સ્તનનું કેન્સર, લક્ષણો, નિદાન, સારવાર
ફિટનેસ - મુકુંદ મહેતા
સ્તનના કેન્સરના કેન્સર અંગે જાગૃતિ અંગે વર્તમાનપત્રોમાં અને સામયિકોમાં પ્રસિધ્ધ થતા સમાચારોને કારણે ધીરે ધીરે સ્તનના કેન્સરના કિસ્સા ઘટતા જાય છે
જે કેન્સર સ્તનના કોષોમાં થાય તેને સ્તનનું કેન્સર કહેવાય. મોટે ભાગે આ પ્રકારના કેન્સર લોબ્યુલ્સમાં અથવા 'ડક્ટ્સ''માં થાય. લોબ્યુલ્સ એટલે જે ગ્રંથિ (ગ્લેન્ડ્ઝ) દૂધ ઉત્પન્ન કરે છે અને ડક્ટ્સ એટલે જે નળીઓ ગ્લન્ડ્સમાંથી દૂધ સ્તનની (નીપલ) સુધી પહોંચાડે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ભારતમાં દર ૮ સ્ત્રીઓમાં એક સ્ત્રીને સ્તનનું કેન્સર હોઇ શકે છે.
આમ છતાં તાત્કાલિક નિદાન અને સારવાર અંગેની સગવડો વધવાને કારણે ઉપરાંત સમાજમાં આ પ્રકારના કેન્સર અંગે જાગૃતિ અંગે વર્તમાનપત્રોમાં અને સામયિકોમાં પ્રસિધ્ધ થતા સમાચારોને કારણે ધીરે ધીરે સ્તનના કેન્સરના કિસ્સા ઘટતા જાય છે. તે ઉપરાંત આ પ્રકારના કેન્સરના કિસ્સામાં મૃત્યુ થવાની શક્યતા નહિવત થઇ ગઇ છે.
સ્તનના કેન્સરના લક્ષણો
૧. શરૂઆતમાં જ્યારે સ્તનના કેન્સરની ગાંઠ નાની હોય ત્યારે કોઇ લક્ષણ ના હોય પછી સ્તનની નીપલના દેખાવ અને સ્થિતિમાં ફેરફાર હોય જેમકે તેમાંથી ચીકાશ કે લોહી નીકળતું હોય અને તેનો રંગ બદલાઇ ગયો હોય, તે ઊંધી (ઇન્વર્ટેડ) થઇ ગઇ હોય. નિપલની આજુબાજુનો ભાગ જેને 'એરોલો' કહેવાય ત્યાંની ચામડી પાતળી થઇને ઉખડી જાય (સ્કેલિંગ) અને સ્તનમાં દુખાવો થાય.
૨. આખા સ્તનને દબાવવાથી બધી જગા પોચી લાગવાને બદલે કોઇ ભાગને દબાવવાથી કઠણગાંઠ જેવું લાગે. સ્તનની ચામડી સુવાળી અને એક સરખી લાગવાને બદલે કોઇ વાર લાલ અને કાળી અને નારંગીમાં બહારના પડ ઉપર નાના મોટા ખાડા પડી ગયા હોય તેવા ખાડા પડેલી લાગે, આખા સ્તનનું કદ અને દેખાવ સુઝી ગયો હોય તેવો બદલાઇ ગયેલ લાગે.
સ્તનના કેન્સરની શરૂઆત
વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે જ્યારે જેમ જેમ સ્ત્રીની ઉંમર વધે તેમ સ્તનના કોષનું સામાન્ય રીતે વિભાજન થાય અને તેનું કદ વધે. જ્યારે સ્તનના કેન્સરમાં કોષનું વિભાજન સામાન્ય રીતે થવાને બદલે અસામાન્ય રીતે ઝડપથી થાય અને વિભાજન થએલા કોષ એક જગાએ એકઠા થઇને ગાંઠ જેવું બનાવે. ઝડપથી વિભાજન થયેલા કોષ આખા સ્તનમાં, લિમ્ફનોડ અને શરીરના બીજા ભાગમાં ફેલાય જેને મેટાસ્ટેટ્સઇઝ કહેવાય. દૂધ ઉત્પન્ન કરનારા ડક્ટમાંથી શરૂ થનારા સ્તનના કેન્સરને ઇન્વેસિવ ડક્ટલ કાર્સિનોમાં અને લોબ્યુલ્સમાંથી શરૂ થનારા સ્તનના કેન્સરને ઇન્વેસિવ લોબ્યુલર કાર્સિનોમાં કહે છે.
સ્તનનું કેન્સરનું થવાના કારણો ?
૧. હોર્મોનના ફેરફાર. ૨. લાઇફ સ્ટાઇલ ૩. વાતાવરણ ૪. વારસાગત આ ચાર સ્તનના કેન્સર થવાના મુખ્ય કારણ ગણાય છે. વધારાના કારણોમાં સ્તનનું કેન્સર ૫. મોટે ભાગે (૯૫ ટકા) સ્ત્રીઓમાં થાય છે જ્યારે પુરૂષોમાં થવાની શક્યતા ઘણી ઓછી એટલે કે (૫ ટકા) છે. ૬. શરીરની બીજી કોઇ તકલીફ માટે વારે વારે એક્ષરે પાડવાની જરૂર પડે ત્યારે થતી રેડીએશનની અસર પણ એક કારણ છે.
