અશોક ધોડી હત્યા કેસમાં 3 આરોપી સામે ધરપકડ વોરન્ટ જારી
દહાણુના હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસની નિક્રીયતા પર સવાલ
શિંદે સેનાના નેતાની હત્યા કરનારો ભાઈ સહિતના આરોપીઓ ફરાર ઃ૨૧ જૂન સુધીમાં હાજર રહેવા ફરમાન
મુંબઈ - અગ્રણી રાજકીય હસ્તી અશોક રમણ ધોડીની હત્યાના હાઈ પ્રોફાઈલ કેસમાં ત્રણ મુખ્ય શકમંદ સામે દહાણુ મેજિસ્ટ્રેટ કોર્ટે ધરપકડનું વોરન્ટ જારી કર્યું છે. હત્યાના છ મહિના વિતી ગયા છતાં આરોપીઓ ફરાર હવાથી પોલીસ તપાસની અસકારકતા પર સવાલ થઈ રહ્યા છે.
કેસની વિગત અનુસાર માથાડી સેનાના દહાણુ તાલુકા એકમના પ્રમુખ અને શિંદે જૂથમાં સંકળાયેલા અશોક ધોડી ૨૦ જાન્યુઆરી ૨૦૨૫થી ગુમ હતા. તેમને દહાણુ રેલવે સ્ટેશનેછી પાછા બોરડી બોરીગાંવ રોડ પરથી ઘરે આવતા જોવા મળ્યા હતા. તેમની કાર દહાણુમાં પાર્ક કરાયેલી હતી.બીજા દિવસે તેમના ચપ્પલ, ચશ્મા, કારના તૂંટેલા કાંચ બોરીગાવ ડોંગરીપાડા પાસે મળ્યા હતા. પરિવારની વારંવારની વિનંતી છતાં આઠ દવિસ બાદ અહરણનો કેસ નોંધાયો હતો. ૩૧ જાન્યુઆરીએ ધોડીનો કોહવાયેલો મૃતદેહ કારની ટ્રન્કમાંથી મળ્યો હતો. કાર ગુજરાતના સરીગામમાં નિર્જન ખાણમાં ત્યજી દેવાઈ હતી.
પોલીસે ચાર શકમંદને પકડયા હતા. જેમાં મૃતકના ભાઈ અવિનાશ ધોડી પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયો હતો. ૨૧ જૂન ૨૦૨૫ સુધીમાં હાજર રહેવા ત્રણે આરોપી સામે ૨૯ મે ૨૦૨૫ના રોજ વોરન્ટ જારી કરાયું હતું. પોલીસે વોરન્ટ બજાવ્યા સામે ગંભીર શંકા વ્યક્ત કરાતી હતી ખાસ કરીને જ્યારે અવિનાશ ધોડી ફરાર છે.
આરોપીઓમાં અવિનાશ ઉપરાંત, મનોજ રાજપુત, આશિષ ધોડી-પટેલનો સમાવેશ થાય છે. અવિનાશ પાલઘરમાં જ્યારે રાજપુત ગુજરાતમાં વલસાડ તાલુકાના ઉમરગામનો રહેવાસી છે જ્યારે રમુભાઈ પણ ઉમરગામનો રહેવાસી છે.
ધોડી પરિવારે જાહેરમાં અવિનાશ ધોડી પર શક્તિશાળી દારુ માફિયા કિંગપિન હોવાનો અને પોલીસ સાથે સાઠગાંઠ હોવાનો આરોપ કર્યો હતો. આને લીધે ધરપકડથી બચ્યો છે. ગામવાસીઓએ પોલીસ સામે નિષ્ક્રિય રહેેવા બદલ આંદોલન કર્યું હતું.