પુણેથી દર્શને જતી વખતે અકસ્માતમાં 3નાં મોતઃ 15 શ્રદ્ધાળુ ઘાયલ
પુણે-સોલાપુર હાઈવે પર સવારે અકસ્માત
ખાનગી ટ્રાવેલ બસ પુરપાટ દોડતા હાઈવે પર પાર્ક કરેલ ટ્રક સાથે અથડાતા ભીષણ અકસ્માત
મુંબઈ - સોલાપુરમાં પુણેથી દર્શને ગયેલ યાત્રાળુઓના બસનો અકસ્માત સર્જાતા અકસ્માતમાં ૩ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તો ૧૫ થી ૨૦ લોકો ઘાયલ થયા હતા. જેમા ં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘાયલોમાંથી કેટલાક લોકોની સ્થિતિ ગંભીર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના આજે સવારે પુણે સોલાપુર હાઈવે પર અકકલકોટ પાસે બની હતી. જેમાં પુણેથી અંદાજે ૩૫ લોકોનું જૂથ અકકલકોટ દર્શને જઈ રહ્યું હતું. જેમાં વસગાંવ નજીક ઝડપે જતી ટ્રાવેલ ખાનગી બસ હાઈવે પર પાર્ક કરેલા એક ટ્રક સાથે અથડાઈ હતી અને ભીષણ અકસ્માત સર્જાયો હતો.
આ ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ ત્રણ લોકોનું મોત નીપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, ટ્રાવેલ બસ ખુબ ઝપડે દોડતી હોવાથી બસ ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે બસના ડાબા ભાગને વ્યાપક નુકસાન થયું હતું. અકસ્માતની જાણ થતા જ સ્થાનિકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને પોલીસને સંપર્ક કર્યો હતો. આ બાદ પોલીસને ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને બસમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું તબીબીએ જણાવ્યું હતું. વધુમાં પોલીસે પંચનામુ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
આ અકસ્માતને કારણે પુણે- સોલાપુર હાઈવે પર બે કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં ફાયર વિભાગની ટીમે બચાવ કામગીરી કરતા અસરગ્રસ્ત વાહનોને હાઈવે પર દૂર ખસેડયા હતા. આ બાદ પોલીસે અહીંનો ટ્રાફિક પુર્વવત કર્યો હતો. પોલીસે આ મામલે કેસ નોંધીને આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.