Get The App

પુષ્પાસિંહે સાબિત કર્યું કે ધૈર્ય અને મનોબળ હોય તો કશું અશક્ય નથી

વામાવિશ્વ - અનુરાધા દેરાસરી

Updated: Jan 7th, 2020

GS TEAM

Google News
Google News
પુષ્પાસિંહે સાબિત કર્યું કે ધૈર્ય અને મનોબળ હોય તો કશું અશક્ય નથી 1 - image


એ સમય યાદ કરતાં પુષ્પા કહે છે. મને જ્યારે પૂરી સમજણ આવી ત્યારે મારા હાથની પરિસ્થિતિ જોઈ હું આઘાત પામી ગઈ અને નિરાશ થઈ ગઈ પરંતુ મારી માતા મારી જોડે ચટ્ટાનની જેમ ખડેપગે ઊભી રહેતી આથી તેણે મને સંપૂર્ણ ધીરજથી ઉછેરવાનું નક્કી કર્યું

દીકરો કુટુંબનો વારસો જાળવે, દીકરી ઘડપણની લાકડી બને. દીકરો ચિતાને અગ્નિ આપે, આ બધી વર્ષોથી ચાલી આવતી સામાજીક માન્યતાને કારણે કુળદીપકના જન્મ આપવા માટે, ઘણી માતાઓ અને કુટુંબીજનો કુળદીપીકાઓની ભૃણમાં જ હત્યા કરે છે. ખરેખર તો સ્ત્રી બે કુટુંબોમાં પોતાનો ઉજાસ પાથરે છે તે ખરા અર્થમાં કુળ દીપકા સ્કવેર છે, છતાં જૂનવાણી સામાજીક વિચારોવાળા સમાજમાં કુળદીપક મેદાન મારી જાય છે. પરંતુ આ સામે એવી પણ માતાઓ છે, જેને જાણ હોય છે કે, ગર્ભમાં બાળકનો વિકાસ સંપૂર્ણ નથી, છતાં જન્મ આપવા તૈયાર થાય છે. આ બહાદુર મહિલાઓ જીવનપર્યંત અલ્પવિકસિત બાળકને પણ ઉછેરવા તૈયાર હોય છે.

આવી જ કહાની પુષ્પાસીંઘની જોવા મળે છે. પુષ્પાસીંઘ જ્યારે માતાના ગર્ભમાં હતી, ત્યારે સોનોગ્રાફીમાં ખબર પડી કે બાળક અલ્પવિકસીત છે. તેમાં પણ તે સંતાન છોકરી હતી, જેના હાથના પંજા, ને આંગળીઓ વિકસીત ન હતી. ડૉક્ટરે, તબીબી દ્રષ્ટિએ, એબોર્શન (ગર્ભપાત) કરાવવાની સલાહ આપી, પરંતુ પુષ્પાસીંઘની માતાએ બાળકીને જન્મ આપવાનો નિર્ણય લીધો. પતિ અને કુટુંબીજનોની દલીલોની અવગણના કરી, તે સામે તેમણે પતિ અને કુટુંબીજનોને પડકાર આપ્યો કે આ દીકરીને હું ઉછેરીને બતાવીશ. તેણી નોર્મલ બાળક કરતાં પણ જીવન વિકાસની દિશામાં આગળ હશે અને શરૂ થઈ પુષ્પાસીંઘની જીવનની ટ્રેનીંગ.

પુષ્પાની હાથની આંગળીઓ ને પંજા વિકાસ પામ્યા ન હોવાથી, આગળથી બુઠ્ઠા હતા. આથી કોઈપણ વસ્તુ પકડવી અશક્ય હતી, પુષ્પાની માતાએ પુષ્પાને સમજાવવા માંડી. ખૂબ ધીરજથી, સાથે વિડિયો વગેરે બતાવીને, પુષ્પાને વસ્તુઓ પકડતા શીખવાડયું અને પુષ્પા જાતે બ્રશ કરતાં, સ્નાન કરતા જેવી રોજીંદી ક્રિયાઓ જાતે કરતી થઈ. એ સમય યાદ કરતાં પુષ્પા કહે છે.

મને જ્યારે પૂરી સમજણ આવી ત્યારે મારા હાથની પરિસ્થિતિ જોઈ હું આઘાત પામી ગઈ અને નિરાશ થઈ ગઈ પરંતુ મારી માતા મારી જોડે ચટ્ટાનની જેમ ખડેપગે ઊભી રહેતી આથી તેણે મને સંપૂર્ણ ધીરજથી ઉછેરવાનું નક્કી કર્યું. માતાની હિમ્મતે મારામાં હિમ્મત આવી અને મેં દ્રઢ મનોબળ કરી જીવન જીવવાનો સંકલ્પ કર્યો ને જીવન મેરોથોનમાં હું આગળ વધવા માંડી. મારી બધી જ દૈનિક ક્રિયાઓ સ્નાન, બ્રશ, ઈસ્ત્રી, જમવું, ટેલીફોન પકડવો ને વાત કરવી બધી જ માતાની ટ્રેનીંગ મેળવી જાતે કરવા માંડી.

સૌના આશ્ચર્ય વચ્ચે, પુષ્પાસીંઘ વોટ્સઅપ ફોન આવે છે અને બે જ મિનિટમાં તે પકડી સામાન્ય માણસની જેમ વાત કરે છે.

બીજા સ્ટેપમાં માતાએ પુષ્પાને પગથી પેન પકડી લખતા શીખવ્યું, કારણ કે કોઈપણ વ્યક્તિના જીવનમાં શિક્ષણ સૌથી અગત્યનું પાસું છે, જે વ્યક્તિનો આર્થિક, સામાજીક વિકાસ કરે છે. પુષ્પા ઉત્તરપ્રદેશના મોંગોલા નામના અત્યંત નાના ગામની વતની હતી. આથી પ્રાથમિક શાળા ગામમાં કરાવી અને આગળ ભણવા પિતરાઈ કાકી પાસે બદારાઈચ શહેરમાં મોકલી.

