Get The App

અનંત-રાધિકાનાં લગ્ન પૂર્વે મ્યુઝિક, ક્યુઝિન અને ભારતીય કળાનો જલસો

Updated: Feb 29th, 2024

GS TEAM


Google News
Google News
અનંત-રાધિકાનાં લગ્ન પૂર્વે મ્યુઝિક, ક્યુઝિન અને ભારતીય કળાનો જલસો 1 - image


- વિશ્વના બિઝનેસ, પોલિટિક્સ, એન્ટરટેઈનમેન્ટનાં  દિગ્ગજો અંબાણી પરિવારના અતિથિ બનશે

- માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, ઈવાન્કા,  સુંદર પિચાઈ, રિચાર્ડ હિલ્ટન  સહિતના વિશ્વના અનેક સીઈઓ, બિઝનેસ લીડર્સની હાજરી

- અમિતાભ, શાહરુખ, આમિર, અક્ષય, રણબીર, આલિયા, કેટરિના, અનિલ કપૂર , માધુરી સહિતના સિતારાઓ ઉપસ્થિત રહેશે

- ગ્રામજનોનું સ્વાગત કરી રહેલો અંબાણી પરિવાર

- ભોજન પિરસતાં અનંત અને રાધિકા

- ત્રણ દિવસ જુદી જુદી થીમ, ખાસ ડ્રેસ  કોડ અપાયા

મુંબઈ : રિલાન્યસ ઉદ્યોગ સમૂહના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી તથા ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટનાં દીકરી રાધિકા મર્ચન્ટનાં આગામી જુલાઈ મહિનામાં મુંબઈ ખાતે યોજાનારા ભવ્ય લગ્નસમારોહની છડી પોકારાવા રુપે તા. પહેલી માર્ચથી ત્રણ દિવસ સુધી જામનગરમાં ગ્લોબસ મ્યુઝિક, ક્યુઝિન અને ભારતીય કળાઓના જલસા રુપે પ્રસંગો યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે ફેસબૂકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ,  બિલગેટ્સ, સુંદર પિચાઈ,રિચાર્ડ હિલ્ટન સહિત વિશ્વના ધુરંધર મલ્ટીલ્શનલ્સના સીઈઓ, વિવિધ દેશોના ઉચ્ચ સત્તાધારીઓ, વૈજ્ઞાાનિકો, શિક્ષણવિદ્દો ઉપરાંત બોલીવૂડના લગભગ તમામ ટોચના સિતારાઓ, સ્પોર્ટસપર્સન્સ સહિત આશરે એક હજાર જેટલા વિખ્યાત મહાનુભવો હાજરી આપવાના છે. આ પ્રસંગ અંબાણી પરિવાર માટે ઉજવણી ઉપરાંત ભારતના સોફ્ટ પાવરની ઝાંખી કરાવનારો પણ બની રહેશે. 

અનંત અને રાધિકાની  સગાઈ થઈ રહી હોવાની જાહેરાત  અંબાણી પરિવારે ડિસેમ્બર ૨૦૨૨માં રાજસ્થાનના શ્રીનાથદ્વારા ખાતે કરી હતી. તે પછી ૧૬મી જાન્યુઆરીએ તેમની સગાઈની વિધિ યોજાઈ હતી. હવે તા.  આગામી ૧૨મી જુલાઈએ તેમનાં લગ્નનો ભવ્ય સમારોહ મુંબઈમાં યોજાવાનો છે. પરંતુ, આ લગ્નની ઉજવણી ચાર મહિના આગોતરી જ શરુ થઈ ગઈ છે. 

અંબાણી પરિવાર આ પ્રસંગો જામનગરમાં રિલાયન્સ ગ્રીન્સ સંકુલમાં યોજી રહ્યો છે. તે માટે દેશવિદેશના મહાનુભવો જામનગર આવી રહ્યા છે. આ પ્રસંગોની તૈયારીઓ માટે રણબીર અને આલિયા આ પહેલાં જ જામનગર   આવ્યાં હતાં અને જાહ્નવી કપૂર આજે જ જામનગર પહોંચી હતી. હજુ બીજા પણ મહાનુભવો આજે અને આવતીકાલે જામનગર પહોંચી રહ્યા છે અને જામનગરમાં તૈયારીઓનો ધમધમાટ આ પહેલાં જ ચાલુ થઈ ચૂક્યો છે. 

