For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

1987 સુધી ખેતીની જમીન ખરીદવા ગણોતધારાની કલમ - 63-64 એ ની મુક્તિ અંગે સ્પષ્ટતા

- ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-1961 હેઠળ

Updated: Aug 8th, 2021

1987 સુધી ખેતીની જમીન ખરીદવા ગણોતધારાની કલમ - 63-64 એ ની મુક્તિ અંગે સ્પષ્ટતા

- લોકાભિમુખ માર્ગદર્શન : - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ગણોતધારાની કલમ-૬૪ એ હેઠળ સહકારી મંડળીઓએ ૧૯૮૭ પહેલાં ખેત વિષયક જમીનમાં હાલ કલમ-૬૩ નો ભંગ ગણી કાર્યવાહી કરી શકાય નહી

બ્રિટીશ શાસન વ્યવસ્થામાં મુંબઈ પ્રાન્તમાં જેમાં હાલના ગુજરાત સૌરાષ્ટ્ર, કચ્છનો સમાવેશ થતો તે સમયે મુંબઈ સહકારી અધિનિયમ - ૧૯૨૫ ઘડવામાં આવેલ. અંગ્રેજ શાસન વ્યવસ્થામાં સુધારાવાદી કાયદાઓ મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ અને મોરલે મીન્ટોના સુધારા અનુક્રમે ૧૯૦૯ અને ૧૯૧૯ના સમયગાળામાં શરૂ થયેલ. આ જ સમયગાળાનો સમકાલીન કાયદો સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ તરીકે ન્ર્બચન Local Self Government  પણ ઘડવામાં આવેલ અને તેને અનુરૂપ સહકારી પ્રવૃત્તિના નિયમન માટે ૧૯૨૫નો સહકારી અધિનિયમ મુંબઈ પ્રાન્તમાં અમલી હતો. ગુજરાત રાજ્ય ૧૯૬૦થી અમલમાં આવતાં ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ ઘડવામાં આવ્યો અને આ કાયદાનું હાર્દ Cooperative Principની હોવાથી સામુહિક હિત કેન્દ્ર સ્થાને હતું અને સહકારી પ્રવૃત્તિ દ્વારા સામુહિક વિકાસને વેગ મળે તે મુજબની જોગવાઈઓ હતી એટલે હાઉસીંગ સોસાયટી, સામુદાયિક ખેતી મંડળી વિગેરે માટે પાયાની જરૂરિયાતરૂપે ખેતીની જમીન જરૂરી બને અને એટલા માટે ખેતીની જમીન નિયમન કરતો મુંબઈ ગણોત અને ખેતીની જમીન નિયમન કરતો કાયદો - ૧૯૪૮ ઘડવામાં આવ્યો અને આ કાયદામાં ગણોતધારાની કલમ-૬૩ ની જોગવાઈ મુજબ ખેડુત સિવાય કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ધરાવતા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. પરંતુ આ કાયદાની કલમ - ૬૪ એ મુજબ સહકારી મંડળીઓએ અથવા તેમની તરફેણમાં કરેલ વેચાણોની મુક્તિ આપતી જોગવાઈ કરવામાં આવેલ એટલે કે સહકારી કાયદા અન્વયે રચાયેલ કાયદેસરની સહકારી મંડળી દ્વારા ખેતીની જમીન ખરીદવા માટે બિન ખેડુત સંસ્થા હોવા છતાં મુક્તિ હતી. પરંતુ સરકારે ગુજરાતના સુધારા કાયદા નં. ૨૧ / ૧૯૮૭ થી કલમ - ૬૪ એ તા.૨૦-૪-૮૭થી અમલમાં આવે તે રીતે રદ કરવામાં આવેલ છે એટલે કે હવે કોઈપણ સહકારી મંડળીએ બિન ખેતીના હેતુ માટે જમીન ખરીદવી હોય તો ગણોતધારાની કલમ - ૬૩ હેઠળની કલેક્ટરની મંજૂરી મેળવવી પડે. ૧૯૮૭માં ગણોતધારાની કલમ - ૬૪ એ રદ કરવામાં આવી, ત્યારે આ કાયદામાં પશ્ચાતવર્તી અસર આપી નથી એટલે કે ૧૯૮૭ પહેલાં જે સહકારી મંડળીઓએ  કલમ - ૬૪ એ હેઠળ ખેતીની જમીન ખરીદેલ હોય તે કાયદેસર ગણાય. પાયાનો સિધ્ધાંત એ છે કે સહકારી મંડળી અધિનિયમ હેઠળ જે હેતુ માટે સહકારી મંડળી રચી હોય અને તે હેતુ માટે ખેતીની જમીન ખરીદી હોય તો તેમાં સહકારી મંડળીના સભાસદોના સામુહિક હિત કેન્દ્ર સ્થાને હતું એટલે કે તેમાં નફાકીય હેતુ માટે ખેતીની જમીન ધારણ કરી હોય તે મુળભુત ઉદ્દેશ ન હતો.

