બેરોજગારી તથા શહેરીકરણનું મૂળ કારણ કૃષિ ક્ષેત્રમાંથી પલાયનવાદ
સત્તાવાળાઓએ શહેરી યોજનાઓ પર ભાર આપવાની તાતી જરૂર
લેબર ફોર્સમાં આવેલા નવાસવા યુવા કામદારને તથા કૃષિ ક્ષેત્રને ત્યજીને આપનારી વ્યક્તિને નવી આજીવિકા ન મળે તો આ દેશવિશાળ વસ્તી હોવાનોે લાભ ન લઈ શકે. હાલમાં દેશમાં જે ક્રાંતિકારી ફેરફાર કરવાની ઉતાવળે કવાયત હાથ ધરવામાં આવી છે એ આવકારદાયક છે પણ આ ઉતાવળ અનેક પડકાર લઈને આવી છે. નીતિના ઘડવૈયાઓ માટે વતન છોડીને આવેલી વ્યક્તિઓને રોજગાર પૂરો પાડવો સહેલો નહીં બને.
દેશના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટે પાયે સ્થળાંતર થઈ રહ્યું છે અને આ અર્બનાઈઝેશન એટલે કે શહેરીકરણ પણ એમને ચિંતાતુર કરી દીધાં છે. પ્રત્યેક દિવસે દેશનાં લેબર-ફોર્સમાં હજારો યુવાઓ જોડાય છે અને એમને માટે વોકેશનલ ટ્રેનિંગના કેન્દ્રો ખોલવા એ પણ સરકાર માટે શિરોવેદના બનશે. ભણતાં વિદ્યાર્થીઓ માટે સારી શૈક્ષણિક સવલતો એ પાયાનો પ્રશ્ન છે.હવે દેશની વસતી સતત વધતી રહેશે એટલે નીતિ આયોગે આગામી બે દાયકામાં આ પ્રક્રિયાને સમજવી પડશે. અને આવતી કાલના પરિપ્રેક્ષ્યમાં.
દેશ સ્વતંત્ર થશે પછી ૬૦ વરસ સુધી તો કૃષિ ક્ષેત્રમાં કામદારોની સંખ્યા સતત વધતી ગઈ. પણ ૨૦૦૪-૦૫માં અને એ પછી કૃષિ ક્ષેત્રની લોકપ્રિયતા ઓસરવા માંડી. સંભવતઃ ઘટતા કમાણીના આંકડાને કારણે. ૨૦૦૪-૦૫થી ૨૦૧૧-૧૨ના ગાળામાં કૃષિ સિવાયના રોજગારની સંખ્યામાં પ્રતિ વરસ ૭.૫ મિલિયન જેટલો વધારો નોંધાયો હતો.
તો આની સામે લેબર ફોર્સમાં આવતા નવા યુવાનોની સંખ્યા પ્રતિ વરસ માત્ર બે મિલિયન રહી. લોકોના ૫.૫ લાખ વર્કરો કૃષિ ક્ષેત્રને છોડી આવેલા હતા અને મોટાભાગનાને કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં નોકરી મળી ગઈ. પગાર ઝાઝા ન'તા પણ નિયમિત હતા. કૃષિમાં જે અનિશ્ચિતતા અને અચોક્કસતા હતી એ કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં નોકરીમાં પણ નહોતી.
કામની તલાશમાં સ્થળાંતર કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. અને આ અખિલ ભારતીય લાક્ષણિકતા છે. ભારતભરના મોટા શહેરોમાં માઈગ્રેન્ટસ ઠલવાતા જાય છે. ગ્રામીણ ઈલાકામાંથી સૌથી વધુ હિજરતીઓ વસવાટ માટે દિલ્હી પસંદ કરે છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં બેકારીએ માથું ઉચક્યું છે અને ત્યાંથી સૌથી વધુ લોકો દિલ્હી આવ્યા છે.
એવું નથી કે હિજરત કરનારા તમામને અન્ય નાના-મોટા શહેરમાં રોજગાર મળી જ જાય છે. પણ ઘણાને છૂટક છૂટક કામ તો મળી જ રહે છે એથી ભૂખમરોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે.