જામનગરમાં આ ત્રણ દિવસ દરમિયાન આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કલાકારોનાં પરફોર્મન્સ યોજાશે, મ્યુઝિક, ડાન્સ, બીજી કળાઓનું નિદર્શન કરાશે. દેશવિદેશની  સેંકડો પ્રકારની વાનગીઓની મિજબાની થવાની છે. આ પ્રસંગોમાં મહેમાન બનનારા મહાનુભવો ભારતીય લગ્ન પરંપરાઓ, ભારતીય ભોજન, સાંસ્કૃતિક ઉજવણીઓ, કળાઓને માણશે. સાથે સાથે જામનગરમાં અનંત અંબાણી દ્વારા પ્રકૃતિ અને વન્ય પ્રાણી સંરક્ષણ તથા જતન માટે થયેલા પ્રયાસોની ઝાંખી પણ મેળવશે. ત્રણેય દિવસના પ્રસંગની સૌથી વિશેષ સેરિમની રુપે જામનગર રિલાયન્સ કેમ્પસના મંદિર સંકુલમાં ખાસ હસ્તાક્ષર વિધિ યોજાશે. 

મહેમાનોના ડાયેટરી  પ્લાન પ્રમાણે 2500 પ્રકારનાં વ્યંજન 

લગ્ન પૂર્વેની ઉજવણીમાં વિશ્વની ટોચની કંપનીઓના સીઈઓ, મનોરંજન જગતની હસ્તીઓ, સ્પોર્ટસ પર્સન્સ સહિતના મહાનુભવો  હાજર રહેવાના છે. તેમની ફૂડ ચોઈસીસ, ડાયેટ પ્લાન, ફિટનેસ ફંડાઝ, હેલ્થ કોન્શિયસનેસ સહિતની બાબતોને ખ્યાલમાં રાખીને આશરે ૨૫૦૦થી વધારે પ્રકારનાં વ્યંજનો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આવનારા કેટલાક મહેમાનો વીગન છે એટલે તેમના માટે એ પ્રકારે ડિશીઝ તૈયાર થઈ છે, કેટલાક મહેમાનો ગ્લુટન ફ્રી ફૂડઝ જ પસંદ કરે છે એટલે તેમને પણ પૂરતી ચોઈસીસ મળી રહે તેવો ખ્યાલ રખાય છે. ગુજરાતી અને ભારતીય ઉપરાંત જાપાનીઝ, મેક્સિન, પાન એશિયન, પારસી વાનગીઓનો પણ જમાવડો તૈયાર કરાશે.

 આ મેનુ તૈયાર કરવામાં એ ધ્યાન રખાયું છે કે તેમના માટે ઉપલબ્ધ વાનગીઓની યાદી લિમિટેડ ન થઈ જાય અને તેમને  ભારતીય વ્યંજનોનું વૈવિધ્ય માણવા મળે, આ માટે વિવિધ પ્રસંગો અને સમયે જે વ્યંજનો તથા ખાણપીણીની અન્ય ચીજો પેશ કરવામાં આવશે તેમાં ગુજરાત સહિત ભારતભરના જુદા જુદા પ્રાંતની વિવિધ વાનગીઓનો ચટકારો હશે.  બ્રેકફાસ્ટમાં આશરે ૭૫થી વધુ ડિશીઝની ચોઈસ ઉપલબ્ધ કકરાવાશે. તે પછી દરેક લંચમાં ઓછામાં ઓછી ૨૫૦ અને કે ડીનર વખતે ઓછામાં ઓછી ૨૭૫ ડિશીઝ મહેમાનો માણી શકશે. કેટલાક પ્રસંગો રાત્રિ દરમિયાન હોવાથી મીડનાઈટ મિજબાની માટે પણ અમુક ડિશીઝ તૈયાર કરવા્માં આવી છે. રાતના ૧૨થી ચાર વચ્ચે આવી આશરે ૮૫ જેટલી વેરાયટીઝ મહેમાનોને પિરસાશે. આ વ્યંજનો અને પીણા તૈયાર કરવા માટે ઈન્દોરના ચુનંદ ૬૫ શેફ્શને બોલાવી લેવાયા છે. તેમાં ૨૦ તો મહિલા શેફ્સ છે. તેઓ તેમની સાથે ચાર ટ્રક ભરીને ખાદ્યસામગ્રી લઈ ગયા છે. એક ખાસ ઈન્દોર સરાફા કાઉન્ટર પણ હશે. જેમાં મહેમાનો ઈન્દોરી કચોરી, પોહા જલેબી, કોપરા પેટિસ, ઉપમા સહિતની ઓથેન્ટિક ફલેવર્સ માણશે.