સહકારી મંડળીઓને રાજ્ય સરકારની નિતી મુજબ પણ ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ ફાજલ થયેલ જમીન અગ્રતાના ધોરણે ફાળવવાની હતી. તે જ રીતે સરકારી જમીનનો પણ નિકાલ કરતી વખતે સહકારી મંડળીઓને અગ્રતા તે જ રીતે ગણોતધારાની જોગવાઈઓ હેઠળ ૩૨ પી તેમજ ૮૪ સી હેઠળ ફાજલ થયેલ જમીનના નિકાલમાં પણ સહકારી મંડળીઓને અગ્રતા આપવાની જોગવાઈ હતી અને આ રીતે સમગ્ર રાજ્યમાં જુદી જુદી જગ્યાએ ખેત વિષયક સામુદાયિક સહકારી મંડળીઓને જમીન ફાળવવામાં આવેલ છે અને મોટાભાગની જમીનોમાં મૂળ સભાસદો જમીન ખેડતા નથી અથવા તો અંદરખાને આવી જમીનો વેચાઈ ગઈ છે. આવી જમીનો કાયદેસર રીતે વેચાણ પરવાનગીને પાત્ર નથી કે હેતુફેરને પણ પાત્ર નથી કારણ કે આવી જમીનો સબંધિત સહકારી મંડળીના સભ્યને ભરણ પોષણ (Livelihood) માટે ફાળવેલ છે. અમો સુરત પ્રાન્ત હતા ત્યારે ડુમ્મસ, દામકા વિગેરે ગામોએ જે હેતુ માટે જમીન સહકારી મંડળીઓને જમીન ફાળવેલ તે હેતુ માટે ઉપયોગ ન થતાં અથવા તો આંતરિક રીતે વેચાણ થતાં શરતભંગ હેઠળ સરકાર દાખલ કરેલ આજ રીતે રાજકોટ કલેક્ટર તરીકે લોધીકા તાલુકામાં સામુદાયિક સહકારી મંડળીઓને જમીન ખેત વિષયક હેતુ માટે ફાળવેલ તે શરતભંગ થતાં સરકારે દાખલ કરેલ છે. આમ આ જમીનો બિન તબદીલીને પાત્ર તેમજ હેતુફેરને કે બિન ખેતી વિષયક હેતુ માટે પરવાનગી પાત્ર નથી.

