ભારતે, નવાજોમ સાથે નવચેતનાની ગૌરવની.. જ્યારે અનુભૂતિ કરી..ને.. સ્વામી વિવેકાનંદજીને, આદરપૂર્વક બિરદાવ્યા
વિવેકાનંદજીએ પાશ્ચાત્મ સંસ્કૃતિનાં બાહ્ય ચળકાટનો મોહથી મુક્ત કરી, દેશવાસીઓને ગૌરવભર્યા વારસાની કિંમત પૂરેપૂરી સમજાવી છે.
૧૮ સપ્ટે. ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદમાં ભારતના આધ્યાત્મિક વિજય અને ગૌરવનો કીર્તિધ્વજ યુરોપ અને અમેરિકાની ધનાઢયભૂમિ ઉપર સ્વામી વિવેકાનંદજીનું ભારતમાં આગમન થતાં કોલંબોમાં, જાફનામાં, પંજાબમાં, રામેશ્વરમાં, રામનદમાં, શિવગંગા અને માનમહુરામાં, કુંભકોણમ્માં, મદ્રાસમાં તથા અન્ય સ્થળોએ સ્વામીજીનું દબદબા ભર્યું શાહી સ્વાગત થયું. પ્રેમાદર માનપત્રો પણ તેમને અર્પણ થયાં.
આ માનપત્રોમાં ઓજસપૂર્ણ ભાષામાં વિવેકાનંદજીના અનુપમ વ્યકિતત્વ અને સિદ્ધિને બિરદાવી ભારતીય સમાજે સનાતન હિંદુધર્મ સંસ્કૃતિના ઉમદા સંસ્કારોનું દર્શન કરાવ્યું. તે ભાવપૂર્ણ ઉક્તિઓનાં ઉદાહરણ : (થોડાક નમૂના રૂપે)
- ' સર્વ સંપ્રદાયોનો સમન્વય તથા પ્રાણીમાત્રને તેની જરૂરિયાત અનુસાર આધ્યાત્મિકતાના પ્રદાન સાથે ઇશ્વર પ્રતિ પ્રેમપૂર્વક દોરી જવાનો હિંદુધર્મનો વિશ્વધર્મ તરીકેનો આદર્શ આપે (વિવેકાનંદજીએ) જાહેર કર્યો.
- અસંખ્ય દેશવાસીઓને આપે (વિવેકાનંદજીએ) પાશ્ચાત્મ સંસ્કૃતિનાં બાહ્ય ચળકાટનો મોહથી મુક્ત કરી, તેમને ગૌરવભર્યા વારસાની કિંમત પૂરેપૂરી સમજાવી છે.
- વેદોમાં પ્રબોધવામાં આવેલા આપણા સત્યના પ્રકાશને વિશ્વધર્મ પરિષદમાં લઈ જવામાં, ભારતના દિવ્ય તત્વજ્ઞાાનનાં સત્યો અમેરિકા અને ઇંગ્લેન્ડમાં ફેલાવવામાં અને હિંદુધર્મનાં સત્યોથી પશ્ચિમની દુનિયાને પરિચિત કરવામાં, આપે કરેલા ઉમદા અને અનાસક્ત પુરુષાર્થ માટે અમે (ભારતીય જન) ઊંડી કૃતજ્ઞાતા વ્યક્ત કરીએ છીએ.
- આપણા યુગમાન્ય અને ઉચ્ચધર્મની આંતરિક ગુણવત્તા અને શ્રેષ્ઠતાની પશ્ચિમના મહાન પંડિતોને પ્રતીતિ કરાવવા આપના (વિવેકાનંદજી) પ્રશંસનીય પ્રયાસોને અપૂર્વ વિજ્યકલગી વરી છે.
- વૈદિક સાહિત્યમાં રહેલાં પવિત્ર સત્યોની આપે (વિવેકાનંદ) કરેલ ઉદાર વ્યાખ્યા દ્વારા આપણા સનાતન ધર્મની વિરુધ્ધ પશ્ચિમના વિદ્વજનોના મનમાં બંધાયેલા પૂર્વગ્રહોને આપે દૂર કર્યા છે. આપના (વિવેકાનંદના) ભવ્ય વ્યકિતત્વનો આકર્ષક પ્રભાવ અમને પ્રાચીન ઋષિમુનિઓનું સ્મરણ કરાવે છે.'
