ખાનગી બિન-શિક્ષણ કર્મચારીઓ વિશે હાઈ કોર્ટનો મહત્વનો ચુકાદો
સાંગલીની ખાનગી સ્કૂલના પટાવાળાના પુત્રની નોકરી નિયમના આધારે નકારવામાં આવી હતી
મુંબઈ - હાઈ કોર્ટે એક મહત્વના ચૂકાદો આપતા જણાવ્યું કે ખાનગી શાળામાં શિક્ષક કે બિન-શિક્ષણ કર્મચારીને ત્રણ બાળકો હોય તો પણ તેના સંતાનને તેના સ્થાને કરુણા રોજગારનો લાભ મળી શકે છે.
સાંગલીના સંજય ખાંડેકરે આ માટે અરજી દાખલ કરી હતી. તેમના પિતા ખાનગી સહાયિત શાળામાં પટાવાળા તરીકે કામ કરતા હતા. તેમના ત્રણ બાળકો છે. તેમના પિતાના મૃત્યુ પછી શાળાએ સંજયને કરુણાના ધોરણે નોકરી આપી હતી, પરંતુ શિક્ષણ અધિકારીએ તેમને મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો.
સંજય ખાંડેકરે તેમના નિર્ણયને પડકારતી અરજી કરી હતી. આ અરજીની સુનાવણી ન્યાયાધીશ મકરંદ કર્ણિક અને અજિત કડેઠંકર સમક્ષ થઈ હતી. ત્રણ બાળકો ધરાવતા કર્મચારીના પુત્રને કરુણા રોજગારનો લાભ આપી શકાય નહિ એવો નિયમ રાજ્ય સરકારે બનાવ્યો છે. તેથી શિક્ષણ વિભાગે દાવો કર્યો હતો કે સંજયના પ્રસ્તાવને મંજૂરી આપી શકાતી નથી.
જો કે સંજયના વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું કે વહીવટીતંત્રએ પોતે માહિતી અધિકારમાં સ્વીકાર્યું છે કે આ નિયમ ખાનગી શાળાઓમાં શિક્ષકો અને બિન -શિક્ષણ કર્મચારીઓને લાગુ પડતો નથી. તેની નોંધ લેતા કોર્ટે સંજયની માગણી સ્વીકારી અને તેને લાભ આપવાનો આદેશ આપ્યો.