૭. વધારે વજન એટલે કે બોડી માસ ઇન્ડેક્ષ ૨૫ થી વધારે હોય ૮. સ્ત્રીઓમાં માસિક ધર્મ (મેન્સ્ટ્રુએશન) ૧૨ વર્ષ પહેલા શરૂ થયેલ હોય ૯. સ્ત્રીઓમાં મેનોપોધ મોટી ઉમ્મરે શરૂ થયો હોય ૧૦. જે સ્ત્રીઓમાં પહેલું બાળક ૩૦ વર્ષ પછી થયું હોય ૧૧. જે સ્ત્રીઓ લગ્ન થયા પછી બાળક થયા ના હોય ૧૨. જે સ્ત્રીઓએ મેનોપોઝ વખતે થતાં લક્ષણો અટકાવવા માટે સારવાર લીધી હોય ૧૩. દારૂ પીવાની ટેવ હોય ૧૪. હવાનું પ્રદૂષણ પણ સ્તનના કેન્સરનું કારણ ગણાય છે. આવા બધા કારણોથી સ્તનના કેન્સર થઇ શકે. આમ છતાં વૈજ્ઞાાનિકો હજુ નક્કી કરી શક્યાં નથી કે એવું કેમ બને છે કે આ બધી જ શક્યતા હોવા છતાં કેટલીક સ્ત્રીઓને સ્તનના કેન્સર થતાં નથી જ્યારે કોઇ પણ જાતના કારણ વગર કેટલીક સ્ત્રીઓને સ્તનના કેન્સર થાય છે.
સ્તનના કેન્સરનું નિદાન
૧. સ્ત્રીને પોતાને સ્નાન કરતી વખતે જુએ. સ્તનનો દેખાવ અને આકાર બદલાયેલો લાગે તથા ગાંઠ જેવો ભાગ દેખાય જે દબાવાથી દુખે નહીં. ૨. નીપલ ઊંધી થઇ ગઇ હોય અને તેમાંથી ચીકણો પદાર્થ અને લોહી નીકળે. ૩. બગલમાં ગાંઠ (લીંફ નોડ) થઇ હોય ૪. આ બધા લક્ષણો દેખાય ત્યારે સ્ત્રીઓના ડોક્ટર (ગાયનેકોલોજિસ્ટ) સ્ત્રીના સ્તનની તપાસ કરીને જણાવી શકે ૩. રેડિઓલોજિસ્ટને ત્યાં સ્તનની ખાસ તપાસ જેને 'મેમોગ્રામ' કહેવાય તે કરવી ને નક્કી કરી શકે. ૪. નીડલ બાયોપ્સી કરીને લેબોરેટરીમાં તપાસ કરાવીને નક્કી કરી શકાય.
સ્તનના કેન્સરની સારવાર
ગાયનેકોલોજિસ્ટ અને કેન્સર સર્જન નક્કી કરીને સ્તનના કેન્સર માટે ૧. કેન્સર થયેલા આખા સ્તનને ઓપરેશન કરીને કાઢી નાખે (ટોટલ મેસ્ટેક્ટોટોમી) ૨. કેટલાક કિસ્સામાં ડોક્ટરો રેડીએશન થેરપીનો ઉપયોગ કરે છે. ૩. કેમોથેરેપિમાં કેન્સરના કોષને દૂર કરવા ગોળીઓ આપવામાં આવે છે. ૪. કેટલાક કિસ્સામાં ડોક્ટરો ઓપરેશનથી સ્તન કાઢી નાખ્યા પછી અથવા શરૂઆતથી હોર્મોન થેરેપિ આપે છે. ૫. સ્તનના કેન્સરની સારવાર માટે ડોક્ટરો કોઇ વાર ઈંમ્યુનોથેરેપિનો ઉપયોગ પણ કરે છે.
અગમચેતીના પગલા
૧. વજન વધવા દેશો નહીં ૨. એક નિયમ તરીકે દરરોજ સ્નાન કર્યા પછી પોતાની જાતે બંને સ્તનની તપાસ (સેલ્ફ એક્ઝામિનેશન) કરી લેશો. આ તપાસ કેવી રીતે કરવી તે તમારા ફેમિલીના લેડી ડોક્ટર અથવા હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ પાસે શીખી લેશો અથવા આ અંગેનું સાહિત્ય હવે હોસ્પિટલમાંથી મળે છે તે જોઇને શીખી લેશો. આ ઉપરાંત તમારી ઉમ્મર ૨૦ વર્ષ થઇ હોય તો બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ ટેસ્ટ જેને મેમોગ્રામ કહેવાય તે ક્વોલિફાઇડ લેડી ડોક્ટરની રેડિઓલોજિસ્ટ પાસે કરાવી લેશો. ૩. રોજ તમને ગમતી કસરત ૩૦ થી ૪૦ મિનિટ કરો.
બગીચામાં કે જિમમાં ટ્રેડમિલ પર ચાલવાનું, સ્વિમિંગ આવડતું હોય તો તે યોગા અને મેડિટેશન અને લાફિંગ ક્લબની કસરત વગેરે કરી શકાય. મેનોપોઝ વખતે આપવામાં આવતી ગોળીઓ ક્વોલિફાઇડ ડોક્ટરની સલાહ લઇને નાછૂટકે લેજો અને ગોળીઓના વિકલ્પે રોજ એક વાટકી સોયાબીન (બાફેલા, રાંધેલા કે પલાળેલા) અથવા હવે બજારમાં સોયાબીનનું દૂધ અને સોયાબીનનું પનીર (ટોફું) મળે છે તેનો ઉપયોગ કરશો. ૫. વજન વધે નહીં એનું ખાસ ધ્યાન રાખશો એનો અર્થ કે તમારો બોડી માસ ઈંડેક્ષ ૨૫થી વધવા ના દેશો. ૬. ખોરાકનું ખાસ ધ્યાન રાખશો. મેડિટેરિયન ડાયેટ જેમાં લીલા શાકભાજી, તાજા ફળો, વર્જીન ઓલિવ ઓઇલ અને આખું અનાજ અને સુકોમેવો આવે તે લેવાનું પસંદ કરશો.