Get The App

11 વર્ષમાં મુંબઈની લોકલોમાંથી પટકાઈ પડવાથી 6760 નાં મોત

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
11 વર્ષમાં   મુંબઈની લોકલોમાંથી પટકાઈ પડવાથી 6760 નાં મોત 1 - image


ટ્રેક ઓળંગતી વખતે ૧૬ હજારનાં, થાંભલા સાથે અથડાતાં ૧૦૭નાં મોત

રેલવે  પોલીસના ડેટા મુજબ ૧૧ વર્ષમાં ૧૪ હજારથી વધુ  પ્રવાસીઓ ચાલુ લોકલ ટ્રેનમાંથી પટકાઈ પડતાં  ઘાયલ

મુંબઈ - છેલ્લા ૧૧ વર્ષમાં મુંબઈના ઉપનગરીય ટ્રેન નેટવર્કમાં ૩૦ હજારથી વધુ લોકોના મોત થયા છે. તો ૩૦ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ૬૭૬૦ લોકોનાં મોત ટ્રેનમાંથી પટકાઈ પડવાના કારણે જ થયાં છે. આ જ સમયગાળામાં ૧૪,૨૫૭ લોકો ટ્રેનમાંથી પટકાઈ પડતાં ઘાયલ થયા હોવાનું ગવર્નમેન્ટ  રેલવે પોલીસના ડેટામાં જણાવાયું છે. 

ાં સોમવારે મુંબ્રા રેલવે સ્ટેશન નજીક બે ગીચ લોકલ ટ્રેનોમાંથી પડી જવાથી એક જીઆરપી કોન્સ્ટેબલ સહિત ચાર મુસાફરોના મોત નીપજ્યા હતા. તો નવથી વધુ લોકો ઘાયલ થયા હતા.

વધુમાં છેલ્લા ૧૧ વર્ષો દરમિયાન ડેટા મુજબ, રેલવે ટ્રેક ઓળંગતી વખતે ૧૬,૦૮૭ લોકોનું મોત નીપજ્યું હતું અને ૩,૩૬૯ લોકો  ઘાયલ થયા હતા. તો રેલવે થાંભલા સાથે અથડાવવાથી ૧૦૩ લોકોનું મોત નીપજ્યું હતું. તો ૬૫૫ લોકો ઘાયલ થયા હતા. દરમિયાન રેલવે પ્લેટફોર્મ પર ઉતાવળમાં ટ્રેન પકડવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનના ગેપમાં પડી જવાથી ૧૪૭ લોકોના મોત નીપજ્યા હતા. તો ૧૨૫ લોકો ઘાયલ થયા હતા.

ઉપરાંત રેલવેના જીવંત વીજ વાયરના સંપર્કમાં આવી જતા ૧૮૧ લોકો મૃત્યુ પામ્યા હતા  અને ૨૦૩ લોકો ઘાયલ થયા હતા.  છેલ્લા ૧૧ વર્ષમાં ૬૭૬ લોકોએ સામેથી આવતી ટ્રેન સામે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. તો પાંચ લોકો આત્મહત્યાના પ્રયાસ કરતી વખતે ઘાયલ થયા હતા. 

નોંધનીય  છે કે, મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર દરરોજ લગભગ ૭૫ લાખ મુસાફરો મુસાફરી કરે છે.


Tags :