Get The App

ચ્યવનપ્રાશની કથા .

Updated: Jan 17th, 2020

GS TEAM

Google News
Google News
ચ્યવનપ્રાશની કથા                         . 1 - image


'રાજકુમારી! આ ઋષિની દ્રષ્ટિ પાછી લાવવા તમારે દેવલોક જવું પડશે. ત્યાં જઈ તમે અશ્વિનીકુમારો પાસેથી જે ઔષધી લાવશો તેનાથી આ ઋષિની દ્રષ્ટિ પાછી લાવી શકાશે.'

આ એક પૌરાણિક કથા છે. જ્યારે નંદનપુર રાજ્યમાં રૃદ્રદત નામનો રાજા રાજ્ય કરતો હતો તેને એક પુત્રી હતી. તેનું નામ રાજકુમારી સુકન્યા. રાજકુમારી સુકન્યા રૂપરૂપની અંબાર. કોઈપણ રાજકુમાર જો ભુલથી પણ તેને જો જોઈ જાય તો તેનું મન રાજકુમારી પર મોહી જાય.

એકવાર રાણી સુકન્યા એક જંગલમાં ગયા. ત્યાં તેમણે એક ઝાડની નીચે સુકાયેલો પર્વત જોયો. તે જોઇને તેમને ગમ્મત કરવાનું મન થયું. તેમણે તે પર્વતને એક લાકડી વડે ખોદી કાઢ્યો. અનાયાસે તેમાંથી લોહી વહેલા લાગ્યું આ જોઈ રાજકુમારી ડરી ગયા. તે પર્વતમાંથી રડવાનો અવાજ આવ્યો અને એકદમ જ પર્વત આખો વિખેરાઈ ગયો.

આ પર્વત ચ્યવનઋષિનો હતો. વીસ વર્ષ ભગવાન શનિદેવને રીઝવવા તેઓ તપસ્યા કરતા હતા અને રાજકુ.સુકન્યાએ તે તપસ્યાને ભંગ કરી દીધી. આ જોઈ રાજકુમારી સુકન્યા ત્યાંથી ભાગી ગયા.

રાજકુમારી સુકન્યાએ ચ્યવનઋષિની એક આંખ ફોડી દીધી હતી. તેથી સુર્યપુત્ર શનિદેવ ખૂબ ક્રોધે ચડયા. અને તેઓ એક ઋષિ સ્વરૃપે ધરતી પર અવતર્યા તેમણે રૂદ્રદતને કહ્યું 'રાજન ! આપની પુત્રીથી ઘણું જ મોટું પાપ આજે થયું છે. તેથી જો તેઓ આ પાપમાંથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોય તો તેમણે ચ્યવનઋષિની આંખને સાજી કરવી પડશે.'

આ સાંભળી રૂદ્રદતે ક્રોધે ભરાતા બોલ્યા 'મારી પુત્રી આ ઋષિની સેવા નહિ કરે. હાં જો, રાજ્યમાંથી ધન જોઇતું હોય તો હું તમને આપી શકું !' આ સાંભળી રાજકુમારી સુકન્યાએ કહ્યું 'પિતાજી ! મારાથી આ ઋષિની દ્રષ્ટિ જતી રહી છે. હું મારા માથે પાપનો ભારો બનવા માંગતી નથી. હું આ ઋષિની દ્રષ્ટિ જરૂર પાછી લાવીશ' આ સાંભળી શનિદેવે કહ્યું :

'રાજકુમારી ! આ ઋષિની દ્રષ્ટિ પાછી લાવવા તમારે દેવલોક જવું પડશે. ત્યાં જઈ તમે અશ્વિનીકુમારો પાસેથી જે ઔષધી લાવશો તેનાથી આ ઋષિની દ્રષ્ટિ પાછી લાવી શકાશે.'

