Get The App

બહુચરાજી અને શંખલપુર મંદિરના દ્વાર ખુલતા દર્શનાર્થીઓ ઉમટયા

- બે માસથી કોરોનાની પરિસ્થિતિને કારણે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો

Updated: Jun 12th, 2021

GS TEAM


Google News
Google News
બહુચરાજી અને શંખલપુર મંદિરના દ્વાર ખુલતા દર્શનાર્થીઓ ઉમટયા 1 - image

ચાણસ્મા,તા.11

યાત્રાધામ બહુચરાજી અને શંખલપુર મંદિરના દ્વાર શુક્રવારે સવારે ૭.૦૦  કલાકે દર્શન માટે ખુલ્લા  મૂકવામાં આવતા માતાજીના દર્શને આવતા દરેક શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ૫૯ દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેલા મંદિરના દ્વાર ખુલતા માઇ ભકતો દર્શનાર્થે ઉમટી પડયા હતા. અને માતાજીના દર્શન કરી ધન્યતા ની લાગણી અનુભવતા જોવા મળ્યા હતા.

જોકે સવારના સાતથી સાંજના સાત સુધીના ૧૨ કલાકમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા માઇભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. કોરોના વાયરસ ને ધ્યાનમાં રાખીને બહુચરાજી અને શંખલપુર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કોવિડ-૧૯ ની ગાઈડલાઈન મુજબ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. માતાજીના દર્શનાર્થે આવતા દરેક ભાવિક ભક્ત માટે સેનેટાઈઝર અને હાથ ધોવા માટેના સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા હતા. માતાજીના દર્શનાર્થે આવતા ીઓ અને પુરુષો  માટે અલગ અલગ રેલીગની વ્યવસ્થા કરવામાં આવી હતી.સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવાની સુચના આપતા  એક મીટરના અંતરે બોર્ડની વ્યવસ્થા, દર્શનાર્થીઓ માટે મંડપ દ્વારા છાંયડાની સુંદર સુવિધા ઉભી કરવામાં આવતા પ્રથમ દિવસે માઇભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં દર્શનનો લાભ મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસ ના કારણે  ધામક વિધિઓ, બાધાઓ, શ્રીફળ ચુંદડી અને પ્રસાદ જેવી ચીજવસ્તુઓ મંદિરમાં લઈ જવા પર અને સવાર સાંજની આરતીમાં જવા પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવતા માઇભકતો આ લાભથી વંચિત રહેવા પામ્યા હતા.

58 દિવસે ખૂલ્યા માં બહુચરના મંદિરના દ્વાર

રાજ્યમાં કોરોના મહામારીને લઇ બંધ ધામક સ્થાનો શુક્રવારે ૫૮ દિવસે દર્શન માટે ખુલ્લા મુકાયા હતા. બહુચરાજીથી બે કિમીના અંતરે આવેલા શંખલપુર સ્થિત બહુચર માતાજીના  ૫૨૦૦ વર્ષ પ્રાચીન સ્થાનકમાં બિરાજમાન બહુચર મૈયાનું મંદિર પણ દર્શનાર્થે ખોલતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડયા હતા. આ પ્રસંગે માતાજીને નયનરમ્ય સાડી તેમજ સુવર્ણ અલંકાર સહિતનો મનોહર શણગાર કરાયો હતો. મંદિરમાં સવારે ૭થી સાંજના ૭ વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.

Tags :