Get The App

મેથીવાળા પાણીના સેવનના ફાયદા

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
મેથીવાળા પાણીના સેવનના ફાયદા 1 - image


મેથી સ્વાસ્થય માટે ગુણકારી છે, તે  સહુ જાણે છે. તેનું પાણી પણ વિવિધ તકલીફોમાં લાભકારી પૂરવાર થયું છે.  બ્લડ સુગર કન્ટ્રોલ કરવાની હોય, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરવાનું હોય, વજન ઘટાડવાનું હોય કે પાચનક્રિયાની તકલીફ હોય તો મેથી દાણાના સેવનથી રાહત મળે છે. તે શરીરના દરેક દુખાવાને દૂર કરવામાં સહાયક છે. તેની ચા બનાવીને, તેના દાણા ખાઇને પછી કે તેનો પાવડર કરીને સેવન કરવામાં આવે છે. પરંતુ મેથીનું પાણી પણ લાભકારી સાબિત થયું છે. 

મેથીનું પાણી બનાવવાની રીત

એક મોટા બાઉલમાં પાણી લઇ તેમાં  બે ચમચા મેથીના દાણા નાખી રાતના ભીંજવવા. સવારે આ પાણીને ગાળી લઇને નયણા કોઠે સેવન કરવું. 

એક ચમચો મેથીના દાણાને તેલ વગર હળવા શેકવા અને પછી તેને દળીને પાવડક કરવો.એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચો મેથી પાવડર ભેળવી પીવું.

ડાયાબિટિસના દરદીઓનો રામબાણ ઇલાજ

ડાયાબિટિસના દરદીઓ માટે મેથી રામબાણ ઇલાજ છે. તેમાં ફાઇબરની માત્રા અધિક પ્રમાણમાં હોય છે. ટાઇપ વન અને ટાઇપ ટુ બન્ને ડાયાબિટિસના દરદીઓ માટે મેથી ગુણકારી છે. મેથી રક્તમાંના સુગરના પ્રમાણને ઓછું કરવામાં મદદ કરે છે. તેમાં એમીનો એસિડ હોવાથી તેને એન્ટીડાયાબીટિક પ્રોપર્ટી માનવામાં આવે ે છે, જેનાથી શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે અને રક્તમાંની સુગરને તોડવામાં મદ મળે છે. 

કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે

શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછા કરી ગુડ કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારે છે. તેમજ  તે ટ્રાઇગ્લિસરાઇડના લેવલને પણ ઓછું કરે છે અને શરીરમાં ચરબીના થર થવા દેતી નથી. જો બે-ત્રણ મહિના સુધી નિયમિત રીતે મેથીના પાણીનું સેવન કરવામાં આવે  તો  ચોક્કસ શરીમાંના એચડીએલ  એટલે કે ગુડ કોલેસ્ટ્રોલનુ ં પ્રમાણ વધે છે.

તાવ અને ગળાની તકલીફમાં ફાયદો

 લીંબુ અને મધ સાથે મેથીનું સેવન કરવામાં આવે તો આરામ થાય છે. મેથીમાં મ્યુસિલેજ નામનું એક તત્વ છે જેનાથી શરદી, ઊધરસ અને ગળામાં ખરાબીમાં રાહત થાય છે. મેથીનાપાણીનું સેવન આ તકલીફમાં રાહત આપે છે. 

વજન ઘટાડવામાં ઉપયોગી

મેથીમાં ભરપુર પ્રમાણમાં ફાઇબર સમાયેલું છે. તેથી  સવારે નયણા કોઠે મેથીનું પાણી પીવાછી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાની અનુભૂતિ થતી હોય છે.તેથી ભૂખ જલદી લાગતી નથી.ઓછું ખાવાથી ઓછી કેલરીનું સેવન થતું હોવાથી વજન કન્ટ્રોલમાં રહે છે. તેમજ પેટ ફુલવાની તકલીફ થતી નથી. પાણી સાથે દિવસમાં બે ત્રણ વખત કાચી મેથી ચાવવાથી પણ વજન ઘટાડે છે. 

પાચનક્રિયાને સુધારે છે

નયણેકોઠે મેથીના પાણીનું સેવન કરવાથી છાતીમાં બળતરા થતી, અપચો, એસિડિટી, કબજિયાત તેમજ પેટ સાથે જોડાયેલી સામાન્ય તલીફમાં રાહત મળે છે. મેથીમાં ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ ભરપુર માત્રામાં હોવાથી શરીરમાં રહેલા ટોક્સિન્સને બહાર કાઢીને પાચનતંત્ર સુધારે છે. તેમજ પાચનક્રિયા સાથે જોડાયેલી કોઇ તકલીફ થતી નથી. 

- સુરેખા

Tags :