તાજેતરમાં મારી સમક્ષ એવી રજૂઆત આવી છે કે સહકારી મંડળીઓએ ધારણ કરેલ જમીનમાં બિન ખેતીની પરવાનગી ન આપવા માટે મહેસૂલ વિભાગ તા. ૧૭-૨-૨૦૧૭ના પરિપત્રની સુચના આપી છે અને આ સહકારી મંડળીઓએ ધારણ કરેલ જમીનો ગણોતધારામાં ૬૪ એ ની જોગવાઈ તા. ૨૦-૪-૧૯૮૭ થી રદ કરવામાં આવી તે પહેલાંની છે. ગુજરાત હાઈકોર્ટમાં બરોડાના  માણેજાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ સ્પે સી એ - ૧૩૩૫૫/૭૫ તા. ૨૪-૧-૭૭ના ચુકાદાથી જસ્ટીસ ઠક્કરે ઠરાવેલ કે, કલમ - ૬૪ એ મુજબ સહકારી મંડળીના કાયદાની કાર્યવાહીના વેચાણો અંગે નહિ પણ બધા જ વેચાણો માટે મુક્તિ છે. હવે કાયદાના મુળભુત હાર્દ (Spirit)માં જઈએ તો સહકારી મંડળીઓ તેના હેતુઓ સિધ્ધ કરે તે માટે ખેતીની જમીનો ખરીદવા જે તે સમયે ગણોતધારાની કલમ - ૬૩ અને ૬૪ એ હેઠળની મુક્તિ એટલા માટે આપેલ કે દા.ત. સહકારી હાઉસીંગ સોસાયટીની રચના, સભ્યોના મકાનો બાંધવા માટે, ઔદ્યોગિક સહકારી મંડળી, ઔદ્યોગિક પ્લોટોનો બિન ખેતીવિષયક હેતુ માટે થઈ જવો જોઈએ. વર્ષો સુધી સહકારી મંડળીએ ખેતી વિષયક જમીન ધારણ કરી હવે નફાકીય હેતુ (Profiteering) માટે હેતુફેર કે બિન ખેતી કરવા માંગે તો તે યોગ્ય નથી. કારણ કે મુક્તિ આપવાનો મુળભુત હેતુ સરતો નથી. તે જ રીતે જો ખેતી વિષયક સામુદાયિક મંડળીને સરકારે જમીન ફાળવી હોય અથવા ફાજલ જમીનની ફાળવણી કરી હોય તો તે ફક્ત સબંધિત વ્યક્તિને / પ્રયોજકને ભરણપોષણના ભાગરૂપે ફાળવેલ હોઈ જો તે જ હેતુ માટે ઉપયોગ કરવામાં ન આવે તો આવી જમીનો કાયદાના મુળભુત હાર્દ સાથે સુસંગત નથી એટલે હેતુફેર કરી શકાય નહી. પરંતુ આવી જમીન શહેરી વિસ્તારમાં આવી ગયેલ હોય તો જાહેર હેતુ માટે લઈ, આ લાભાર્થીઓને ટી.પી. એક્ટની જોગવાઈ પ્રમાણે વળતર આપી શકાય. પરંતુ જે જમીનો સહકારી અધિનિયમ હેઠળ ખાનગી જમીનો ખરીદી છે તે કિસ્સામાં ગણોતધારાની કલમ-૬૪ એ તા. ૨૦-૪-૮૭ રદ કરી છે તે પહેલાંની ખરીદી હોય તો તેમાં શરતભંગ થતો નથી અને તેવુ કૃત્ય કાયદેસર છે પરંતુ આ બધી જમીનોમાં ખેત વિષયક જમીન ખરીદીને, લાંબો સમય સુધી ઉપયોગ ન કરીને હાલ (Profiteering) ઉદ્દેશ ઉમેરાય છે એટલે જેમ કલમ-૬૩ના ભંગ બદલ બિન ખેતી વિષયક હેતુ માટે પરવાનગી આપવામાં આવી હોય અને સમયસર ઉપયોગ ન કરવા બદલ જેમ પ્રિમિયમ વસુલ કરીને આવા વ્યવહાર નિયમબદ્ધ કરવામાં આવ્યા છે તે મુજબ નિર્ણય કરવો જોઈએ. Otherwise કાયદાકીય દ્રષ્ટિએ ૧૯૮૭ પહેલાના ખેત વિષયક જમીન સહકારી મંડળીએ ખરીદી હોય તેમાં ૬૩ ના ભંગ બદલ ૮૪ સી હેઠળની કાર્યવાહી પણ થઈ શકતી નથી એટલે ૧૯૮૭ પહેલાં સહકારી મંડળીએ - ૬૪ એ ની મુક્તિ હેઠળ જે જમીનો ખરીદી છે તેમાં હેતુફેર / બિન ખેતી વિષયક પરવાનગી ઉપર્યુક્ત સુચવ્યા મુજબની જોગવાઈ દાખલ કરી પરવાનગી આપવાપાત્ર ગણવી જોઈએ.

Gujarat