જોકે હિજરતીઓને શહેરોમાં જે નોકરીના પડકારોનો સામનો કરવો પડે છે એને કારણે પગારના ધોરણ ઘટતા સ્થાનિકોમાં સ્વાભાવિક રીતે રોષની લાગણી પ્રગટે છે. શહેરી વિસ્તારમાં જે પુરુષ કામદારો છે એમાંના ૩૮ ટકા માઈગ્રેન્ટ વર્કર છે. જે તે શહેરમાં તેઓ વસવાટ કરે છે એ એમની કર્મભૂમિ છે પણ જન્મભૂમિ નહીં અને આ કર્મભૂમિ પણ વારંવાર બદલાતી રહે છે.
પહેલા સ્થળાંતર કરી આવેલાોના મહત્તમ સડકો પર ફેરીયા બની જાય છે. પણ હવે આમા પણ બદલાવ આવ્યો છે. કન્સ્ટ્રકશન ઉપરાંત પરંપરાગત સેવાઓ એમને રોજગાર આપે છે. કન્સ્ટ્રકશનમાં એસસી અને એસટી કેટેગરીના લોકો વધુ છે કારણ કે આ લાઈનમાં મેન્યુઅલ વર્કમાં શિક્ષણ કે અનુભવની જરૂર બિલકુલ નથી પડતી.
સતત વધતા જતા શહેરીકરણે પણ એક મોટી સમસ્યાને જન્મ આપ્યો છે અને આ દિલ્હી કે ભારત પૂરતું મર્યાદિત નથી. એશિયા ખંડ ઐતિહાસિક ડેમોગ્રાફિક બદલાવમાંથી પસાર થઈ રહ્યો છે. ગ્રામીણ સમાજમાંથી શહેરી સમાજ બની રહ્યો છે. આ બદલાવનો અનુભવ ઈતિહાસમાં પણ નથી નોંધાયો.
માત્ર પાંચ વરસની અંદર, એટલે કે ૨૦૨૫ સુધીમાં એશિયાના તમામ દેશોની મહત્તમ વસતી શહેરોમાં વસવાટ કરતી હશે. ૨૦૧૪માં ૪૧૦ મિલિયન નાગરિકો શહેરોમાં રહેતા હતા. ૨૦૫૦ સુધીમાં આ સંખ્યા ૮૧૪ મિલિયન થઈ જશે. આ શહેરીકરણમાં થયેલી પ્રચંડ અને પાંચ ગણી વૃદ્ધિ છે.
શહેરીકરણમાં વૃદ્ધિ થતા શહેરોમાં ઝૂંપડપટ્ટીઓની સંખ્યા પણ વધશે અને ખંડ આવો ભ્રષ્ટાચારીઓ માટે કુખ્યાત છે. જેને પરિણામે યુવાઓમાં બેરોજગારીનું પ્રમાણ વધશે. વસ્તી વિસ્ફોટને કારણે નાના કામો માટે સ્પર્ધા નહીં રહે અને પગારના ધોરણે તળિયે જશે. શિક્ષણ અને વેતનમાં તફાવતનું ધોરણે એટલું હશે કે એને કારણે સામાજિક સંઘર્ષ વધશે. આર્જેન્ટિના, બ્રાઝિલ, મેક્સિકો અને વેનેઝુએલા ઈત્યાદિ દેશો ગેરકાયદેસર સ્થળાંતર, શહેરીકરણ વસતી વિસ્ફોટનો બોદ સહન નથી કરી શક્યા. આ દેશોમાં નબળી સરકારોને કારણે અમુક કામગીરી ગુંડાઓની ગેન્ગે પોતાને હસ્તક લઈ લીધી છે.
૧૯મી સદીમાં અને વીસમી સદીમાં આજે જે શ્રીમંત છે એ દેશોમાં ગ્રામીણ ઈલાકાઓમાંથી શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર નોંધાયું હતું. એ તબક્કે આ હિજરતીઓએ જે તે પ્રાંતના વિકાસમાં સોનેરી ફાળો આપ્યો હતો. પરંતુ એ રાષ્ટ્રો આમ પણ સમૃદ્ધ હતા.
એથી વિપરીત આજનું ભારત લો અને મિડલ ઈન્કમ ગુ્રપનું છે, અવેન વિસ્તારોમાં હિજરતીઓના સંતાન માટે શૈક્ષણિક સવલત (સોંધી) ઊભી કરવી એ મોટો પડકાર બનશે. સ્થળાંતર અટકવાનું નથી. એ તો સદીઓથી થઈ રહ્યું છે.આજના માઠાં સમયમાં, વધી ગયેલી જરૂરિયાતો સાથે એની સાથે પનારો પાડવો એક પડકાર બનશે.