ભગવાન શિવનું નટરાજ સ્વરૂપ
નટરાજ મૂર્તિની કલાત્મક્તા એટલી બધી પ્રસિધ્ધ છે કે વિશ્વના પ્રત્યેક સંગ્રહાલયોમાં અને ધનિકોના ઘરોમાં તેની પ્રતિકૃતિઓ રાખવામાં આવે છે
તાં ડવનૃત્યની અદ્ભૂત કલામય મૂર્તિને અંગે વિશ્વપ્રસિદ્ધ થયેલું ચિદંબરમ મદ્રાસ-ત્રિચી મુખ્ય લાઈન ઉપર મદ્રાસથી લગભગ સવા બસો કિસોમીટર દૂર કાવેરી નદીની શાખા કોલરુન ઉપર આવેલું છે. ઘણા લોકો તેને તિલાઈપેરુમત પુલિયર કે વ્યાઘ્રપુરમ પણ કહે છે. લંકાના હિંદુઓ તેને અત્યંત પવિત્ર સ્થળ ગણે છે.
પુરાણકથા એવી છે કે પતંજલિ અને વ્યાઘ્રપાદ મુનિઓની પ્રાર્થનાથી તેમની સમક્ષ શિવે આ સ્થળે નિજાનંદમાં નૃત્ય કરીને વિષ્ણુ, દેવો, ગંધર્વો અને મનુષ્યોને નૃત્યકળા શીખવી. તે વખતે પાર્વતીને નૃત્યમાં ભાગ લેવાનું મન થયું. તેઓ પણ શિવના પ્રત્યેક અંગ-ભંગ-તાલને બેવડાવી પોતાના નૃત્યો બતાવતાં ગયાં.
છેવટે શિવે નૃત્યમાં જ તાલબદ્ધતાથી પગથી પોતાના કાનમાંના કુંડળો કાઢયા, અને પગથી જ પાછા પહેર્યા. આ નૃત્યનો પ્રકાર બેવડાવવાનું પાર્વતી માટે અશક્ય બન્યું ત્યારે તેણે શિવનું મહત્ત્વ સ્વીકાર્યું. આ રૂપક કથાના ઊંડાણમાં જઈશું તો દેખાશે કે આપણા મંત્રદ્રષ્ટા ઋષિઓએ સાંખ્ય યોગમાં જણાવેલ પરમતત્ત્વ (પુરુષ) અને તેના જ ભાગ અથવા બીજા સ્વરૂપ (પ્રકૃતિ)ના બળાબળનું મહત્ત્વ સમજાવ્યું છે. સોમરાજ સ્તવનમાં વર્ણ છે કે
જગત્રયં શામ્ભવ નર્તનસ્થલી નટાધિરોડત્ર પદ: શિવ: સ્વયમ્ ।
સમાનયેરંગ ઈતિ વ્યવસ્થિતિ: સ્વરૂપ: શક્તિયુતાત્ પ્રપંચિતા ।।
(સર્વની ગતિ, પોષણકર્તા, પ્રભુ, સાક્ષી, રહેઠાણ, શરણ, ઉત્પત્તિ, પ્રલય, સ્થિતિ, આધાર અને અવિનાશી બીજ પરમતત્ત્વ જ છે.
We may call at a cosmic exeberance, depicting that energy can never equal the prime- force, from which source of the elements derive their strength. ચિત્-અંબર Means the Inner Temple of supereme devine consciousness. The Divine Lord (Purush) and Holy Mother-Energy (Prakriti) dance. eternally in the whole universe.)
આવું ગહન તત્ત્વજ્ઞાાન સાદા રૂપકમાં સમજાવવામાં આવ્યું છે. ટાઢા પહોરનાં ગપ્પાં નથી. એ સમજીએ તો આપણા ઋષિમુનિઓ માટે માથું આપોઆપ જ નમી પડે.
ઉત્તર દસતાલના પરિમાણ પ્રમાણે બનાવેલ 'ભુજંગ-ત્રાસ' મુદ્રાની આ નટરાજ મૂર્તિની કલાત્મક્તા એટલી બધી પ્રસિધ્ધ છે કે વિશ્વના પ્રત્યેક સંગ્રહાલયોમાં અને ધનિકોના ઘરોમાં તેની પ્રતિકૃતિઓ રાખવામાં આવે છે. તેથી આ મૂર્તિમાં પ્રદર્શિત કરાયેલા ભાવો સમજીએ તો આપણા ભક્તિભાવમાં જ્ઞાાનનો ઉમેરો થશે.
મૂર્તિ ચતુર્ભુજ અને ત્રિનેત્રી છે. મસ્તકે બીજચંદ્ર, સર્પો અને મુંડ છે. અને નૃત્યગતિ તાલથી જટા લહેરાય છે. પાછલા જમણા હાથમાં ડમરુ વાદ્યયંત્ર છે. જેના ધ્વનિથી દેવભાષાના સંસ્કૃત અને નૃત્યના તાલ-ધ્વનિનો જન્મ થયો. પાછલા હાથમાંનો પ્રજ્વલિત અગ્નિ અવિનાશી પવિત્ર પ્રકાશમય જ્ઞાાન બતાવે છે. આગલા હાથની અભયમુદ્રાથી ભક્તોને અભય પ્રદાન કરી રહ્યા છે.
આગલો નીચે પડેલો અસુર તરફ નિર્દેશ કરતો હાથ ઉપદેશ આપે છે કે સંસારમાં અહંકાર, મમતા, વાસનાઓ અને દૂષ્ટ વૃત્તિઓને દબાવી તેનાથી અલિપ્ત થવાથી જ પ્રકાશમય જ્ઞાાન લાધશે અને મોક્ષ મેળવી શકશો. ત્રણ નેત્રો જળ, વાયુ અને અગ્નિ છે. જેમ એ તત્ત્વો જુદાં જુદાં લાગતાં હોવા છતાં એક જ તત્ત્વના છે તેવી જ રીતે પુરુષ, પ્રકૃતિ અને જીવ એક જ તત્ત્વ છે.
આ પ્રમાણે એક હાથથી નિર્માણ, બીજાથી રક્ષા, ત્રીજાથી વિનાશ અને ચોથાથી શાંતિ એવા જીવનના ચાર પાસાઓ એ મૂર્તિમાં દર્શાવ્યાં છે. સર્પના ડરથી પગ ઉપડે તે બતાવતી મુદ્રાને 'ભુજંગત્રાસ' મુદ્રા કહે છે. ઉંચો રાખેલો ડાબો પગ જગતને ભુજંગ સમજી મોક્ષપ્રાપ્તિનું પ્રતીક છે. (મદુરાની નટરાજની મૂર્તિમાં જમણો પગ ઉંચો છે તે આનંદનું પ્રતીક છે.)