રાજકુમારી દેવલોક જવા તૈયાર થઈ. શનિદેવે તેમને દેવલોક જવાનો રસ્તો બતાવ્યો. તેઓ દેવલોક અશ્વિનીકુમારના દરબારમાં ગયા. દેવદૂતે તેમને અંદર બોલાવ્યા. રાજકુમારીનું અસીમરૃપ જોઇને અશ્વિનીકુમાર તેમનાં પર મોહિત થઈ ગયા. અશ્વિનીકુમારે સુકન્યાને પુછ્યું 'દેવી ! તમે કોણ છો ? અહીં કેમ આવ્યા છો ?'

સુકન્યાએ કહ્યું 'હું રૃદ્રદતની પુત્રી રાજકુમારી સુકન્યા છું. મારાથી ચ્યવનઋષિ દ્રષ્ટિહીન થઇ ગયા છે. તેવી અહીં ઔષધી લેવા આવી છું.' રાજકુમારે કહ્યું 'દેવી ! અમે તમને ઔષધી તો આપીએ પણ અમારી એક શરત છે. શું ?. તમારે મંજૂર છે ? અશ્વિનીકુમારે કહ્યું 'હું તમારા રૂપથી અંજાઈ ગયો છું.'

તમારે મારી સાથે વિવાહ કરવા પડશે. રાજકુમારી સંમત થઇ અને તે ઔષધી લઇ ચ્યવનઋષિની ઝુંપડીમાં આવી. આ ઔષધી ચ્યવનઋષિની દ્રષ્ટિ પર લગાડતાં તેમની દ્રષ્ટિ પાછી આવી ગઈ.

હવે, ચ્યવનઋષિ ખુબ ખુશ થયા. પણ રાજકુમારી ને પે'લું વચન યાદ આવ્યું. તે ફરી દેવલોક ગયા. અને અશ્વિની કુમાર ખુશ થયા. આ જોઈ શનિદેવ ખુબ ક્રોધે ચડયા. તેમણે અશ્વિનીકુમારનાં દરબારમાં જઈ તેમને કહ્યું : અશ્વિનીકુમાર ! તમે આ નારીનો ભોગ લઇને તેમની સાથે ખુબ ખરાબ... કરો છો. તમે એક દેવ છો. તમને આવું ન શોભે.

અશ્વિનીકુમારે કહ્યું 'હું આ નારીનાં રૃપથી મોહિત થઇ ગયો છું. મને આ દેવીથી વિવાહ કરવાથી કોઈ રોકી નથી શક્તું. શનિદેવે કહ્યું 'અશ્વિનીકુમાર ! તમને આની સજા તો મળશે.' એમ કહી શનિદેવે ત્રિશુલ ફેંક્યું અને કહ્યું 'જ્યાં, સુધી તમે તમારી ભુલ કબુલ નહિ કરો, અને આ દેવીથી માફી નહિ માંગો ત્યાં સુધી આ ત્રિશુલ તમારી પાછળ ફરતું રહેશે અને તમે ત્રણેય લોકમાં ફરતાં રહેશો.''

બે દિવસ સુધી અશ્વિનીકુમાર ભાગતા રહ્યા અને અંતે થાક્યા. તેમણે દેવીથી માફી માંગી અને તેમણે ચ્યવનઋષિ માટે એક ઔષધી તૈયાર કરી. અને શનિદેવનાં કહેવા મુજબ તેમણે તે ઔષધી ચ્યવનઋષિનાં શરીરે લગાડી. અને આખરે વીસવર્ષની તપસ્યા પછી ચ્યવનઋષિ સાવ સાજા થઇ ગયા.

મિત્રો, શનિદેવે ચ્યવનઋષિને વરદાન આપતા કહ્યું 'તમે...મારી વીસ વર્ષ સુધી તપસ્યા કરી છે. તેથી તમે શોધેલી ઔષધી આખા વિશ્વમાં વપરાશે અને તે 'ચ્યવનપ્રાશ' તરીકે ઓળખાશે. અને આપણે આજે જે 'ચ્યવનપ્રાશ' ખાઈએ છીએ તે ચ્યવનઋષિએ શોધેલી ઔષધી જ છે.'

- મિત નાંઢા

Tags :