Get The App

વાહનની ટક્કરે પશુ મરી જાય તો બેદરકારીથી મોતની કલમ ના લાગે

Updated: Jan 5th, 2023

GS TEAM


Google News
Google News
વાહનની ટક્કરે પશુ મરી જાય તો બેદરકારીથી મોતની કલમ ના લાગે 1 - image


મૂક જીવ પરિવારના સભ્ય સમાન પણ મનુષ્ય નથી જ : હાઈકોર્ટ

બાઈક હેઠળ શ્વાનના મોતના કેસમાં બદલ ફૂડ ડિલિવરી બોય સામેની આઈપીસીની કલમો રદઃ પોલીસના પગારમાંથી  વળતર ચૂકવવા આદેશ

મુંબઈ :   જે અકસ્માતમાં પશુ ભોગ બન્યો હોય એવા કેસમાં બેદરકારીથી વાહન ચલાવીને જીવને જોખમમાં મૂકવાની ભારતીય દંડ સંહિતાની કલમ લાગુ થતી નથી, એમ ઠેરવીને બોમ્બે હાઈ કોર્ટે ફૂડ ડિલિવરી કરનારા યુવાનને મોટી રાહત આપી છે. અમુક લોકો માટે મૂક જાનવરો પરિવારના સભ્ય સમાન હશે પણ તેઓ મનુષ્યજીવ  નથી, એવો મહત્ત્વપૂણ ચુકાર્દો બોમ્બે હાઈ કોર્ટે આપ્યો છે.

લોકડાઉન દરમ્યાન ટુ વ્હીલરના અકસ્માતમાં એક ભટકતા શ્વાનનું મોત થયું હતું. પોલીસે આરોપી યુવક સામે આઈપીસી ૨૭૯ એટલે કે બેદકારી ભર્યાં જોખમી ડ્રાઇવિંગ તથા ૩૩૭ એટલે કે બેદરકારીથી કોઈનું મોત નીપજાવવાની કલમો દાખલ કરી હતી. આ આરોપમાંથી હાઈ કોર્ટે ડિલિવરી બોયને દોષમુક્ત કર્યો છે. આ ઉપરાંત પ્રકરણમાં આઈપીસી કલમ  ખોટી રીતે લાગુ ક રવા બદલ પોલીસ ઈન્સ્પેક્ટરને ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. 

માનસ ગોડબોલે નામનો એન્જિનયરિંગની શાખાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ લોકડાઉનમાં પાર્ટટાઈમ ફૂડ ડિલિવરી કરનારી એક મોબાઈલ એપ માટે કામ શરૃ કર્યું હતું. ૧૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ રાત્રે આઠ વાગ્યાના સુમારે પોતાના કામ પર જઈ રહ્યો હતો ત્યારે મરીન ડ્રાઈવ પરીસરમા ંગરવારે ચોક પર અચાનક માનસની બાઈક સામેથી શ્વાન પસાર થતાં તેને બચાવવા જતાં બ્રેક મારી હતી આથી બાઈક સાથે તે  ફસડાઈ પડયો હતો. અકસ્માતમાં એક રખડૂં શ્વાસને ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું. એ સમય રખડૂ શ્વાનોને ભોજન આપનારા શ્વાનપ્રેમીએ પોલીસ ફરિયાદ કરી હતી.

પોલીસે આ પ્રકરણે તાત્કાલકિ ગુનો નોંધીને માનસ પર બેદરકારીથી વાહન ચલાવવા, માનવીય જીવને જોખમ ઊભું કરવા, મૂક પ્રાણીની હત્યા સહિત મોટર વાહન કાયદાની કલમો તેમ જ પ્રાણી અત્યાચાર પ્રતિબંધ કાયદા અનુસાર ગુનો દાખલ કર્યો હતો.

ગુનો રદ કરવા માનસે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર હાલમા ંજ ન્યા. રેવતી મોહિતે-ઢેરે અને ન્યા. પૃથ્વીરાજ ચવ્હાણની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી. બનાવ ે આરોપી  યુવાન એ સમયે ૧૮ વર્ષનો હતો. આ એક અકસ્માત હતો જે હેતુપૂર્વક થયેલો નહોતો. આથી શ્વીનનને ગાડી નીચે કચડાવવાનો કોઈ હેતુ નહોતો. અકસ્માતમાં જખમી મૂક જાનવરનું મૃત્યુ થાય એ દયનીય બાબત છે, પણ એના માટે સ્કૂટરસવારને  જ દોષિત ગણાવીને આઈપીસીની ગંભીર કલમ લાગુ કરવી યોગ્ય નથી એવી દલીલ થઈ હતી. 

મુંબઈ પોલીસના તપાસ અધિકારી લાગુ કરાયેલી કલમો  પુરવાર કરી શક્યા નથી.  આથી કાયદાના રક્ષક તરીકે પોલીસે એકાદો ગુનો દાખલ કરતી વખતે ભવિષ્યમાં દાખલ કરવામાં આવનારા આરોપપત્રનો પણ વિચાર કરવો જરૃરી છે.એવી નોંધ કરીને આરોપી યુવાન વિરુદ્ધનો ગુનો રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં રાજ્ય સરકારે તેને નુકસાન ભરપાઈ પેટે રૃ. ૨૦ હજાર આપવાનો પણ આદેશ આપ્યો છે. આ રકમ  ગુનો નોંધનારા તપાસ અધિકારીના પગારમાંથી વસૂલ કરવાનો આદેશ કોર્ટે આપ્યો છે.


Tags :