કાગળ પર મોબાઈલ પાસવર્ડ અને થેન્કસ એવરીવન લખી ડોક્ટરનો આપઘાત
પુણેમાં ફરજ બજાવતા ભાવનગરના ડોક્ટરે જીવન ટૂંકાવ્યું
રાતે રુમ પાર્ટનરે બેલ વગાડી પણ જવાબ ન મળ્યો, ગાર્ડને બોલાવી દરવાજો ખોલતાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યા
મુંબઈ - મૂળ ભાવનગરના ૨૮ વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર શ્યામ વોરાએ પુણેની હોસ્ટેલના રૃમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પુણેની હોસ્ટેલમાં નોકરી કરતા ડોક્ટરે ચીઠ્ઠીમાં તેમના મોબાઈલ ફોનનો પાસવર્ડ, થેન્કસ એવરીવન લખીને અંતિમ પગલું ભર્યું હતું. પોલીસ પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકી નથી.
ોરેગાવ પાર્ક પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સુનિલ થોપટેએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'મૂળ ભાવનગરના ડો. શ્યામ વોરા (ઉં.વ.૨૮) પુણેની રુબી હોલ ક્લિનિકના રેડિયોલોજી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે કામ કરતા હતા. તેમના લગ્ન થયા નહોતા. પરિવારમાં માતા, પિતા, બે બહેનનો સમાવેશ છે. બંને બહેનના લગ્ન થઈ ગયા હતા.
પુણના ઢોળે પાટીલ રોડ પર હોસ્ટેલમાં ડો. શ્યામ અન્ય ડોક્ટર સાથે રહેતા હતા. ગઈકાલે રાતે અંદાજે ૧૦ વાગ્યે તેમના રૃમ પાર્ટનર ઘણીવાર બેલ વગાડીહતી. પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો. આથી સિક્યુરિટી ગાર્ડને આ બાબતની જાણ કરી હતી. સિક્યુરિટી ગાર્ડની મદદથી દરવાજો ખોલીને તપાસ કરતા રૃમમાં ડો. શ્યામનો મૃતદેહ પંખા સાથે ગળાફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવની પોલીસને માહિતી આપવામાં આવી હતી.
'પોલીસે ઘટનાસ્થળે એક ચીઠ્ઠી મળીહતી એમાં મોબાઈલ ફોનનો પાસવર્ડ યુપીઆઈ નંબર અને થેન્કસ એવરીવન લખેલું હતું. જોકે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. તેઓ કંઈ બાબતથી હતાશામાં હતા એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે મૃતકના મોબાઈલ ફોનના રેકોર્ડ સાથીદાર, પરિવાર, સંબધીની પૂછપરછ કરી વધુ તપાસ આદરી છે.
ડો. શ્યામનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે. તેમની અંતિમવિધિ ભાવનગરમાં કરવામાં આવશે, એમ સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સુનિલ થોપટેએ વધુમાં કહ્યું હતું.