એન્જિનીયરિંગ સ્ટુડન્ટના અકસ્માત મૃત્યુ બદલ પરિવારને રૂ.44.44 લાખનું વળતર
-2012ની ઘટનામાં વીમા કંપનીને ટ્રિબ્યુનલે આપ્યો આદેશ
મુંબઈ, તા.૨૪ ફેબ્રુઆરી 2019,રવિવાર
થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીના પરિવારને રૂ. ૪૪. ૪૪ લાખનું વળતર અપાવ્યું છે. ફેબુ્રઆરી ૨૦૧૨માં મોટરસાઈકલ સાથે પાણીનું ટેન્કર અથડાતાં થયેલા અકસ્માતમાં તેનું મોત થયું હતું.
તાજેતરના આદેશમાં ટ્રિબ્યુનલના સભ્ય વીરેન્દ્ર બિશ્તે વીમા કંપનીના દાવાને ફગાવ્યો હતો. દાવામાં જોવાયુ હતું કે અકસ્માત વખતે ટેન્કરનો વીમો નહોતો.
ટ્રિબ્યુનલે ટેન્કરના માલિકને પણ સુનાવણી દરમ્યાન ડ્રાઈવરને હાજર નહીં કરવા બદલ ખખડાવ્યો હતો. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ અભિષેક ઠાકુર નવી મુંબઈના સાનપાડામાં કોલેજ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. તેના માતા પિતાએ ટ્રિબ્યુનલમાં ધા નાખી હતી.