Get The App

વસઈ વિરારમાં 141 જોખમી ઈમારતો, 1 હજાર પરિવારો ભયમાં

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
વસઈ વિરારમાં 141 જોખમી ઈમારતો, 1 હજાર પરિવારો ભયમાં 1 - image

ગમે ત્યારે રમાબાઈ ઈમારત જેવી  હોનારત  સર્જાશે

મહાનગરપાલિકા જોખમી ઈમારતોની યાદી પ્રગટ કર્યા બાદ આખી વાત જ ભૂલી ગઈ

મુંબઈ -  વિરાર-વેસ્ટમાં બુધવારે આદિનાથ ઇમારતનો સ્લેબ ધરાશાયી થયા બાદ, ફરી જોખમકારક ઇમારતોનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી ૧૪૧ જોખમકારક ઇમારતોમાં ૧,૦૦૦ થી વધુ પરિવારો હજુ પણ રહે છે અને તેઓ ગમે ત્યારે કોઈપણ દુર્ઘટનાનો ભોગ બની શકે તેમ છે. 

વસઈ-વિરાર મહાનગરપાલિકાની બેદરકારીને કારણે વસઈ-વિરારમાં મોટી સંખ્યામાં અનધિકૃત બાંધકામો થઈ રહ્યા છે. નબળા બાંધકામને કારણે આ અનધિકૃત ઇમારતો જોખમી બની ગઈ છે. 

ઓગસ્ટમાં, વિરારમાં રમાબાઈ એપાર્ટમેન્ટની ઇમારત ધરાશાયી થતાં ૧૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ અકસ્માત બાદ, મહાનગરપાલિકાએ ૧૪૧ જોખમી ઇમારતોની યાદી પ્રકાશિત કરી હતી. આ બધી જોખમકારક ઇમારતોનો સર્વે કર્યા પછી, નાગરિકોને ઇમારતો ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઇમારતોમાં નાગરિકોને પુનર્વસન કરવાનું પણ આશ્વાસન આપ્યું હતું. જો કે, ત્યારથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઇમારતોમાં એક હજારથી વધુ પરિવારો રહે છે. આ નાગરિકો પોતાનો જીવ મુઠીમાં રાખીને રહી રહ્યા છે અને દુર્ઘટનાનો ભય યથાવત છે.

આદિનાથ ઈમારતનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાશે..

બુધવારે, વિરારમાં આદિનાથ નામની બે માળની ઈમારતના સ્લેબનો એક ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. જો કે ઈમારત જોખમકારક ન હતી, પણ જૂની હતી. તેથી, ઈમારતનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાશે.