For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શ્રાવણ મહિનામાં શાકભાજીના ભાવ ઘટતા ગ્રાહકોને રાહત

Updated: Aug 18th, 2021

Article Content Image

નવી મુંબઇની જથ્થાબંધ બજારમાં રોજ 840 ટ્રક ભરીને શાક આવે છે

મુંબઇ :  સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં શાકાહારીઓનું પ્રમાણ વધતં હોવાથી લીલા શાકભાજીના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે શાકની કિંમત વધવાને બદલે ઘટવા માંડતા ગ્રાહકોએ રાહત અનુભવી છે.

નવી મુંબઇની જથ્થાબંધ ભાજીપાલા માર્કેટમાં શાકભાજીની આવક ખૂબ જ વધવાને કારણે કિંમત ઘટવા માંડી છે. ભિંડા, લીલા મરચાં, પાપડી,  રિંગણા, સિમલા મરચાં, વટાણા વગેરે શાકભાજીના ભાવમાં કિલોદિઠ લગભગ ૧૦ રૃપિયાનો ઘટાડો થયો છે. જથ્થાબંધ માર્કેટમાં શાકભાજીના કિલોના ભાવ આ પ્રમાણે છે. ટમેટા ૮ રૃપિયા, કાકડી ૮થી ૧૦ રૃપિયા, ભિંડા ૪થી ૮ રૃપિયા, દૂધી ૮થી ૧૦ રૃપિયા, રિંગણા ૧૦ રૃપિયા, ફ્લાવર ૬ રૃપિયા, કારેલા ૧૦ રૃપિયા, મેથીની જુડી ૧૦ રૃપિયા, કોથમીરની જુડી ૮ રૃપિયાના ભાવે જથ્થાબંધ બજારમાં વેંચાય છે.

કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં દરરોજ લગભગ ૮૪૦ ટ્રક ભરીને શાકભાજીની આવક થવા માંડી છે.


Gujarat