શિર્ડીમાં 5 વર્ષ બાદ ફરી વિદેશી ચલણમાં દાનની મંજૂરી
કેન્દ્ર સરકારે મંદિર ટ્રસ્ટને મંજૂરી આપી
કોવિડ-કાળમાં બંધ થયા બાદ છેક હવે મંજૂરી, તિજોરીનાં વિદેશી ચલણનો ઉપયોગ કરી શકાશ
મુંબઈ - દેશના સૌથી સમૃદ્ધ મંદિરોમાંના એક શિર્ડીના સાઈબાબા મંદિરને વિદેશી ચલણમાં દાન સ્વીકારવાની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે.
વિદેશી ચલણમાં દાન સ્વીકારવા પર ૨૦૨૧માં કોવિડ કાળ દરમ્યાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે કેન્દ્રના ગૃહ મંત્રાલય તરફથી વિદેશી ચલણમાં દાન સ્વીકારવાની છૂટ આપવામાં આવી છે. આ પરવાનગીને પગલે શિર્ડી સાઈ સંસ્થાનની તિજોરીમાં જે વિદેશી ચલણ પડયું છે તે ઉપયોગમાં લાવી શકશે.
શિર્ડી સાઈબાબાના દેશ-વિદેશમાં વસતા ભક્તો તરફથી કરોડો રૃપિયાનું દાન આપવામાં આવે છે. રોકડ રકમ ઉપરાંત સોના-ચાંદીની ભેટવસ્તુઓ આપવામાં આવે છે. દર વર્ષે થતી કરોડોની દાનની વર્ષા તેમજ ફિક્સ-ડિપોઝીટમાં મૂકેલી કરોડોની રકમ પરના વ્યાજ, સંસ્થાનની માલિકીની જગ્યાના ભાડાં અને બીજી આવક ગણીએ તો સંસ્થાને દર વર્ષે લગભગ ૮૦૦ કરોડની આવક થાય છે. સંસ્થાના ખજાનામાં ૪૫૦ કિલોગ્રામ સોનું ઁઅને ૬ હજાર કિલો ચાંદી છે.