મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 13 કેસ આવ્યા
-કોરોના કુલ કેસનો આંક 263 ઉપર પહોચ્યો
લુણાવાડા તા.20 જુલાઇ 2020 સાેમવાર
મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેરા આજે પણ યથાવત રહયો હતો . સતત છઠ્ઠા દિવસે કોરોનાના વધુ 13 કેસ આવતા મહીસાગર જિલ્લામાં કોરોનાના કુલ 263 કેસ થવા પામ્યા હતા. હાલ 70 દર્દીઓ સારવાર લઇ રહયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 6557 વ્યક્તિના કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.
આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સાત કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા જેમાં લુણાવાડા શહેરમાં પાંચ કેસ આવ્યા હતા જેમાં જેમાં 32 વર્ષના પુરુષ, 34 વર્ષના પુરુષ,62 વર્ષના પુરુષ, 28 વર્ષના પુરુષ, 82 વર્ષના પુરુષ, જયારે લુણાવાડા તાલુકાના ચારીયા ગામના 47 વર્ષના પુરુષ, કોઠંબા ગામના ૨૫ વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે બાલાશિનોર ગામના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા જેમાં 25 વર્ષના પુરુષ,52 વર્ષના પુરુષ, અને 23 વર્ષના પુરુષનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે સંતરામપુર તાલુકામાં બે કેસ આવ્યા હતા જેમાં 31 વર્ષનો પુરુષ, 56 વર્ષના પુરુષ અને ખાનપુર તાલુકાના બાકોર ગામે ૫૬ વર્ષના પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો હતો.
અત્યાર સુધીમાં તા. ૨૦-૭-૨૦ ના સાંજના 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 263 કેસ પોઝિટિવ નોધાયેલ છે.અત્યાર સુધીમાં કુલ 177 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 2 વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જયારે અન્ય કારણથી 14 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 16 મૃત્યુ નોંધાવા પામ્યા છે.
અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ6557 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.તેમજ જિલ્લાના 514 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 60 દર્દીઓ સ્ટેબલ અને 10 દર્દીઓ ઓક્સિજન પર છે.