મોરબીના આલાપ રોડ પર તૂટેલી લાઈનમાંથી પાણીનો વેડફાટ
મોરબી, તા. 16 માર્ચ 2020, સોમવાર
મોરબીનું તંત્ર પ્રજાકીય કામોમાં કોઈ રસ દાખવતું નથી એટલું જ નહિ પરંતુ તૂટેલા રોડ રસ્તા હોય કે પછી પાણીની તૂટેલી લાઈન હોય જેના રીપેરીંગમાં ઉદાસીનતા જોવા મળે છે આવી જ સ્થિતિ આલાપ રોડ પર જોવા મળે છે જેથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.
આલાપ રોડ પર પાણીની લાઈન તૂટેલી હોવાથી ૨૪ કલાક પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. આ લાઈનો લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે, જોકે કુંભકર્ણ તંત્રને ધ્યાનમાં આવ્યું નથી અને પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે. જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સંબંધિત તંત્ર તાકીદે તૂટેલી લાઈન મામલે યોગ્ય કાર્યવાહી કરીને રીપેરીંગ કરે અને પાણીનો વેડફાટ અટકાવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.