ઉદ્યોગપતિની બાકી લોન વસૂલવા એમ એફ હુસેનના 25 ચિત્રોનું લીલામ કરાશે
હાઈકોર્ટ દ્વારા મંજૂરી અપાતાં લીલામનો માર્ગ મોકળો
સ્વરુપ ગૂ્રપના ગુરુ સ્વરુપ શ્રીવાસ્તવનું ૨૩૫ કરોડનું લ્હેણું વસૂલવા માટે નાફેડ દ્વારા કાર્યવાહી
મુંબઈ - નાફેડ દ્વારા ઉદ્યોગપતિ ગુરુ સ્વરુપ શ્રીવાસ્તવની બાકી લોન પેટે જપ્ત કરાયેલાં તેમની માલિકીના દિવંગત ચિત્રકારક એમ.એફ. હુસેનનાં પચ્ચીસ ચિત્રો લીલામ કરવા હાઈકોર્ટે મંજૂરી આપી છે. આ લીલામી તા. ૧૨મી જૂને યોજાશે.
'એમ એફ હુસૈન ઃ એન આર્ટિસ્ટ્સ વિઝન ઓફ ટ્વેન્ટીથ સેન્ચ્યુરી' શીર્ષક ધરાવતા લીલામમાં પચ્ચીસ કેન્વાસ પેઈન્ટિંગનો સમાવેશ થાય છે.
૧૭ ફેબુ્રઆરીના આદેશમાં સિંગલ બેન્ચ ન્યા. છાગલાએ મુંબઈના શેરિફને પચ્ચીસ પેઈન્ટિંગ્સની લીલામીને પરવાનગી આપી હતી. આ પેઈન્ટિંગ્સ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ. (નાફેડ) દ્વારા ઉદ્યોગપતિ ગુરુ સ્વરુપશ્રીવાસ્તવની સ્વરૃપ ગુ્રપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ ૨૩૬ કરોડનાં બાકી લ્હેણાં સંદર્ભમાં જપ્ત કરાયાં હતાં.
શ્રીવાસ્તવે ૨૦૦૭માં એક કરોડનું એક એવા એમ એફ હુસૈનના ૧૦૦ પેઈન્ટિંગ્સ ખરીદ્યાં હતાં. ગત મે મહિનામાં આર્ટ સ્પેશ્યાલિસ્ટ દાદીબા પંડોલેએ હાઈકોર્ટને પેઈન્ટિંગનું મૂલ્યાંકન સોંપ્યું હતું જેના અનુસાર તેમની કિંમત રૃ. પચ્ચીસ કરોડ હતી.
હાઈકોર્ટના આદેશ અનુસાર મુંબઈના શેરીફે ગત ફેબુ્રઆરીમાં પંડોલે આર્ટ ગેલેરી મારફત પેઈન્ટિંગ્સ માટે લીલામીની નોટિસ જારી કરી હતી.
લીલામી ૧૨ જૂને હેમિલ્ટન હાઉસમાં થવાની છે. લીલામી પૂરી થયા બાદ શેરીફને ત્રીજી જુલાઈએ હાઈકોર્ટને રિપોર્ટ રજ કરવાનું જણાવ્યું છે અને ચિત્રકામ સોંપવા માટે અંતિમ નિર્દેશો મેળવવા કહેવાયું છે.
૨૦૦૬માં સીબીઆઈએ સ્વરૃપ ગુ્રપ અને શ્રીવાસ્તવની તપાસ કરી હતી. નાફેડમાંથી ૨૩૬ કરોડની લોનમાંથી ૧૫૦ કરોડની કથિત ગેરરીતિ બદલ આ તપાસ ચલાવાઈ હતી. ડિસેમ્બર ૨૦૦૮માં ટ્રિબ્યુનલે નાફેડને ૧૦૦ કરોડની મિલકત હસ્તગત કરવાની પરવાનગી આપી હતી જેમાં હુસેનનાં આ ચિત્રોનો પણ સમાવેશ થતો હતો.