અભિનેત્રી પર બળાત્કાર ગુજારવાના કેસમાં એજાઝ ખાન ફરાર,સંપર્ક થઈ શકતો નથી,પોલીસે શોધખોળ હાથધરી
સેશન્સ કોર્ટે ખાનની ધરપકડ પૂર્વેની અરજી ફગાવી દીધી,બોમ્બે હાઈકોર્ટમાં બીજી જૂને અરજી પર સુનાવણી
મુંબઈ - અભિનેત્રી પર બળાત્કાર કેસના આરોપી અભિનેતા એજાઝ ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે.ચારકોપ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યા બાદ એજાઝ ખાન ફરાર છે. ધરપકડથી બચવા માટે તેણે પહેલા સેશન્સ કોર્ટમાં અને પછી બોમ્બે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટે એજાઝ ખાનની ધરપકડ પૂર્વેની અરજી ફગાવી દીધી છે. બોમ્બે હાઈકોર્ટ બીજી જૂને એજાઝ ખાનની અરજી પર સુનાવણી કરશે.
એજાઝ ખાન વિરુદ્ધ મુંબઈના ચારકોપ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે . ત્યારબાદ પોલીસે ખાનની ધરપકડ કરવા માટે કેટલીક ટીમો તૈનાત કરી છે. પોલીસ ખાનને શોધી રહી છે. પરંતુ ખાન પોલીસના હાથમાં આવતો નથી. પોલીસે એજાઝનું લોકેશન શોધવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે ખાનનો મોબાઇલ ફોન બંધ હોવાથી, પોલીસ તેનું લોકેશન શોધી શકતી નથી.પોલીસ આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
એજાઝ ખાન પર શું આરોપ છે?
અગાઉ ઉલ્લુ એપ પર વેબ શો 'હાઉસ એરેસ્ટ'માં કથિત અશ્લીલ સામગ્રી માટે ખાન અને અન્ય સામે ગુનો નોંધાયો હતો.એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી વિવાદ ફાટી નીકળ્યો હતો. વાયરલ ક્લિપમાં શોનો હોસ્ટ એજાઝ ખાન કથિત રીતે એક મહિલા સ્પર્ધકને સંમતિ વિના અશ્લીલ દ્રશ્યો કરવા માટે દબાણ કરતો જોવા મળે છે. કેટલાક સહભાગીઓને કપડા ઉતારવા અને અશ્લીલ કાર્યો કરવા કહેવામાં આવ્યું હોવાની ચર્ચા થઇ રહીછે.ઉલ્લુ એપે વિવાદ અને ટીકા બાદ હાઉસ એરેસ્ટના બધા એપિસોડદૂર કરી દીધા હતા.
હાઉસ એરેસ્ટ શોમાં ૩૦ વર્ષીય સ્પર્ધકે એજાઝ પરલગ્નના બહાને વાસનાનો ભોગ બનાવવાનો આરોપ કર્યો છે. ફરિયાદી અભિનેત્રી મૂળ ગુજરાતની છે અને કાંદિવલીમાં રહેછે.તેણે ૧૭માર્ચ, ૨૦૨૫ના મઢમાં થયેલા શૂટિંગમાં ભાગ લીધો હતો. જોકે શોમાં અશ્લીલ હરક્તના કારણે તે બહાર નીકળી ગઈહતી.
અભિનેત્રીની ફરિયાદ મુજબ ૨૪માર્ચે કાર્યક્રમનો છેલ્લો રાઉન્ડ હોવાથી તેને મલાડના મઢમાં બોલાવવામાં આવી હતી. તે સમયે યોજાયેલી પાર્ટીમાં એજાઝ ખાને તેને ગળે લગાવી 'આઈ વોન્ટ યુ' કહ્યુંઅને તેને પોતાના મોબાઈલ નંબર આપ્યો હતો. પછી તેણે અભિનેત્રીનો સંપર્ક કરવાનું શરૃકર્યુંહતું. અમારા ધર્મમાં ચાર લગ્નકરી શકાય છે. હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું એમ ખાને કહ્યું હોવાનો દાવો અભિનેત્રીએ કર્યોહતો. ખાન રપ માર્ચના મલાડમાં અભિનેત્રીના ઘરે ગયો હતો.તેણે સિરિયલો, વેબસિરીઝ, રિયાલિટી શોમાં કામ આપવાનું અને લગ્નનું વચન આપ્યું હતું. પછી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ૪ એપ્રિલના તેણે ફરિયાદી અભિનેત્રીને અંધેરીના ઘરે બોલાવી ફરીથી શારીરિક સંબંધ બાંઘ્યો હતો. બાદમાં તે અભિનેત્રીને મળવાનું ટાળવા લાગ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા અભિનેત્રીએ એજાઝ વિરુઘ્ધ ફરિયાદ નોંધાવી હતી.