Get The App

બોયકોટ તુકીર્યે ! વેપારી, ટૂર ઓપરેટરો અને પ્રવાસીઓનો પણ મક્કમ નિર્ધાર

Updated: May 15th, 2025

GS TEAM


Google News
Google News
બોયકોટ તુકીર્યે ! વેપારી, ટૂર ઓપરેટરો અને પ્રવાસીઓનો પણ મક્કમ નિર્ધાર 1 - image


- 6 જ દિવસમાં 50 ટકાથી વધુ બૂકિંગ રદ 

- ટૂર ઓપરેટરો કોઈ ઈન્કવાયરી કરે તો પણ ના પાડી દે છેઃ તુર્કીયેના અર્થતંત્રને જબ્બર ફટકો પડશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ : ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાનને શસ્ત્રો  સહિતની મદદ કરનારા તુર્કીયેને  પાઠ શીખવવા ભારતભરના નાગરિકો, વેપારીઓએ અને મુંબઈ ગુજરાતના ગુજરાતીઓએ કમર કસી લીધી છે. એ અનુસાર મુંબઈ સહિત મહારાષ્ટ્રના ટુર ઓપરેટરો પછી હવે રાજ્યના વેપારી સંગઠનોએ બાયકોટ તુર્કીયેની જાહેરાત કરી છે. મુંબઈના અનેક ટૂર  ઓપરેટરોએ તુર્કીયેની ટ્રીપ રદ કરવા માંડી છે. અનેક ગુજરાતી પ્રવાસીઓએ પણ પોતાનાં બૂકિંગ કેન્સલ કરાવ્યાં છે. 

મહારાષ્ટ્રના વેપારીઓએ તુર્કીયેથી આયાત કરાયેલા માલનો બહિષ્કાર કર્યો છે, અને આથક મોરચે તુર્કીને જવાબ આપવાની જાહેરાત કરી છે. ત્યારે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ટીએએઆઈ)ના તુર્કીયે-અઝેરબઈઝાનનો બોયકોટ કરવાના નિર્ણયને મુંબઈ ટુર- ટ્રાવેલ્સ એજન્સીઓએ સમર્થન આપ્યું છે. 

ભારત સાથેના સંઘર્ષમાં પાકિસ્તાનને ટેકો આપ્યા બાદ સેંકડો ગુજરાતીઓ પણ પ્રવાસીઓ તુર્કી અને અઝરબૈજાનની મુલાકાત લેવાની યોજનાઓ રદ કરી રહ્યા છે. દાદરના રહેવાસી ભરત સોલંકીએ ગુજરાત સમાચારે જણાવ્યું હતું કે 'તુર્કી યેદેશ ફરવા માટે, જોવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે. મને પરિવારની સાથે તે જોવાની ખૂબ જ ઈચ્છા હતી. તુર્કીમાં જ્યારે ધરતીકંપ  થયો હતો ત્યારે ભારત તરફથી તુર્કીને પ્રથમ મદદ આપવામાં આવ્યો હતો. પરંતુ તુર્કીયે એ પાકિસ્તાની તરફેણ કરી એટલે અમે મનોમન વિચારી લીધું હતું કે આજ પછી હું કે મારો પરિવાર જ તુર્કીનો પ્રવાસ કરીશું નહીં. એટલે અમારો પ્લાન બનાવતાં પહેલા જ રદ કર્યો છે.

વિદ્યાવિહારમાં રહેતા હરેશભાઈએ કહ્યું કે 'હું અને મારો પરિવાર મે મહિનામાં વેકેશન હોવાથી ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ હવે એ રદ કરી દીધો છે.' ટૂર સંચાલક  શૈલેષ દવેએ ગુજરાત સમાચારે જણાવ્યું હતું કે 'અમે તુર્કીની બધી ટુર રદ કરી દીધી છે. કોઈ ને જવું હોય તો પણ અમે ના પાડી દઈએ છીએ. 

તુર્કીયેને ભારે નુકસાન થશે..

તુર્કીના વધતા બોય કોટના કારણે ટ્રાવેલ ઓપરેટરો દ્વારા ટૂર પેકેજો રદ કરવાના કારણે આ દેશોના કુલ ૫૦ ટકાથી વધુ બુકિંગ માત્ર છ દિવસમાં રદ કરવામાં આવ્યા છે. અંદાજે તુર્કીમાં ૨૨ ટકાથી વધુ અને અઝરબૈજાનમાં ૩૦ ટકાથી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે.

વર્ષ ૨૦૨૪ માં ૨.૭૫ લાખ ભારતીયોએ પર્યટન માટે તુર્કીનો પ્રવાસ કર્યો હતો. તુર્કીમાં ભારતીયોનુંસરેરાશ રોકાણ ૭-૧૦ દિવસનું  હતો. એકંદરે, ભારતીયો તુર્કીના અર્થતંત્રમાં વાષક રૂ. ૧,૦૦૦ કરોડનું યોગદાન આપે છે. એથી ટ્રાવેલર કંપનીઓએ તુર્કીને આથક ફટકો આપવા કમર કસી લીધી છે.

Tags :