Get The App

સહિયર સમીક્ષા - નયના

Updated: Dec 2nd, 2019

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા - નયના 1 - image


મારા લગ્ન થયાને ૨૦ વરસ થયા છે. છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો છે. અમે સેક્સ પણ માણીએ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે 

હુું એક યુવકને પ્રેમ કરું છું. એકાદ વર્ષ પહેલાં તે મને છોડીને જતો રહ્યો હતો અને હવે પાછો ફર્યો છે. અને મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો કરે છે. પરંતુ તે ઘણો પઝેઝિવ છે. હું જીન્સ કે ટ્રાઉઝર્સ પહેરું એ એને ગમતું નથી. તે મને કોઈની સાથે વાતો પણ કરવા દેતો નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

- એક યુવતી (બગસરા)

* લોકો તેમની ભૂલમાંથી બોધપાઠ લે છે. આથી શક્ય છે કે તમને છોડવાની કરેલી ભૂલનો તેને પસ્તાવો થતો હશે અને તે તમને સાચો પ્રેમ કરતો હોવાથી તમારી પાસે પાછો આવ્યો હશે. પરંતુ પઝેઝિવનેસ અને દાદાગીરી તેમ જ આપખુદશાહી પ્રેમ પ્રગટ કરવાના લક્ષણો નથી.  આવા લક્ષણો એ યુવકની અસુરક્ષિતતાના અને અવિશ્વાસ પ્રગટ કરે છે.

તમે તમારી મરજી મુજબ કોેઈને પણ પ્રેમ કરી શકો છો. પરંતુ પોેતાની જાતને પ્રેમ કરવાનું છોડો નહીં. શું તમારે બહાર જવા માટે કે તમારી પસંદગીના કપડા પહેરવા માટે પણ એની મંજુરી લેવી પડે છે? તમારું જીવન બીજંું કોેઈ ચલાવે એમ તમે ઈચ્છો છો? તમારી સ્વતંત્રતા પર તરાપ નહીં મારવાનું તેની સમક્ષ સ્પષ્ટ કરો નહીંતર ભવિષ્યમાં મુશ્કેલી મુકાઈ જશો.

મારો ૧૭ વરસનો નાનો ભાઈ એકદમ શાંત બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?

- એક યુવતી (મુંબઈ)

તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે. શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે. તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે. તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત કરો. તેનામાં આત્મવિશ્વાસ પેદા કરો. તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવશે.

મારા લગ્ન થયો ૨૦ વરસ થયા છે. છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો છે. અમે સેક્સ પણ માણીએ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર  અમને પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી નહોતી. યોગ્ય સલાહ આપવા વિનંતી.

- એક ભાઈ (મુંબઈ)

* સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું નથી. એકને એક દિવસ  તો તે ચાડી  ખાય જ છે. જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોેને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે. પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી.

તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો. જીવનસાથીનો વિશ્વાસઘાત કરો નહીં. આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જશો. આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન કરતા હોય.

હું એમબીએ કરું છું. એક વર્ષથી હું મારી સાથે ભણતી એક છોેકરીને પ્રેમ કરું છું. પરંતુ શરમને કારણે આ વાત તેને કહી શકતોે નથી. હવે હું એને એટલો પ્રેમ કરું છું કે એના વિના રહી શકતો નથી મારી સમસ્યાનું સમાધાન કરતો કોઈ ઉપાય દેખાડવા વિનંતી.

- એક યુવક (મુંબઈ)

*  સૌ પ્રથમ તો પ્રેમનું ચક્કર છોેડી ભણવામાં ધ્યાન આપો. બીજી વાત એ છે કે મનોમન ચાહવાથી કોઈ ફરક પડશે નહીં. તમારે એની સમક્ષ પ્રેમનો એકરાર કરવો જ પડશે. યોગ્ય એ છે કે તમે પોતે જ તેની સમક્ષ તમારી લાગણી સ્પષ્ટ કરો. પરંતુ શક્ય છે કે એ તમને પ્રેમ કરતી નહીં હોય આથી ના સાંભળવા માટે મન કઠણ કરી લો.

એક પક્ષીય પ્રેમના મામલામાંમ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને આમ પણ એ યુવતી તમને ના પાડે તો હતાશ થવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને એના કરતા પણ કોઈ સારી જીવનસાથી મળશે. આથી એ ના પાડે તો ભણવામાં મન લગાડી સારી કારકિર્દી બનાવવા તરફ આગળ વધજો. 

Tags :