડરિંગ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે, મહાનગરપાલિકાના ભુતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર ઓફ અર્બન પ્લાનિંગ વાય. એસ. રેડ્ડી, ભૂતપૂર્વ કોર્પોરેટર સીતારામ ગુપ્તા અને તેમના ભત્રીજા અરુણ ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બધા આરોપીઓ ૧૩ ઓગસ્ટથી જેલમાં છે.

અનિલ કુમાર પવારે  પોતાની ધરપકડ પડકારતાં દલીલ કરી છે કે તેમની ધરપકડ  સત્તાનો દુરુપયોગ છે. તેમના ઘરે કરવામાં આવેલી તપાસમાં કોઈ રોકડ, દાગીના કે મિલકતના દસ્તાવેજો મળ્યા નથી. કેટલાક સંબંધીઓ પાસેથી મળેલી રોકડ તે સંબંધીઓની હતી.કોઈ નક્કર પુરાવા વિના ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં   અપ્રમાણસર સંપત્તિની તપાસ કરવાનો અધિકાર ભ્રષ્ટાચાર વિરાધી  બ્યુરો પાસે છે, ઈડી પાસે નથી.

ભૂતપૂર્વ કમિશનર અનિલ કુમાર પવાર, ભુતપૂર્વ શહેરી આયોજન નાયબ નિયામક વાય.એસ. આ બાંધકામકૌભાંડમાં રેડ્ડી, જમીન માફિયા સીતારામ ગુપ્તા, અરુણ ગુપ્તાની સજા બુધવારે પૂરી થઈ. જોકે, તેમને જામીન મળ્યા ન હતા. તેમની ન્યાયિક કસ્ટડી ૧૪ દિવસ માટે લંબાવવામાં આવી હતી. આ આરોપીઓ ૧૩ ઓગસ્ટથી કસ્ટડીમાં છે. દરમિયાન, વાય. એસ. રેડ્ડીને ફરીથી ઈ ડી દ્વારા ૬ દિવસ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તપાસ બાદ, તેમને ન્યાયિક કસ્ટડીમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે.


Tags :