ટંકારા: અનલોકમાં બાંધકામથી છૂટ છતાંય પુલનું કામ બંધ
- જોધપુર ઝાલાથી રોહીશાળા રોડ પર આવેલા પુલનું કામ તાકીદે પૂર્ણ કરવા માગણી
ટંકારા, તા. 20 જુન 2020, શનિવાર
ટંકારા તાલુકાના જોધપુર ઝાલાથી રોહીશાળા જવાના રોડ પર પુલ બનાવવાનું કામ ચાલુ હતું. જે લોકડાઉનના કારણે ત્રણેક માસથી બંધ હતું, હાલ બાંધકામ કામગીરી કરવાની છૂટ મળી હોવા છતાં પુલ બનાવવાની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી.
પુલનું કામ તાકીદે શરૂ કરી બાંધકામ પૂરું કરવા સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી છે. રોહિશાળાના લોકોને પુલ ન બનવાના કારણે ટંકારા તથા પડધરી જવા માટે ભારે મુશ્કેલી પડે છે.
વરસાદ આવે ત્યારે કલાકો સુધી વાહનવ્યવહાર બંધ રહે છે. તાકીદની સારવાર તથા ડિલેવરીના પ્રસંગોમાં દર્દીઓ પર ભારે જોખમ રહે છે. આથી તાત્કાલિક પુલનું બાંધકામ પૂરું કરવાની જોધપુર ઝાલાના આગેવાનોએ માગણી છે.