૧ માર્ચ 

એન ઈવનિંગ ઈન  એવરલેન્ડ થીમ રહેશે. મહેમાનો એલિગન્ટ કોકટેલ પરિધાનમાં સજ્જ રહેશે. 

૨ માર્ચ 

એ વોક ઈન ધી વાઈલ્ડસાઈડ યોજાશે. મહેમાનોને જંગલ ફીવર ડ્રેસ કોડ અપાયો છે. અનંત અંબાણીએ જામનગરમાં બેનમૂન એનિમલ રેસ્ક્યૂ એન્ડ  રિહેબિલિટિશેન ટૂર બનાવ્યું છે. અહીં મહેમાનો માટે આઉટડોર એક્ટિવિટી યોજાશે ત્યારબાદ મહેમાનોને મેલા રૂઝ નો અનુભવ કરાશે. અહીં ભાતભાતની દેશી એક્ટિવિટીઝ યોજાશેે. મહેમાનોને આ પ્રસંગે દક્ષિણ એશિયાઈ પરિધાનમાં હાજર રહેવા જણાવાયું છે.

૩ માર્ચ 

આ દિવસે બે ઈવેન્ટ છે. એક છે  ટશ્કર  ટ્રેઈલ્સ અને બીજી છે હસ્તાક્ષર. ટશ્કર  ટ્રેઈલમાં મહેમાનો જામનગરનાં પ્રાકૃતિક સૌંદર્યને માણશે. અનંત અંબાણીએ વિનાશના આરે આવેલાં પ્રાણીઓનું જતન થાય એ માટે પ્રયાસો કર્યા છે. હાથી સહિતનાં આવાં કેટલાંક વન્ય પ્રાણીઓને મહેમાનો નિહાળી શકશે. હસ્તાક્ષર ઈવેન્ટમાં મહેમાનોને હેરિટેજ ભારતીય લૂક્સમાં સજ્જ રહેવા આગ્રહ કરાયો છે. આ ઈવેન્ટ જામગર રિલાયન્સ કેમ્પસ ખાતે ઊભાં કરાયેલાં ખાસ મંદિર સંકુલમાં યોજાશે. અહીં આ પ્રસંગો નિમિત્તે ખાસ ૧૪ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીએ અન્નસેવામાં ભોજન પિરસ્યું હતું.

બી પ્રાક, રિહાના, અરિજિત, દિલજીતની સંગીત મહેફિલ

ભારતીય લગ્ન પ્રસંગો સંગીત વિના અધૂરા છે. અનંત અને રાધિકાનાં લગ્નપૂર્વેેના પ્રસંગોને સૂરોથી સજાવવા  માટે સિંગર  બી. પ્રાકનું જામનગરમાં આગમન થઈ ચૂક્યું છે.  ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના પણ પરફોર્મ કરવાની છે. ભારતીય સંગીત સિતારાઓમાંથી  અરિજિતસિંઘ, અજય-અતુલ અને દિલજીત દોસાંજે પણ સંગીતની મહેફિલ માંડશે. સાથે સાથે મેજિશિયન ડેવિડ બ્લેઈન પણ પોતાની જાદૂકળાથી મહેમાનોને મંત્રમુગ્ધ કરશે. 

આલિયા અને રણબીરનાં પરફોર્મન્સની ચર્ચા

બોલીવૂડનું સૌથી ક્યૂટ કપૂલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અંબાણી પરિવાર સાથે ઘરોબો ધરાવે છે. થોડા દિવસો પહેલાં તેઓ જામનગરમાં તેમનાં પરફોર્મન્સનું રિહર્સલ  કરવા  પહોંચ્યાં હતાં. તે પરથી એવું મનાય છે કે આલિયા અને રણબીર કોઈ ખાસ ડાન્સ સોંગ પર પરફોર્મ કરી શકે છે.

