બદરીનાથ-કેદારનાથનાં ટેમ્પલ બોર્ડનો નિર્ણય
કંગનાની સલાહઃ સારા સનાતની જ છે, તેણે સત્ય લખતાં ગભરાવું ન જોઈએ
મુંબઇ -કેદારનાથ ધામ સારા અલી ખાનનું પસંદગીનું સ્થળ છે. તેણે કેદારનાથ ટ્રેજેડી પર બનેલી ફિલ્મમાં સુશાંતસિંહ રાજપૂત સાથે કામ પણ કર્યું હતું અને તે વર્ષમાં એકથી વધુ વખત કેદારનાથ-બદરીનાત જતી આવતી હોય છે. પરંતુ, હવે સારા અલી ખાને આ યાત્રાધામોમાં પ્રવેશ માટે તે સનાતની હોવાનું સર્ટિફિકેટ આપવું પડશે.
બદરીનાથ-કેદારનાથ સહિતના આસપાસનાં ં૪૦થી વધુ મંદિરોનું સંચાલન કરતાં ટેમ્પલ બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર આ મંદિરોમાં પ્રવેશ પહેલાં કોઈપણ દર્શનાર્થીએ પોતે સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવે છે તેવી એફિડેવિટ આપવી પડશે. શું સારા અલી ખાને પણ આ એફિડેવિટ કરવી પડશે તેવા સવાલનો જવાબ આપતાં મંદિર સંચાલકોએ કહ્યું હતુ ંકે આ નિયમમાં કોઈ અપવાદ નહિ હોય.
ટેમ્પલ બોર્ડના આ નિર્ણયથી વિવાદ પણ થયો છે અને તેેને બંધારણ વિરુદ્ધનો ગણાવાયો છે. દરમિયાન, એકટ્રેસ અને સાંસદ કંગના રણૌતને આ વિશે પૂછાતાં તેણે કહ્યું હતું કે અહીં બધા સનાતની જ છે, સારા પણ સનાતની છે. તેણે સત્ય લખતાં ગભરાવું ન જોઈએ.


