Get The App

વિધાનમંડળના માજી કેશિયરને બેહિસાબી સંપત્તિના કેસમાં 10 વર્ષની જેલ

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
વિધાનમંડળના માજી કેશિયરને બેહિસાબી સંપત્તિના કેસમાં 10 વર્ષની જેલ 1 - image


આવક કરતાં વધુ મિલકત ધરાવવાના કેસમાં ચુકાદો

રૃ. ૫૨.૩૫ લાખની સરકારી ભંડોળની કથિત ઉચાપત  કરવાના કેસમાં કોર્ટે દયાભાવના  દાખવવા ઈનકાર કર્યો

મુંબઈ -  બેહિસાબી મિલકતના કેસમાં મહારાષ્ટ્ર વિધાનમંડળ સચિવાલયના ભૂતપૂર્વ કેશિયરને કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.

વિશેષ જજ બાંગરે મનોજ ગોએન્કાને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કસૂરવાર ઠેરવીને રૃ. ૫૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે. સરકારી પક્ષ અનુસાર ગોએન્કાએ સરકારી કર્મચારી તરીકે સરકારી ભંડોળની કથિત ઉચાપત કરીને માર્ચ ૧૯૯૧ અને ડિસેમ્બર ૨૦૦૪ દરમ્યાન આવક કરતાં વધુ મિલકત એકઠી કરી હતી.

૨૦૧૩માં કેસ નોંધીને એસીબીએ જણાવ્યું હતું કે પ્રથમિક તપાસમાં જણાયા અનુસાર આરોપીએ રૃ. ૭૦ હજારના ચલણમાંથી રૃ.૬૩ હજારની ઘાલમેલ કરી હતી. વધુ તપાસમાં રૃ. ૫૨,૩૫,૫૬૪ની વ્યાપક ગેરરીતિ પ્રકાશમાં આવી હતી.

બચાવ પક્ષે દલીલ કરી હતી કે ગોએન્કાનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી અને કોઈ કેસમાં સંડોવણી નહોવાથી લઘુતમ સજા આપવામાં આવે.  આરોપીએ  પત્ની અને બાળકો સહિત પરિવારની દેખભાળ ક રવાની છે અને જેલમાં નાખવાથી હાલાકી પડશે.

 કોર્ટે દયાભાવ અપનાવાનું કોઈ યોગ્ય કારણ નહોવાનું નોંધીને ગોએન્કાને દસ વર્ષની જેલની સજા ફટકારી હતી.


Tags :