જામનગર શા માટે વેન્યૂ

અંબાણી પરિવાર વિદેશના કોઈપણ લોકેશન્સ પર લગ્ન પૂર્વેનો જલસો ગોઠવી શકે તેમ હતો. મુંબઈમાં લગ્ન સમારોહ છે તો આ જલસો  પણ મુંબઈમાં યોજાઈ શકે તેમ હતો. જોકે, ખુદ અનંત અંબાણીએ જણાવ્યા અનુસાર  જામનગર સાથે તેમનું ઈમોશનલ એટેચમેન્ટ પણ છે. જામનગર અનંતના દાદીની જન્મભૂમિ છો તો તેમના પિતા અને દાદાની કર્મભૂમિ પણ છે. અનંત પોતાને એક અદ્દલ જામનગરી માને છે. આથી આ પ્રસંગો માટે વેન્યૂૂ તરીકે જામનગરની પસંદગી કરાઈ છે.

ભારતીય સેલિબ્રિટીઓ

અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન, રજનીકાંત, અક્ષય કુમાર, ટ્વિન્કલ ખન્ના, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ,  રણબીર કપૂર, આલિયા ભટ્ટ, સૈફ અલી ખાન, અજય દેવગણ, વિકી કૌશલ, કેટરિના કૈફ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શ્રદ્ધા કપૂર, કરિશ્મા કપૂર,માધુરી દીક્ષિત, કરણ જોહર,અજય દેવગણ, કાજોલ, ચંકી પાંડે, આદિત્ય ચોપરા, રવિ ચોપરા.

આ જલસાના આમંત્રિત વિદેશી મહાનુભવો

બિલ ગેટ્સ, માઈક્રોસોફ્ટ

માર્ક ઝુકરબર્ગ, ફેસબુક-મેટા

ઈવાન્કા ટ્રમ્પ અને જોશુઆ કુશનેર

સાઉદી અરમાન્કોના ચેરપર્સન યાસીર એલ રુમાયન

કતારના વડાપ્રધાન  મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસીમ 

સ્વીડનના ભૂતપૂર્વ પીએમ કાર્લ બિલ્ડ્ટ

કેેનેડાના ભૂતપૂર્વ પીએમ સ્ટીફન હાર્પર

બર્થશાયર હાથ વેના વાઈસ ચેરમેન અજિત જૈન

બીપીના ભૂતપૂર્વ સીઈઓ બર્નાડ લૂની

લ્યુપા સિસ્ટમના સ્થાપક જેમ્સ મુર્ડોક

અરેમાન્કોના પ્રેસિડેન્ટ અણીન એચ નાસીર

બોલિવિયાના ભૂતપૂર્વ પ્રમુખ જોર્ગે ક્વિરોગ્રા

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન કેવિન રુડ

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ચેરપર્સન ક્લૌસ સ્કવેબ

એચએસબીસી હોલ્ડિંગના ગૂ્રપ ચેરમેન માર્ક ટકર

મુબાડાલાના સીઈઓ ખાલડૂન અલ મુબારક

આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ

ઈન્વેસ્ટર કાર્લોસ સ્લિમ

ઈ.એલ. રોથશીલ્ડના સીઈઓ લિન ફોરેસ્ટર ડી રોથશિલ્ડ

ભૂૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ક્વિન જેત્સુન પેમા

વિશ્વભરના મહારથીઓનો 'ગ્લોબલ બિઝનેસ સમીટ'  જેવો મેળાવડો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વેના ઉજવણી પ્રસંગોમાં ભાગ લેવા માટે આમંત્રિતોની  યાદી દાઓસ મીટ જેવા કોઈ ગ્લોબલ બિઝનેસ સમીટના આયોજકોને પણ ઈર્ષા આવે તેવી છે. આ યાદીમાં બિઝનેસ કોર્પોરેશન્સના સ્થાપકો અને વડાઓ, ટોચના સીઈઓઝ, રોયલ ફેમિલીઝીના મહાનુભવો,  રાજકીય ક્ષેત્રના પદાધિકારીઓ, ટેકનોલોજી ,  સ્પોર્ટસ અને એન્ટરટેઈનમેન્ટની ટોચની હસ્તીઓનો સમાવેશ થાય છે. 

આમંત્રિત ભારતીય ઉદ્યોગપતિઓ

કુમાર મંગલમ બિરલા, ગૌતમ અદાણી, ગોદરેજ પરિવાર, નંદન નિલેકની, સંજીવ ગોએન્કા, રિષદ પ્રેમજી, ઉદય કોટક, આદર પુનાવાલા, સુનિલ મિત્તલ, પવન મુંજાલ. રોશની નાદર, નિખિલ કામથ, રોની  સ્ક્રૂવાલા, દિલીપ સંઘવી 

Tags :