પુષ્પા ભણવામાં હોશિયાર હતી. તે બધી જ નોટ્સ પગથી લખતી અને પરીક્ષા પણ પગથી આપતી. આટલી કુનેહ અને હિમ્મત ને દ્રઢ મનોબળ સાથે તેણીએ હાઈસ્કુલનો અભ્યાસ પૂરો કર્યો અને શૈક્ષણિક કારકિર્દીમાં ઉચ્ચત્તમ શિખરો સર કરી, શિક્ષણમાં સ્નાતક થઈ અને કોમ્પ્યુટર સાથે એમસીએ થઈ.

પરંતુ આ પુષ્પાસીંઘની યાત્રા ઘણી કઠીન હતી તે પ્રસંગને યાદ કરતા, પુષ્પા જણાવે છે કે જ્યારે ઉચ્ચતર શાળામાં આવ્યા પછી મેં કોમ્પ્યુટર શીખવાનો નિર્ણય કુટુંબીજનોને જણાવ્યો ત્યારે મારા કુટુંબીજનો તેમજ શિક્ષકો અચંબામાં પડી ગયા અને મારી સામે આશ્ચર્યચક્તિ થઈ જોઈ રહ્યા. મારી માતાએ એ સમયમાં પણ હિમ્મત આપી. જોકે હું પોતે મારી જાતમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતી હતી, આથી મેં કોમ્પ્યુટર કલાસ જોઈન કર્યા અને સૌના આશ્ચર્યની વચ્ચે એક અઠવાડિયામાં પુષ્પાસીંઘ કલાસના બીજા વિદ્યાર્થીઓથી આગળ વધી ગઈ.

આજે પુષ્પાસીંઘ બદારાઈચની કોલેજમાં કોમ્પ્યુટર વિષયની શિક્ષિકા છે.

આ કોલેજમાં તેના ઈન્ટરવ્યુ લેતા પ્રિન્સીપાલ પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, જ્યારે પુષ્પા ઈન્ટરવ્યુ માટે આવી ત્યારે લાંબી બાયના કુર્તા-પાયજામામાં તે નોર્મલ યુવતી જણાતી હતી. જ્યારે તેણે હિમ્મતથી કહ્યું કે હું હાથથી નહિ કોમ્પ્યુટર પગથી ચલાવું છું ત્યારે સૌ આશ્ચર્યમાં પડી ગયા પરંતુ 

ઈન્ટરવ્યુ દરમ્યાન તેનું જ્ઞાાન અને પગથી કોમ્પ્યુટર પર કામ કરવાની ઝડપ જોઈ, અમે આશ્ચર્યચક્તિ થઈ ગયા અને એક જ ક્ષણમાં સૌએ તેણીને શિક્ષિકાની નોકરી માટે પસંદ કરી લીધી.

પુષ્પાસીંઘની વિકાસયાત્રા આટલેથી અટકતી નથી. આ પછી સફળતાની સીડીમાં તેણીએ તેના વિસ્તારમાં, બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સીલ (BOD) ની ચૂંટણીમાં ઝંપલાવ્યું. આ ચૂંટણીમાં પુષ્પાસીંઘ સામે સરસ્વતીદેવી નામની મહિલા ઉભી રહી હતી. છતાં પુષ્પાસીંઘ ચૂંટાઈ આવી. ત્યાંના મતદારો, તેમાં પણ ખાસ કરીને સ્ત્રીવર્ગનું કહેવું હતું કે, પુષ્પા પોતે જીવનમાં પોતાની શારીરિક મુશ્કેલીઓ છતાં, ડર્યા વગર સંપૂર્ણ વિકાસ કર્યો છે તેનું ધ્યેય આ શારસ્વતી પછાત વિસ્તારની યુવતીઓના શિક્ષણ માટે કામ કરવું, આ વિસ્તારના અપંગ બાળકોને સુવિધાઓ આપવી અને તેમનો વિકાસ કરવો વગેરે છે, આ ધ્યેયને પાર પાડવા પુષ્પાસીંઘ સિવાય બીજું કોઈ હોઈ શકે જ નહિ. આથી તેઓએ તેની વરણી કરી છે.

છેલ્લા સમાચાર પ્રમાણે પુષ્પાસીંઘ અત્યારે લખનવમાં બીએડની ટ્રેનીંગ લઈ રહી છે. પોતાના બીએડના લેસન પગથી રોલીંગ બોર્ડ પર લખી રાત્રે બતાવે છે અને સવારે શાળાએ લઈ જાય છે. આ પરીક્ષામાં તે પોતે ઉત્તમ રીતે ઉતિર્ણ થશે, એમ આશા રાખે છે.

આ દ્રષ્ટાંત પરથી ખાસ માતાઓને કહેવાનું છે કે, એક માતા માતા તરીકે અલ્પવિકસીત બાળકીને જન્મ આપી, તેને નોર્મલ બનાવી, સફળ બનાવી શકે છે. આથી કોઈપણ માતાએ દીકરીની ભૃણ હત્યા ના કરવી જોઈએ. દીકરીને જન્મ આપવો એ તો બે કૂળોને ઉજાસ આપવાની વાત છે. આથી કોઈપણ સ્ત્રીએ દીકરીને જન્મ પહેલા મારવી જોઈએ નહિ અને જો તેના પર દબાણ કરવામાં આવે તો તેનો સખ્ત રીતે સામનો કરવો જોઈએ.

Tags :