- 'વિશ્વધર્મપરિષદમાં એકત્ર થયેલા ભિન્નભિન્ન ધર્મોના અનુયાયીઓ વચ્ચે ભારતીય તત્ત્વદર્શનનો વિજયધ્વજ ફરકાવવામાં હૃદયની જે વિશાળતાથી આપ (વિવેકાનંદ) શક્તિમાન બન્યા છો.
સ્વાગત સમારંભોમાં સ્વામી વિવેકાનંદજીએ પ્રત્યુત્તર રૂપે તેજોમય વાણીમાં જ્ઞાાનસભર પ્રવચનો આપેલાં. તેમાંના 'શક્તિ-સામર્થ્ય પ્રેરણા સંદેશ' આપણા સૌના જીવનના નૈતિક તેમજ આધ્યાત્મિક પાયા વધુ મજબૂત થાય તે માટે કટિબદ્ધ થવા પ્રેરે તેવા છે.
- ઉદાહરણરૂપે થોડાક
પ્રેરણાસંદેશ :-
ભારતીયપ્રજાએ જો જીવતા રહેવું હોય તો ધર્મને રાષ્ટ્રીય જીવનના મેરુદંડ તરીકે જાળવવાની જરૂર છે.
'જ્યાં માનવતાએ મૃદુતાની, ઉદારતાની, પવિત્રતાની, શાંતિની, સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હોય, સૌથી વિશેષ અંતર્મુખનાની અને આધ્યાત્મિકતાની જો કોઈ ભૂમિ હોય તો તે ભારતભૂમિ છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્ત્વજ્ઞાાનની ભરતીના મહાજુવાળનો પ્રારંભ, આ ભારતભૂમિ પરથી થયો હતો.'
- માનવી, ઇશ્વર, અને પ્રકૃતિ વિશેની આ બધી અદ્ભુત અનંત, ઉદાવી, વિશાળતાપૂર્ણ વિચારદૃષ્ટિ તળે રહેલા મહાન નિયમો ભારતમાંજ ઉત્પન્ન થયેલા છે.
- હિંદુ પ્રજામાં પ્રાણશક્તિ હજી પૂરતા પ્રમાણમાં છે. યોગ્ય સમય અને જરૂર ઉભી થતાં એ ધોધબંધ નીકળી આવે છે.
' આ આપણું રાષ્ટ્રરૂપી નાવ અહીં યુગો થયાં કાર્યક્ષમ રહીને તરતું આવ્યું છે. આજે કદાચ એમાં કાણું પડયું હશે, આજે કદાચ એ ઘસાઈ ગયું હશે અને જો એમ હોય તો તમને અમને છાજે તો એ કે આપણે આપણાથી બનતા સર્વ પ્રયાસો કરીને એ કાણું કે તરડ બંધ કરી દઈએ. આપણે આપણા દેશબાંધવોને પણ એ ભયની સૂચના આપીએ. જેથી તેઓ જાગી ઉઠે અને આપણી મદદે આવે.'
- સમસ્ત માનવસમાજને સહાનુભૂતિપૂર્વક અને ધીરેધીરે ઊંચે લઈ જઇને અહિંસક ....સ્થિર, પ્રભુપરાયણ, પવિત્ર અને ધ્યાનપરાયણ આધ્યાત્મિક માનવના મહાન આદર્શે પહોંચાડવાના છે.'
ઉપર વર્ણવેલી ઘટના ભારતીય ધર્મસંસ્કૃતિના આધ્યાત્મિક ઇતિહાસની ગૌરવપ્રદ સંસ્મૃતિ છે. જે રાષ્ટ્રીય, ધાર્મિક, સાંસ્કૃતિક, નૈતિક જીવનના મજબૂત પાયા બનાવવા ઊર્જારૂપ બની શકે છે.
સાર બોધ:
- મહાપુરુષોના પ્રસંગો આચરણીય, અનુકરણીય અને સંસ્મરણીય હોય છે.
- મહાપુરુષોના પ્રસંગોમાં જીવન પરિવર્તનની પ્રક્રિયાનું માર્ગદર્શન હોય છે.
- મહાપુરુષો ચારિત્ર્ય ઘડનાર 'કૃતિશીલ' છે.
- મહાપુરુષોમાં સઘન, વ્યાપક, માનવીય સ્પર્શ હોય છે.
- તેઓ ઉચ્ચજીવનનો, વૈચારિક શક્તિ પ્રાપ્ત કરવાનો અને પરમતત્ત્વની આરાધનાનો માર્ગ બતાવે છે.