ભૂતપૂર્વ ડીજીપી શુક્લાએ સુપરત અહેવાલમાં માહિતી
મુંબઈ - મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) રશ્મિ શુક્લાએ ૨૦૧૬માં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને ખોટા કેસમાં ફસાવવાના કથિત કાવતરા બદલ ભૂતપૂર્વ ટોચના પોલીસ અધિકારી સંજય પાંડે અને બે અન્ય લોકો સામે એફઆઈઆર નોંધવાની ભલામણ કરી હતી, એમ સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું.
આ અહેવાલો પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતાઓએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર દરમિયાન પોલીસ મહાનિર્દેશક રહેલા પાંડે કોના ઇશારે કામ કરી રહ્યા હતા તે શોધવા માટે સંપૂર્ણ તપાસની માંગ કરી છે.
૩ જાન્યુઆરીએ નિવૃત્ત થતાં પહેલાં, શુક્લાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના આધારે ગૃહ વિભાગને આ સંદર્ભમાં એક અહેવાલ સુપરત કર્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે તત્કાલીન ડીજીપી સંજય પાંડે, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ લક્ષ્મીકાંત પાટિલ અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સરદાર પાટિલ થાણે નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૨૦૧૬ના ખંડણીના કેસની ફરીથી તપાસ કરીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (જે તે સમયે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા) તેમ જ વર્તમાન ડેપ્યુટી સીએમ શિંદે (તે સમયે મંત્રી હતા)ને ફસાવવાના કાવતરામાં સામેલ હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું કે શુક્લાએ ભલામણ કરી હતી કે આ ત્રણ અધિકારીઓ સામે પ્રાથમિક માહિતી અહેવાલ નોંધવામાં આવે.


