Magazines

આજની ભક્તિદ્વારા માણસની સત્યરૂપશ્રધ્ધાની અંધાધુંધી

By GS TEAM
24 Jun 20262 mins read
આજની ભક્તિદ્વારા માણસની સત્યરૂપશ્રધ્ધાની અંધાધુંધી

- અસત્ય ધર્મના કારણે માણસના માનસમાં કટ્ટરતાના બીજ રોપાય છે, મારો જ ધર્મ સર્વ શ્રેષ્ઠ એવી ભાવના ઉત્પન્ન થાય છે, જે સમાજમાં વાદ વિવાદમાં પરીણમે છે

નવું કે ગુરુવિના જ્ઞાન નહીં જેથી ગુરુના શરણે જવું એ એક અનિવાર્ય અંગ આજે માનવામાં આવે છે,

એટલે આજે સ્વાર્થ લોલુપ, અજ્ઞાનમાં સ્થિર એવા અજ્ઞાની ગુરુઓનો રાફડો ફાટયો છે, અને શરણાગતિના નામ પર એક જાતનું સ્વાર્થમુલક નૈતિક હલકાપણું આજના પંથોમાં અને સંપ્રદાયો અને કથાકારોમાં ભયંકર રીતે વ્યાપી ગયું છે.

આજના પંથ અને સંપ્રદાયોમાં, અસત્ય અને આડંબર જ જોવા મળે છે અને અનુભવ પણ થાય છે, આમ આજના પંથો અને સંપ્રદાયો માણસની આત્મિક શ્રધ્ધાનો ભયંકર ગેર ઉપયોગ કરી રહ્યા છે, એક જ દાખલો આના માટે પૂરતો છે, જ્યાં પણ ત્રણ વોકળાં ભેગા થતાં હોય ત્યાં નહાવાથી પાપ ધોવાય જ નહીં અને મોક્ષ સંપન્ન થાય જ નહિ. આ છતા ડિડક ચલાવે છે, અને આજે ચાલે પણ છે, જીવનમાં પાપ અને પુણ્ય મનનો ધર્મ છે, મનને સંશુધ્ધ કરવાથી અને પ્રજ્ઞામાં સ્થિત થઈ જાગૃત પણે જીવવાથી પાપ થાય જ નહીં, અને રોગદ્વેષ અહંકાર અને આંતરદ્વદ્વથી મુક્તિ પરમ સત્વ સંશુધ્ધતા વિના મોક્ષ નથી, મોક્ષ માટે તો સાધના કરી નિર્વિચાર થવું પડે, અને મનને અમન કરી પરમ મૌનમાં સ્થિર થવાથી જ અંતરમાંથી આત્મજ્ઞાન ઉપલબ્ધ થાય એ મોક્ષ છે,

ડોળા ગોબરા પાણીમાં નાવાથી સાત જન્મારે પણ મોક્ષ તો શું શાંતિપણ મળે જ નહિ તે શાશ્વત્ સિધ્ધાંત છે, તેમ છતાં ગબારા ચલાવેજ છે, અને પોતાનો સ્વાર્થ સાધે છે,

આજે ધર્મમાં સ્વાર્થ અને અસત્ય વ્યાપી ગયુ છે, ક્યાંય પણ આત્મિક સત્યના આચરણનું પરિણામ કે પરિણામ આજના સંપ્રદાયો કે પંથમાં જોવા જ મળતું નથી, જીવનમાં સત્ય સ્વરૂપ  પુરુષાર્થ દ્વારા ન્યાય સંપન્ન અર્થોપાર્જનનું નામ નિશાન નથી, અને પરિગ્રહનું પરિણામ પણ ક્યાંક જોવા મળતું નથી, કે આંતર સંશુધ્ધિ દ્વારા આચરણ કે અનુસરણ પણ જોવા જ મળતું નથી, આમ સો ટકા ધર્મના નામે અંધાધુધી જ ચાલી રહી છે તે સત્ય હકીકત છે,

આવા અસત્ય ધર્મના કારણે માણસના માનસમાં કટ્ટરતાના બીજ રોપાય છે, મારો જ પંથ, મારો જ સંપ્રદાય મારો જ ગુરુ, મારો જ વિચાર, મારો જ ધર્મ સર્વ શ્રેષ્ઠ એવી ભાવના ઉત્પન્ન થાય છે, જે સમાજમાં વાદ વિવાદમાં પરીણમે છે.

- તત્વચિંતક વી. પટેલ