Get The App

વિચારોની ચઢ- 'ઉતર' .

થોડામાં ઘણું - દિલીપ શાહ

Updated: Nov 9th, 2019

GS TEAM

Google News
Google News
વિચારોની ચઢ- 'ઉતર'                                       . 1 - image


દાદરો ચઢતા ચઢતા 'ઉતરવું' ક્રિયાપદ વિષય પર મન ઉતર્યું. મનના મેદાનમાં થઈ શરૂ વિચારોની ખેતી જે કોઈ મબલક પાક (!) ઉતર્યો વાંચો... વિચારો કદાચ તમારું લાં...બા સમયથી ચઢેલું માથું ઉતરી જાય પણ ખરું ? (નો, ગેરેન્ટી !) નાનપણમાં જો આપણે જિદ્દી, રોત્તડ, સનકી સ્વભાવનાં (અપ) લક્ષણો ધરાવતાં હોઈએ તો આપણને હોંશે હોંશે રમાડવા આવનાર દાદા..દાદી..આંટીઓ પછી આ વધામણાં દાબી રાખે છે એમનું ય મન 'ઉતરી'જાય છે.

શાળામાં વાતોડિયા સ્વભાવ હોય, શિક્ષકોની સૂચના.. ધમકીઓ બાત્તલ જતી હોય ત્યારે એ ગુરુજનોનો આપણા પ્રત્યે મન 'ઉતરી' જઇ  પૂર્વગ્રહના ખીલાં ઠોકાઈ જાય છે. દાંપત્ય જીવનમાં ગૃહિણીને દાળ-શાક 'ઉતરી' ના જાય એની ભાંજગડમાં જ રસોડાની એન્ટ્રીથી અને પાછળથી સાસુ-વરની રસોઈનાં પ્રમાણપત્રની (માયનસ ગ્રેડવાળી) સાઈડ ઇફેક્ટ થતી રહે છે. ઓફિસમાં નવી ટાઈપીસ્ટ, ટેલીફોન ઓપરેટરને, રીસેપ્શનાલીસ્ટ ભાવ ના આપતી લાગે ત્યારે ય ઘણાં પત્ની- ભક્ત હસબંડોનું મન પણ ઉતરી જતું લાગે છે.

ગણિતમાં ચઢતોક્રમ..ઉતરતો ક્રમ મૂંઝવણમાં મૂક્તો હોય છે પછી ખબર પડે છે ચડતા  ક્રમમાં પહેલાં નાની આવે, અને ઉતરતા ક્રમમાં મોટી આવે. આથી જ ફંક્શન વખતે ફ.ૈં.ઁમોટરમાંથી જેવા 'ઉતરે'(પેલો મોટાનો ક્રમ યાદ આવતા જ ) એવો નમ્ર ભાવનો આવકાર ચાર્જ થઈ જાય છે અને આ જ વી.આઈ.પી.નિવૃત્ત થાય ત્યારે ? ઉતર્યો અમલ દાર કોડીનો ! જોયું 'ઉતરવું' ક્રિયાપદ કેવું ડબલ ઢોલકી છે ? છતાંય દિવાળી વખતે માળિયે ચઢવું કદાચ સહેલું હશે.. ભંગાર, પસ્તીની સાફસૂફી પછી 'ઉતરવું' કેવું લાગે ? વ્યાસ-પીઠ, મંચ પર પ્રવચન-કથા માટે ચઢી તો ગયા પણ તાળીઓનાં ગડગડાટ જરાય ના સાંભળવા મળે ત્યારે 'ઉતરવું' બી.પી.વધારી દે છે. મોંઘવારી, ફુગાવામાં ચીજવસ્તુઓનાં ભાવ 'ઉતરવા' ક્રિયાપદને (નેતાના ચૂંટણી ઢંઢેરાનાં વચનોની જેમ) ઓપ્શનમાં જ કાઢે છે ! દાંપત્યજીવનમાં પત્નીનો બે-ત્રણ દિવસથી મોં પરનો તોબરો ના ઉતરે ત્યાં સુધી નોકરી-ધંધામાં નાની નાની બાબતમાં ભૂલો.. ગુસ્સો કંપની આપવા હોંકારા કરે છે.

મા-પાવા તે ગઢથી ઉતર્યા રે લોલ.. નવરાત્રીનાં ગરબામાં દેવ-દેવીઓ પણ ઉપરથી ઉતરી આવે છે. યદા યદા હિ ધર્મસ્ય..નું પ્રોમીસ આપનારા પ્રભુ ધરતી પર કેમ ઉતરતા નથી એ સદીઓ પુરાણો યક્ષ-પ્રશ્ન છે.

મરી મસાલા

ચંદ્રયાન, ચંદ્રયાન-૨, મંગલયાનની ઉડાન જ પરોક્ષ રીતે આપણને જણાવે છે. પૃથ્વી પર બહુ 'ચઢ-ઉતર' કરી હવે અજાણી ભોમ પર તો ઉતરવા દો ! કદાચ પેલા વાસ્કો-ડી-ગામા (૧૪૯૮)ની જેમ અજાણી ભૂમિ ભારતનાં કાલીકટ બંદરે ઉતર્યો. રહ્યો ને ૧૫૦૨માં ઝામોરીનની કુંવરીને પરણીને ગયો. (ઉતરવાની સાઈડ ઇફેક્ટસ)

Tags :