Mumbai

શ્રાવણ મહિનામાં શાકભાજીના ભાવ ઘટતા ગ્રાહકોને રાહત

By GS Team
18 Aug 20211 min read
This article was originally published on 18 Aug 2021
શ્રાવણ મહિનામાં  શાકભાજીના  ભાવ ઘટતા ગ્રાહકોને રાહત

નવી મુંબઇની જથ્થાબંધ બજારમાં રોજ 840 ટ્રક ભરીને શાક આવે છે

મુંબઇ :  સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં શાકાહારીઓનું પ્રમાણ વધતં હોવાથી લીલા શાકભાજીના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે શાકની કિંમત વધવાને બદલે ઘટવા માંડતા ગ્રાહકોએ રાહત અનુભવી છે.

નવી મુંબઇની જથ્થાબંધ ભાજીપાલા માર્કેટમાં શાકભાજીની આવક ખૂબ જ વધવાને કારણે કિંમત ઘટવા માંડી છે. ભિંડા, લીલા મરચાં, પાપડી,  રિંગણા, સિમલા મરચાં, વટાણા વગેરે શાકભાજીના ભાવમાં કિલોદિઠ લગભગ ૧૦ રૃપિયાનો ઘટાડો થયો છે. જથ્થાબંધ માર્કેટમાં શાકભાજીના કિલોના ભાવ આ પ્રમાણે છે. ટમેટા ૮ રૃપિયા, કાકડી ૮થી ૧૦ રૃપિયા, ભિંડા ૪થી ૮ રૃપિયા, દૂધી ૮થી ૧૦ રૃપિયા, રિંગણા ૧૦ રૃપિયા, ફ્લાવર ૬ રૃપિયા, કારેલા ૧૦ રૃપિયા, મેથીની જુડી ૧૦ રૃપિયા, કોથમીરની જુડી ૮ રૃપિયાના ભાવે જથ્થાબંધ બજારમાં વેંચાય છે.

કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં દરરોજ લગભગ ૮૪૦ ટ્રક ભરીને શાકભાજીની આવક થવા માંડી છે.