Get The App

લોકડાઉનના કારણે હપ્તા નહીં ભરાતાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત

Updated: Jun 21st, 2020

GS TEAM

Google News
Google News
લોકડાઉનના કારણે હપ્તા નહીં ભરાતાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત 1 - image


ગાંધીનગર, તા. 21 જૂન 2020, રવિવાર

કોરોનાના કારણે અપાયેલા  લોકડાઉનના કારણે લોકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ચુકી છે ત્યારે શહેર નજીક મગોડીના રીક્ષાચાલકે લોકડાઉનમાં વ્યાજના હપ્તા નહીં ભરતાં વ્યાજખોરોના ત્રાસથી અંતિમ પગલું ભરી આપઘાત કર્યો હતો.  કોરોનાના કપરા કાળે સરકાર જ નહીં પરંતુ લોકોની આર્થિક સ્થિતિ ઉપર સીધી અસર પાડી છે આવી સ્થિતિમાં પણ વ્યાજખોરો હપ્તા લેવાનું ચુકયા નહોતા. ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા મગોડી ગામમાં રહેતા અને રીક્ષાચાલક એવા રાજુભાઈ કાળાભાઈ રાવળે શુક્રવારે સાંજના સમયે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેમના પરિવારજનો તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં રાજુએ પરિવારજનોને કહયું હતું કે આ લોકડાઉનના કારણે ગામના જ રાજુભાઈ મફતભાઈ રબારી અને જયેશભાઈ શામજીભાઈ રબારી પાસેથી વ્યાજે લીધેલા રૃપિયાના હપ્તા ભરી શકયો નહોતો. જેના કારણે તેઓ મારવાની ધમકી આપતાં હતા અને ગાળાગાળી પણ કરતાં હતા. જેથી કંટાળીને તેણે ઝેરી દવા પી લીધી છે. ત્યારબાદ રાજુનું મોત થયું હતું. જેથી આ મામલે તેના ભાઈ અજય કાળાભાઈ રાવળે ચિલોડા પોલીસ મથકમાં આ બન્ને વ્યક્તિઓ સામે આપઘાતના દુષ્પ્રેરણની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

Tags :