મહેસાણા,તા.28
મહેસાણા કેલેકટર ઉત્તર ગુજરાતના શિવાલયોમાં આજે મહા
શિવરાત્રીના પાવન પર્વ નિમિતે ચારેય
પ્રહોર ની પૂજા-અર્યના કરવામાં આવશે.
શિવભક્તો દ્વારા ભગવાન શિવજીને રીઝવવા બીલી,દૂધ,જળાભિષેક તેમજ
વિવિધ પ્રકારની પૂજા-અર્ચના કરાંશે મંદિર
પરિસરોમાં બમ બમ ભોલે, ઓમ
નમઃશિવાયના ના નાદ ગંુજી ઉઠશે.
પૌરાણિક અને ધાર્મિક માન્યતા અનુસાર મહાવદ-૧૩ ના રોજ દગ
વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજળણી
થતી હોય છે. જેમાં આજે મંગળવારે
શિવરાત્રીના પર્વની વિવિધ શિવાલયોમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.મહેસાણા શહેરના
તલેટી રોડ પરના સોમનાથ મહાદેવ ,
પરામાં ભીમનાથ ,નાગલપુર
નિલકંઠ તથા જેલ રોડ પર પંચનાથ તેમજ કજી શહેરના યતેશ્વર મહાદેવ , વડનગરના
હાટકેશ્વર મહાદેવ ,પાલનપુરના
બાલારામ,અમીરગઢ
ના વિરેશ્વર,કેદારેશ્વર
,પાટણાના સિધ્ધનાથ
મહાદેવ સિધ્ધપુરમાં સ્વંયભૂ પંાંચ
મહાદેવ સહિત અન્ય શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભકતો ઉમટી પડશે ,ભગવાન શિવજી ભોળા
હોઇ ભક્તોની મનોકામના જલ્દી પુરા કરતાં હોવાથી શિવલિંગને દૂધ,તલ,ચોખા,જળાભિષેક,પંચામૃત , તેમજ વિવિધ
પ્રકારના ફૂલો ધતૂરો,ગુલાબ, ચમેલી અને કમલના
પુષ્પો અર્પણ કરી પૂજા કરાશે તેમજ કેટલાક શિવાલયોમાં ઋદ્ર ,લઘુ યજ્ઞા યોજાશે
શીવભાવની ,શિવશ્ત્રોત,શિવપુરાણ વગેરેનુ
શિવભક્તો પઠન કરશે. કેટલાક લોકા એકટાણુ તો કેટલાક નકોરડો ઉપવાસ રાખી શક્કરિયાનો
ભોગ ચડાવી પ્રસાદ ગ્રઙણ કરશે. શિવમંદિરમા
શિવજીને અતિપ્રિય ભાગનો પ્રસાદ
વિતરણ કરવામાં આવશે. દિવસ દરમીયાન
શિવાલયોમાં ઓમ નમઃશિવાય,બમબમ
ભોલેના નાદ ગુંજી ઉઠશે.


