બે પુત્રીનાં ગળાં દબાવી હત્યા કર્યા બાદ જનેતાનો આપઘાત
- મોરબીના વાવડી રોડ ૫ાસેની હૃદયવિદારક ઘટના
- સોશ્યલ મીડિયામાં વ્યવસ્ત રહેતા પતિને લફરું હોવાની શંકામાં પગલું ભર્યાની આશંકા
મોરબી, તા. 2 મે, 2020, શનિવાર
મોરબીના વાવડી રોડ પરની રવિપાર્ક સોસાયટીમાં આજે હૃદયવિદારક ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં તુલસી વિષ્ણુભાઈ નામની નેપાળી પરિણીતાએ તેની ૯ માસની દીકરી પૂજા અને ૫ વર્ષની દીકરી સીર્જનાનેને ગળે ટૂંપો દઈ હત્યા કર્યા બાદ જાતે પણ ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત લાવી દેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સોશ્યલ મીડિયામાં વ્યસ્ત રહેતો પતિ કોઈ પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોવાની શંકાને લીધે પરિણીતાએ હિંસક પગલું ભર્યાની આશંકા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી હતી.
શનાળા રોડ પરના લીજેંડ જીમમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે નોકરી કરતો નેપાળી વિષ્ણુભાઈ રવિપાર્ક સોસાયટીમાં જીમ માલિક જયેશ ભીમાણીના મકાનમાં જ છેલ્લા પાંચેક માસથી ભાડે રહે છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં પરિવાર સાથે વસવાટ કરતો હતો. ઉપલા માળે જીમના સાધનો પણ રાખ્યા હોવાથી વિષ્ણુ ત્યાં નિયમિત કસરત કરતો હતો. આજે સવારે ૭:૩૦ વાગ્યાની આસ૫ાસ તે રાબેતા મુજબ ઉપરના માળે કસરત કરવા ગયો અને ૯:૩૦ વાગ્યા દરમ્યાન નીચે આવ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ માલૂમ ૫ડયો. તેણે બીજી ચાવી વડે દરવાજો ખોલ્યો અને અંદર જઈને જોયું તો પત્ની અને બન્ને પુત્રીના મૃતદેહો જોઈને તે ભાંગી પડયો હતો. તેણે પોલીસને જાણ કરતાં ડીવાયએસપી પોલીસના કાફલા સાથે ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી.
વિષ્ણુના દાવા પ્રમાણે દરવાજો અંદરથી બંધ હતો તેેથી પોલીસે તુલસીએ બન્ને દીકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતેય આપઘાત કર્યો હોવાની હકીકત જાહેર કરી હતી. વિષ્ણુની પૂછતાછમાં પોલીસને એવી વિગતો પણ મળી કે તેને રાત્રિના સમયે સોશ્યલ મીડિયા પર સક્રિય રહેવાની ટેવ છે. એથી તેને કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની તુલસીને શંકા રહ્યા કરતી હતી. એ કારણથી તુલસીએ આ ઘાતકી પગલું ભર્યાની આશંકા સાથે પોલીસે તપાસ આગળ વધારી હતી.
૯ માસની ફૂલ જેવી પૂજાને ઘોડિયામાં જ મસળી નાખી!
ક્રૂર જનેતા તુલસીએ ૫ વર્ષની દીકરી સીર્જનાનેને રસોડામાં ગળેટૂપો દઈ દીધો હતો અને ફૂલ જેવી ૯ મહિનાની પૂજા ઘોડિયામાં સૂતી હતી, એ હાલતમાં જ એ હાલતમાં એને મસળી નાખી હતી