મીરા ભાયંદરમાં 5 હજાર શ્વાન, બિલાડીઓને રેબિઝની રસી અપાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝુંબેશ
મીરા ભાયંદરમાં દર વર્ષે દોઢથી બે હજાર લોકોને શ્વાન કરડે છ
મુંબઈ - મીરા-ભાયંદરમાં રખડતા શ્વાન અને બિલાડીઓ માટે મીરા-ભાયંદર મહાનગરપાલિકાના પશુચિકિત્સા વિભાગ દ્વારા ખાસ રેબિઝ રસીકરણ અભિયાન હાથ ધરાશે. તેમાં ં લગભગ પાંચ હજાર પ્રાણીઓને રેબિઝની રસી અપાશે.
મીરા-ભાયંદરમાં દર વર્ષે લગભગ દોઢથી બે હજાર લોકોને શ્વાન કરડે છે. આ રસી આપ્યા પછી, શ્વાન કરડે તો પણ વધુ રેબિઝ થવાનું જોખમ ટાળી શકાય છે.મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું છે કે આ ખાસ રસીકરણ ઝુંબેશ મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના પશુચિકિત્સા વિભાગ અને એક ખાનગી સંસ્થા દ્વારા આ અભિયાન હાથ ધરાશે.
રસીકરણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રણ ટીમો અને સંસ્થાની છ ટીમો બનાવવામાં આવી છે. દરેક ટીમમાં પાંચ લોકો, એક ડાક્ટર, ત્રણ અસિસ્ટન્ટ અને એક માહિતી સંગ્રાહકનો સમાવેશ છે. તે મુજબ, વિવિધ ભાગોમાં રખડતા શ્વાનને રસી આપવામાં આવી રહી છે. તેવી જ રીતે, મ્યુનિસિપલ કોર્પોરેશનને માગણી કરનારા લોકોના રખડતા શ્વાન અને બિલાડીઓને પણ આ રસી આપવામાં આવી રહી છે.