સંજય દત્ત ફરી એકવાર તબીબી તપાસ માટે અમેરિકામાં...

- ઓગસ્ટ, 2020માં સંજય દત્તને પાંચ વર્ષના મેડિકલ વિઝા અમેરિકા તરફથી આપવામાં આવ્યા જેથી કરીને એ ન્યૂયોર્કના મેમોરિયલ સ્લોન કેટલિંગ કેન્સર સેન્ટર પાસેથી તે અત્યંત મહત્ત્વનો બીજો અભિપ્રાય પણ મેળવી શકે
હિન્દી ફિલ્મોમાં અત્યારે સારુંએવું યોગદાન આપી રહેલો ૬૬ વર્ષનો અભિનેતા સંજય દત્ત તેને ઓગસ્ટ, ૨૦૨૦માં ચોથા તબક્કાનું ફેફસાંનું કેન્સર થયાનું જાહેર થયા પછી બોલિવુડમાં જબરદસ્ત ગભરાટ ફેલાયો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને ફેંફસાંમાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ ગયું એવી ફરિયાદ થકી લોકો ચિંતામાં પડી ગયા હતા. જો કે મુંબઈની એક હોસ્પિટલમાં શ્રેષ્ઠ ઓન્કોલોજિસ્ટની દેખરેખ હેઠળ સફળ અને કઠોર સારવાર બાદ એક નિકટના મિત્ર દ્વારા એવી ભલામણ કરવામાં આવી, જેથી કરીને સંજય દત્ત અને તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો. સંજય દત્તને તે જ વર્ષે કેન્સરયુક્ત જાહેર કરવામાં આવ્યા.
ઓગસ્ટ, ૨૦૨૦માં સંજય દત્તને પાંચ વર્ષના મેડિકલ વિઝા અમેરિકા તરફથી આપવામાં આવ્યા જેથી કરીને એ ન્યૂયોર્કના મેમોરિયલ સ્લોન કેટલિંગ કેન્સર સેન્ટર પાસેથી તે અત્યંત મહત્ત્વનો બીજો અભિપ્રાય પણ મેળવી શકે. તેની માતા ફિલ્મ અભિનેત્રી નરગિસ દત્તે પણ ૮૦ ના દાયકાની શરૂઆતમાં આ જ હોસ્પિટલમાંથી કેન્સરની સારવાર લીધી હતી.
પાછા મૂળ વાત પર ફરીએ તો સંજય દત્ત દર વર્ષે નિયમિત તપાસ માટે અમેરિકાની મુલાકાત લેતા રહે છે. આ બધાની સરખામણીમાં ૨૦૨૬ પણ કંઈ અલગ તો નથી જ. હજુ એક અઠવાડિયા પહેલાં જ સંજય દત્ત ૧૫ મેના રોજ રિલિઝ થયેલી તેની ફિલ્મ 'આખરી સવાલ'ના પ્રમોશન માટે એક મોટા મીડિયા કાર્યક્રમ પછી મુંબઈ છોડીને જતા જોવા મળ્યો હ તો. આ પોલિટિકલ ડ્રામા ફિલ્મમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની વિચારધારાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત આધુનિક ભારતના ધર્મનિરપેક્ષતા પરના વિભાજિત મંતવ્યોનું અન્વેષણ કરવામાં આવ્યું છે.
જો કે 'આખરી સવાલ' ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી ઓછી કમાણી કરી રહી છે. આ ફિલ્મે રિલિઝના પહેલા મંગળવારે રૃા.૧.૭૦ કરોડની કમાણી કરી છે.
સંજય દત્ત જ 'આખરી સવાલ' ફિલ્મનો હીરો અને નિર્માતા છે અને તે એકલા જ ગયા અઠવાડિયે અમેરિકા ગયા હતા અને હાલમાં તે તેમના શ્રેષ્ઠ મિત્ર સાથે લોસ એન્જેલસમાં છે. પરેશ ઘેલાણી પહેલા અમેરિકન પ્રવાસમાં સંજય દત્ત સાથે રહ્યા હતા અને એપલમાં મેમોરિયલ સ્લોન કેટરિંગના નિષ્ણાતોની સલાહ લીધી હોવાની અફવા પણ જાણવા મળી છે, પરંતુ આ વખતે તેમણે કેલિફોર્નિયામાં તબીબી અભિપ્રાય જાણ્યો હોવાનું જાણવા મળ્યું છે.
નિકટના સૂત્રોએ જણાવ્યું હતું કે સંજુના આખા અમેરિકન પ્રવાસ અંગે જાણકારી મળી સંજય દત્ત લોસ એન્જેલસના પૂર્વ કિનારા વિસ્તારમાં પણ જઈ શકે એમ છે. હાલમાં તેની શારીરિક તંદુરસ્તી વિશે એટલું જ કહી શકાય કે તે સ્વસ્થ છે. તે છેલ્લા કેટલાંક વર્ષોથી વાર્ષિક ચેક-અપ માટે નિયમિતપણે અમેરિકાની મુસાફરી કરી રહ્યો છે.
અમે વધુ જાણકારી મેળવવા માટે સંજય દત્તનો સંપર્ક કરી અમેરિકાના પ્રવાસ વિશે પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.









