મહેસૂલ વિભાગના ઇતિહાસમાં સૌથી મોટા કૌભાંડની કબૂલાત
સત્ર દરમિયાન મંત્રી બાવનકુલેની કબૂલાતઃસંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી
મુંબઈ - મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચાવી દે એવુ એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ખુદ મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ પોતે ગૃહમાં ચોંકાવનારી કબૂલાત કરી છે કે સૌથી મહત્વપૂર્ણ જમીન દસ્તાવેજ, ૭/૧૨(સાત-બાર)માં ફેરફાર કરીને એક થી દોઢ લાખ ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
મંત્રી બાવનકુળેએ ગૃહને ખાતરી આપી હતી કે સત્ર દરમિયાન સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, એમ કહીને કે મહેસૂલ અધિકારીઓએ મહારાષ્ટ્ર જમીન મહેસૂલ કાયદાની કલમ ૧૫૫નું ખોટું અર્થઘટન કરીને આ ગેરકાયદે આદેશો પસાર કર્યા હતા.
પુણે જિલ્લામાં કેટલાક મહેસૂલ અધિકારીઓએ જમીન મહેસૂલ કાયદાની કલમ ૧૫૫નો દુરુપયોગ કર્યો હતો અને જમીન માલિકીના હકોનું વિનિમય કર્યું હતું. ધારાસભ્ય અનિલ પરબે આ ગંભીર મુદ્દા પર ધ્યાન દોર્યા બાદ, મહેસૂલ વિભાગમાં મોટો ખળભળાટ મચી ગયો હતો. આ પછી, વિભાગીય કમિશનરની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. સમિતિનો અહેવાલ જાન્યુઆરીમાં આવ્યો હતો.
રિપોર્ટમાં મહેસૂલ વહીવટમાં ભ્રષ્ટ પ્રથાઓનો પર્દાફાશ થયો છે. ઘણા કિસ્સાઓમાં, મૂળ માલિકની સંમતિ વિના ૭/૧૨ માં ફેરફારો કરવામાં આવ્યા હતા. એવું બહાર આવ્યું છે કે સ્થાપિત હિતોનું રક્ષણ કરવા માટે ગેરકાયદેસર આદેશો અનિયમિત રીતે પસાર કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં બિન-કૃષિ (એનએ ) જમીન અને માલિકીના ટ્રાન્સફરના ઘણા કેસોમાં અનિયમિતતાઓ બહાર આવી છે.
જોડણી બદલવાના નામે ૭/૧૨માં ફેરફાર કરવામાં આવ્યો તે ગંભીર બાબત છે. મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ જાહેરમાં સ્વીકાર્યું કે આ મહેસૂલ વિભાગના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટું કૌભાંડ હોઈ શકે છે. મહેસૂલ મંત્રી બાવનકુલેએ શક્યતા વ્યક્ત કરી હતી કે આ કૌભાંડમાં લગભગ દોઢ લાખ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે
મહેસૂલ મંત્રી બાવનકુલે પોતે મહેસૂલ વિભાગમાં થયેલી ગેરરીતિઓ સ્વીકારી છે. શિવસેનાના(યુબીટી) ધારાસભ્ય અનિલ પરબે આક્રમક રીતે માંગ કરી હતી કે સંબંધિત અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે.


