Get The App

બોરીવલી, કાંદિવલીમાં 25 અનધિકૃત બાંધકામો, 35 અનધિકૃત સ્ટોલ પર બુલડોઝર

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
બોરીવલી, કાંદિવલીમાં 25 અનધિકૃત બાંધકામો, 35 અનધિકૃત સ્ટોલ પર બુલડોઝર 1 - image

લગભગ 50 અધિકારીઓ અને કર્મચારીઓએ ૩ જેસીબી, પાંચ ડમ્પર નો સમાવેશ 

મુંબઈ -  મુંબઈ મહાનગરપાલિકાએ અનુજીત બાંધકામો અને ફેરિયાઓને હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે તેના અંતર્ગત બી એમ સીના આર સેન્ટ્રલ વિભાગ દ્વારા બોરીવલી (પશ્ચિમ) અને કાંદિવલી (પશ્ચિમ) ના મહાવીર નગર વિસ્તારોમાં કુલ ૨૫ અનધિકૃત બાંધકામો અને ૩૫ અનધિકૃત સ્ટોલ હટાવવામાં આવ્યા હતા, એમ બી એમ સી ના અધિકારીએ જણાવ્યું હતું

 આ કાર્યવાહી ડેપ્યુટી કમિશનર (ઝોન ૭)  સંધ્યા નાંદેડકરના માર્ગદર્શન હેઠળ અને આસિસ્ટન્ટ કમિશનર (આર સેન્ટ્રલ ડિવિઝન) ડા. પ્રફુલ્લ તાંબેના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે અતિક્રમણ દૂર કરવા, ઇમારતો અને કારખાનાઓ અને ઘન કચરા વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે આ ઝુંબેશ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં લગભગ ૫૦ અધિકારીઓ અને કર્મચારીઓએ ૩ જેસીબી, પાંચ ડમ્પર નો સમાવેશ થાય છે. આ સમયે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ હતો.

      આ કાર્યવાહીથી નાગરિકો માટે રસ્તાઓ અને જાહેર જગ્યાઓ ખાલી થઈ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે અનધિકૃત બાંધકામો, અનધિકૃત ફેરિયાઓ વગેરે સામે ખાલી કરાવવાની કાર્યવાહી ચાલુ રહેશે.